૧૯૯પથી રાજકીય લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલ ર૪ટ૭ વોટર સપ્લાય પ્રોજેકટ આડે રહેલ તમામ ટેકનીકલ ત્રુટિઓ અને અંતરાયો દૂર થયા છે. ઉતરાયણ બાદ જાધપુરના રહીશોને ર૪ કલાક પાણી સપ્લાય કરવાની શરૂઆત થઈ શકે છે.
ર૦૧૦-૧૧માં તત્કાલીન હોદેદારોએ અભરાઈએ મુકવામાં આવેલી ફાઈલનો ફરીથી અમલ કરવા નિર્ણય કરી જાધપુર વોર્ડની પસંદગી રાજકીય દ્રષ્ટિએ કરી હતી. પરંતુ ટેકનીકલ દ્રષ્ટિએ ખોટી પુરવાર થઈ છે. વોર્ડમાં પાણીની ચાર ઓવહરેડ ટાંકીઓ અને પાણીના ૧૦૦ ટકા નળ હતા. તેથી સહુ પ્રથમ તો કમાન્ડ એરીયા ની તકલીફ થઈ હતી. જુના-નવા જાડાણના પરીણામે લીકેજીસની સમસ્યા થાય છે.
જેનાં આનંદનગર, પ્રમુખ (નોવેક્ષ) ગામતળ, ઘર વિહોણા અને ગોકુળ-આવાસ નો સમાવેશ થાય છે. જે પૈકી આનંદનગરમાં ર૦ કલાક પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. આનંદનગર માં ૭૩૩ વોટર મીટર લગાવવામાં આવ્યા છે. પ્રમુખ ડી.એમ.એ.માં ૧૬ કલાક સપ્લાયની શરૂઆત કરવામાં આવી હતી.
પરંતુ ત્રણ-ચાર સોસાયટીઓમાં પ્રેશરની તકલીફ થતા સપ્લાય બંધ કરવામાં આવ્યું છે. તથા નવા બુસ્ટર પંપ લગાવવામાં આવ્યા છે. મુળ ડીઝાઈન મુજબ પ્રમુખ ડી.એમ.ઓ.માં ઓછી ક્ષમતાના પમ્પ રાખવામાં આવ્યા હતા. જેના પરીણામે પ્રેશરની મુશ્કેલી થઈ હતી. મ્યુનિ. ઈજનેર અધિકારીઓ માટે સૌથી મોટી ચેલેન્જ “ઘર વિહોણા” ડી.એમ.એ.ને માનવામાં આવે છે. જેમાં ઈસરોના ઢાળ પર બે કલાક પણ પુરતા પ્રેશરથી પાણી સપ્લાય કરવાની તકલીફ છે.
તેથી “ઈસરો” વિસ્તારમાં ૧ર મીટરની નવી લાઈન નાંખવામાં આવી છે. જેના કારણે, સદ્દર સમસ્યા હળવી થઈ છે. “ઘર વિહોણા” ડી.એમ.ઓ.માં ૯૦૫ વોટર મીટર લગાવવામાં આવ્યા છે.
જાધપુર ર૪ટ૭ પ્રોજેકટમાં ગામતળમાં કુલ ૮૩૩ વોટર મીટર લગાવવાના હતા જે પૈકી ૭૩૪ વોટર મીટર લાગી ગયા છે. જ્યારે ૮૯ વોટર મીટર લગાવવાના બાકી છે
જેમાં સ્મિત નગરમાં ૪૨, પારીજાત સોસાટીમાં ૧૫ માધવન સોસાયટીમાં ૧૫ તથા અન્ય એક સોસાયટીમાં ૧૭ વોટર મીટર લગાવવાના બાકી છે. આ સોસાયટીઓમાં આર.સી.સી. રોડ બની ગયા હોવાથી કામમા વિલંબ થયો છે. પરંતુ ઉત્તરાયણ પહેલા કામ પૂર્ણ થવાની અપેક્ષા છે. પ્રમુખમાં ૮૭૧ ઘર વિહોણામાં ૯૦૪ વોટર મીટર લગાવવામાં આવ્યા છે.
આમ સમગ્ર પ્રોજેક્ટમાં કુલ ૪૨૪૬ વોટર મીટર લગાવવાના હતા જે પૈકી ૪૧૫૭ જાડાણોનું કામ પૂર્ણ થયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ કલાક પાણી સપ્લાયના ટ્રાયલ રન પણ શરૂ થઇ ગયા છે. જેમાં આનંદ નગરમાં ૨૦ કલાક તથા ઘર વિહોણા નોવેક્ષ અને ગોકુળ આવાસમાં ૬ થી ૭ કલાક પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે.
સદ્દર પ્રોજેકટમાં “મીટર ચોરી થયા હતા. જેના કારણે પણ કામમાં વિલંબ થયો હતો. પરંતુ મીટરના કોન્ટ્રાકટર શ્રી રંગ કોર્પોરેશને તુર્કીથી નવા ૪પ૦૦ વોટર મીટર મંગાવી આવ્યા છે. જેના માટે કોઈ જ ચાર્જ લીધો નથી. ચોરી થયેલ મીટર સામે નવા મીટર જમા કરાવ્યા છે. જાધપુર વોર્ડમાં અનેક પ્રકારની ટેકનીકલ ક્ષતિઓ જાવા મળી હતી જેના કારણે નિયત સમયમાં પ્રોજેકટ પૂર્ણ થવામાં વિલંબ થયો છે. નિષ્ણાતોના મંતવ્ય મુજબ હયાત નેટવર્ક અને ઓવરહેડ ટાંકી હોવાના પરિણામે કામમાં વિલંબ થયો હતો તથા અનેક પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું હતું. બોર આધારીત વિસ્તારમાં ટેકનીકલ ક્ષતીની શકયતા“શૂન્ય” રહે છે.
થલતેજ વોર્ડમાં પણ ર૪ટ૭ પ્રોજેકટ શરૂ થઈ રહયો છે. આ વોર્ડ બોર આધારીત હોવાથી તંત્ર એ માત્ર નેટવર્ક જ નાંખવાના રહેશે જયારે સ્ટોરેજ અને સપ્લાય માટે હયાત ઓવરહેડ ટાંકીનો ઉપયોગ કરવામાં આવશે. જાધપુરની માસ્ક જુના અને નવા જાડાણ ભેગા કરવાના ન હોવાથી લીકેજ સમસ્યા પણ નહીં થાય. જાધપુરમાં જુની લાઈનોમાં જ નવા જાડાણ આપવામાં આવ્યા હોવાથી લીકેજની નાની-મોટી ફરીયાદો રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.