[:gj]જૂનાગઢથી અપહરણ બાદ જામનગરથી ધરપકડ[:]

[:gj]જામનગર,તા:૧૨ કલ્યાણપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જૂનાગઢથી અપહરણ કરાયેલા આધેડને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી મતા અને કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખંડણી માગવાના આશયથી ખંભાળિયાથી ત્રણ શખ્સોએ આધેડ જિતેન સંઘાણીનું ખંભાળિયાથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ જિતેનભાઈ પાસેની સોનાની ચેન, રોકડ રૂપિયા અને કારની પણ લૂંટ ચલાવી હતી. આરોપીઓએ આ જ કારમાં જિતેનભાઈનું અપહરણ કર્યું હતું અને જામનગરના કલ્યાણપુર ખાતે લઈ ગયા હતા.

દરમિયાનમાં હર્ષદ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં પોલીસે કારમાં સવાર ત્રણેય અપહરણકાર પાસેથી જિતેનભાઈને મુક્ત કરાવ્યા હતા અને ત્રણેય આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.[:]