અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી

Seals 43 illegal illegal shops in Anil Bakery's University Plaza

પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા

અમદાવાદ, 4 માર્ચ 2020

શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શતદલ કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં બેન્કવેટ, દુકાન અને ઓફિસ બનાવવા મામલે તંત્રના સીલ લાગ્યા છે.

અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝાના દુકાન માલિકોએ પ્રખ્યાત બિલ્ડર બકેરી ગૃપએ પાર્કિંગની જગ્યામાં દુકાનો ઉભી કરીને દુકાન માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. યુનિવર્સિટી પ્લાઝાના દુકાનદારોએ એક વર્ષ પહેલાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશની કામગીરી કરાતા તેમના ત્યા આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

જેથી આ દુકાનદારોએ આ ઇમારતના બિલ્ડર બકેરી ગૃપ સામે પાર્કિંગની વ્યવસ્થા કરી આપવા તથા હાય રે બકેરી હાય હાય, હેરાન કરીને શું મળશે. પાર્કિંગ આપો, પાર્કિંગ બચાવો ના પોસ્ટર્સ લગાવ્યા હતા. આ દુકાનદારોનો આક્ષેપ છે કે યુનિવર્સિટી પ્લાઝા બિલ્ડિંગના ચેરમેન સેક્રેટરી હજુ પણ બકેરી ગૃપના માલિકો છે. સંચાલનના હક દુકાનદારોના એસોશિયનને સોંપી દેવા જોઈએ તેના બદલે ભોયરામાં પાર્કિંગની જગ્યામાં બિલ્ડરે દુકાનો બનાવીને વેચી દીધી છે.

આ ઉપરાંત ટેરેસની જગ્યા પણ અમદાવાદના કોઈ વેપારીને વેચી મારી હોવાનું જાણમાં આવ્યું છે. દુકાનદારોએ બિલ્ડિંગની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બિલ્ડરને તેમના વકીલ વતી નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. દુકાનદારોએ અમદાવાદ પોલીસ કમિશ્નર તેમજ મ્યુનિસિપલ કમિશ્નરને પણ આ અંગે રજૂઆત કરી છે. યુનિવર્સિટી પ્લાઝાના દુકાનદારોએ પોલીસ કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ભોયરામાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બની હોવાની જાણ કોર્પોરેશનને કરી છે તેમ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. આ ઉકેલ ન આવે ત્યા સુધી બિલ્ડિંગની બહાર પાર્કિંગ કરવાની મંજૂરી આપવામાં આવે.

નવરંગપુરામાં 16 બિલ્ડીંગ શીલ

પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદખેડામાં ગ્વાલિયા સ્વીટ, સ્વાગત સ્ટેટ-૧, ઓશિયા હાઈપર માર્ટ, સાબરમતીમાં અક્ષર-૧૧૧, આનંદ આઈપ્રાઈડ, નવાવાડજમાં મંગલમ સાડી સ્ટોર, મેલડી ટ્રાવેલ્સ, સ્વસ્તિક રેસીડન્સી નારણપુરામાં નિરવ કોમ્પ્લેક્ષ, વૃંદાવન એન્કલેવ, ભગીરથ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમમાં હીરો હોન્ડા, આશ્રય હોટલ, સુઝૂકી સર્વિસ સ્ટેશન, નવરંગપુરામાં સૌથી વધુ ૧૬ બિલ્ડીંગ એટલે કે ધ એડ્રેસ બિલ્ડીંગ, યુનિવર્સિટી પ્લાઝા, હોટલ બ્રુકર્સ, રીંગલ, ડીકથેલોના, સરિતા કોમ્પ્લેક્ષ, દેવાદિ હોટલ, શતદલ કોમ્પ્લેક્ષ, વિશાલ કોમર્શિયલ સેન્ટર, પૂર્ણેશ્વર ચેમ્બર, એવરેસ્ટ સર્વિસ, શાંતિ ચેમ્બર્સ, સિધ્ધાર્થ કોમ્પલેક્ષે, માંગલ્ય હાઉસ, ચાણક્ય બિલ્ડીંગ, વાયએસએલ એવન્યુ, પાલડીમાં રંગોલી કોમ્પ્લેક્ષ, સિલ્વર આૅક, મહાકાંત, ઓનેસ્ટ-ર , ઈસ્કોન સ્કવેર, મેડીસીન બજાર, દેવ અર્પણ, વાસણામાં સ્વામિનારાયણ એવન્યુ, સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર અને નિશાંત એપાર્ટમેન્ટ, વગેરે બિલ્ડીંગમાં પાર્કિગની જગ્યા કે ભોંયરામાં દુકાન, ઓફિસ, ગોડાઉન, કિચન, સર્વિસ સ્ટેશન, બેન્કવેટ કે મોલ વગેરે બનાવવા મામલે સીલ કરાયા હતા.

200 બિલ્ડીંગો સીલ

કેટલાંક કિસ્સામાં રસ્તા પર બસ પાર્કિગ કરવા મામલે પણ તંત્રએ કડક કામગીરી કરી હતી. અમુક મામલામાં ભોંયરાના સર્વિસ સ્ટેશન તરીકે ઉપયોગ થતો હતો. ક્યાંક રોડ પર પાર્કિગ થતું હતુ. તંત્રની સીલીંગ ઝુંબેશ દરમ્યાન ર૦૦ થી વધુ યુનિટને સીલ કરાયા હતા. જેના કારણે મ્યુનિસિપલ તિજારીને પેનલ્ટી પેટે રૂ.ર૪ લાખથી વધુની આવક થઈ હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ પાર્કિગની સમસ્યાના કારણે થતાં ટ્રાફિક જામના પ્રશ્નના નિરાકરણ માટે ગત તા.૧૯મી જાન્યુઆરીથી જે તે બિલડીંગના ભોંયરાના પાર્કિગમાં દબાણ કરનારા સામે ઝૂંબેશ આરંભાઈ છે.