અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાનાં 58955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્ક ખાતામાં જમા કરાયા છે. જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ.9522 જમા થયા છે. ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 19705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ.56.14 કરોડ ચૂકવ્યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને મજૂરીના સરેરાશ રૂ.60 હજાર ખર્ચ કરી કાઢુંલું છે. જેમાં ગુજરાત સરકાર હવે માત્ર રૂ.9500 જ આપી રહી છે.
રાજયનાં અમુક જિલ્લાઓમાં અનિયમીત અને ઓછા વરસાદના હિસાબે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતી ઉભી થવા પામી હતી. દુષ્કાળગ્રષ્ત વિસ્તાર જાહેર કરવાનાં કાયદામાં સુધારો કરીને રાજયનાં ખેડુતો અને પશુ પાલકોને મદદરૂપ થવા માટે ઓછા વરસાદ વાળા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ સરકારે અતિવૃષ્ટીગ્રસ્ત જિલ્લાનાં સાત તાલુકાઓમાં સહાય ચુકવીને ખેડુતોને નાણાં ચૂકવ્યા હતા.
ઓછા વરસાદ વાળા અમરેલી જિલ્લાનાં ત્રણ તાલુકાઓ જેમાં ધારી તાલુકાનાં 19646,લાઠી તાલુકાનાં 19604 અને બાબરા તાલુકાનાં 1970પ ખેડુતોના બેન્ક ખાતામાં 7 ફેબુ્રઆરી 2019 સુધીમાં જમા કરાવવામાં આવી છે. બાકી રહેતા ખેડુતોનાં ખાતામાં હવે રકમ જમા થઈ જશે.