[:gj]કચ્છના સફેદ રણ જોવામાં વિદેશના 50 ટકા પ્રવાસીઓ ઘટવાનું શું કારણ ?[:]

[:gj]છેલ્લા 1 વર્ષમાં કચ્છના રણોત્સવની મુલાકાત લેનારા દેશના પ્રવાસીઓમાં 15% જ્યારે વિદેશના પ્રવાસીઓમાં 50% સુધીનો ઘટાડો થયો છે. 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી આવક નોંધાઇ તે અંગે વિધાનસભામાં કરવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં જણાયું છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 દરમિયાન 5,16,544 જ્યારે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી 4,38,125 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આમ, વર્ષ 2018 કરતાં વર્ષ 2019માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.પ્રવાસીઓ ઘટતાં આવકમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 સુધી રૂપિયા 2.90 કરોડ અને 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી રૂ. 2.10 કરોડની આવક રણોત્સવથી થઇ હતી.

તજજ્ઞાોના મતે રણોત્સવમાં પ્રવાસીઓ ઘટવા માટે વિવિધ પરિબળો જવાબદાર છે. જેમાંનું સૌપ્રથમ ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ માટે લેવામાં આવતું ધરખમ ભાડું છે. આ ઉપરાંત કચ્છ સુધી સીધી ફ્લાઇટનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ ઈચ્છા છતાં રણોત્સવમાં ભાગ લેવાનું ટાળે છે. રણોત્સવ માટે સૌથી નજીકના એવા ભૂજ એરપોર્ટ સુધી મહિનાની માત્ર 62 ફ્લાઇટે અવર-જવર કરી હતી. પ્રવાસીઓને રણોત્સવ સુધી પહોંચવામાં સરળતા રહે તેવી સુવિધા અને રણોત્સવમાં વધુ કંઇક નવા આકર્ષણો ઉમેરવામાં આવે તો જ તેની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફરી વધી શકે છે.[:]