[:gj] ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી[:]

[:gj]

ગાંધીનગર,તા.16
ગુજરાતમાં ધોરણ-8 પાસ વ્યક્તિને જ ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે તેવું જાહેર થતાં કેન્દ્રના આદેશને પગલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી.

રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જણાવ્યું છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટીફિકેશનથી સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ-1989ના નિયમ-8ને રદ કરવામાં આવે છે. એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાયસન્સના હેતુ માટે હવે ધોરણ-8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર રહેતી નથી.

ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે ટ્રાન્સપોર્ટ વાહન માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરી હતી. આ લાયકાતમાં ધોરણ-8 પાસ થયેલા ડ્રાઇવરોને જ લાયસન્સ આપવામાં આવશે, પરંતુ હવે નવા નોટીફિકેશનથી શૈક્ષણિક લાયકાતને રદ કરી દેવામાં આવી છે.

[:]