[:gj]ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી અધિકારીને રજા પર ઉતારી દીધા[:]

[:gj]વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા છે હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. હવે તેમાં એવી વિગતો બહાર આવી છે કે, ટીડીઓએ રજા મૂકતી વખતે એવું કારણ આપ્યું છે કે તેના જીવનું જોખમ છે, તેથી રજા પર ઉતરે છે. પરંતુ તે સાચું કારણ નથી. ખરેખર તો ભ્રષ્ટાચાર થયો હોવાથી તેઓ તપાસ કરવા માંગતા ન હોવાથી રજા પર ઉતરી ગયા હતા. વાવના ભ્રષ્ટાચારની તપાસની માગણી પ્રમુખે કરી હતી. એ તપાસ કરવા માટે ખાતરી અને માહિતી આપી હતી. ત્યારબાદ તેઓ અચાનક રજા પર ઉતરી ગયા છે અને જીવનું જોખમ હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ સુત્રો એવું જણાવી રહ્યા છે કે તેમના પર ગાંધીનગરથી એક પૂર્વ મંત્રી અને મંત્રીએ કોઈ પણ હિસાબે આ તપાસ ન થવી જોઈએ એવું દબાણ કર્યું છે. તેથી તેઓ રજા પર ઉતરી ગયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. 11 સપ્ટેમ્બરથી કપાત પગારથી તેઓ રજા પર ઉતરી ગયા છે અને તાલુકા પંચાયતના ટીડીઓ ઈનચાર્જ ટીડીઓને સોંપવામાં આવ્યો છે. પરંતુ આ વાવ તાલુકાના ટીડીઓને કોનો ભય છે, એ હજુ સુધી જાહેર કરાયું નથી કે માટે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી નથી અને પોલીસની મદદ પણ લેવામાં આવી નથી. તેથી એવી શંકા ઉભી થાય છે કે આ વાવ ટીડીઓ દ્વારા જે કંઈ કારણો આપવામાં આવ્યા છે એ રાજકીય કારણો છે, પોતે અહીંથી તપાસનો થાય એ માટે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. તેમણે તાત્કાલિક ધોરણે રજા પર ઉતારી દેવાયા છે.

પોલીસ રક્ષણ કેમ ન માંગ્યું ? તપાસ ન કરવા નાટક

ચીમકી પણ ઉચ્ચારી જો તપાસ નહીં થાય તો તે ત્યારબાદ સીડી આપી હતી કે તમે ઉપવાસ રદ કરી દો હું તપાસ કરી જેવી અને ભાભી ની સાથે જ તેઓ રજા પર ઉતરી ગયા છે એટલે આખુ ઉભુ થયું છે અને તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી એ લેખિતમાં સરકારને જણાવ્યું છે કે તેને ફરજ બજાવવાનું જોખમ છે તો થા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ પણ સોલંકીના જાનનું જોખમ હોવાનું નોંધીને તેને કપાત રજા પર ઉતારી દીધા છે. આ બાબતની ગંભીર નોંધ ચીફ સેક્રેટરી લીધી છે. તેમણે આ બાબત શું છે એ તપાસ કરવા પંચાયત વિભાગના અગ્રસચિવને કહ્યું છે. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને શૌચાલય પ્રધાનમંત્રીના અવાસ યોજના સહિતની સરકારી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. બનાસકાંઠા પોલીસની અહીં મદદ માગવામાં આવી નથી

મૂળ કારણ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચીમકી આપી હતી. વિકાસ અધિકારીએ તાત્કાલિક ડીડીઓને તપાસ કરવા બાહેંધરી આપતા ઉપવાસ રદ કર્યા હતા. કૌભાંડોની બે મહિના પહેલાં યાદી આપી હતી. એ પ્રમાણે તપાસ કરવા તંત્ર કામે લાગી ગયું છે. આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર પ્રદેશ ભાજપે લેવી પડી છે અને પણ થયું છે એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. 10 ગામમાં એલઈડી લાઈટ નાંખવા માટે કૌભાંડ થયું છે. સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. 2017-18માં બનાવેલા મકાનો માત્ર કાગળ પર છે. સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી.

નાનજીભાઈ શું કહે છે

તાલુકા પ્રમુખ કાનજીભાઈ રાજપૂત કહે છે કે, હું પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું. ભલે મારી ખૂરશી જતી હોય પણ પ્રજાના નાણાં તો હું વેચફાવા નહીં દઉં. આ ભ્રષ્ટાચાર માટે અમારી ભાજપની સરકાર પોતે જવાબદાર છે. કારણ કે કર્મચારીઓની જે ભરતી કરવામાં આવે છે તે 11 મહિનાના કરાર પર લેવામાં આવે છે. તેઓ 11 મહિનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ચાચાર કરીને જતાં રહે છે. મેં મારા પક્ષને આ બધી વિગતો કહી છે પણ આ તો ગુજરાત મોડેલ છે. આવું હોય ગુજરાત મોડેલ ? મેં લેખિતમાં આવેલું છે. બધા અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરે છે. 11 મહિનાની નોકરી આપીને તેમને કરોડો રૂપિયાનો વહિવટ આપવામાં આવે છે. પછી તેઓ ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે. સરકાર કાયમી અધિકારીઓની ભરતી કરતી નથી તેથી કરોડો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારની નીતિ કેવી છે તે ખબર પડતી નથી. હું ભાજપમાં છું અને સ્પષ્ટ રીતે કહી દઉં છું. નેતાઓએ વાતો સારી કરવાની અને આ લોકો ભ્રષ્ટાચાર કરી જાય છે. વાવમાં મર્યાદા બહાર ભ્રષ્ટાચાર થયો છે. ટીડીઓ પોતે હાજર રહેતાં નથી. બે દિવસથી તેમનો મોબાઈ સ્વિચ ઓફ કરી દીધો છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રીતે વર્તતા હોય તો તે સામાન્ય પ્રજા સાથે કઈ રીતે વર્તતા હશે. રજા પર ઉતરી ગયા છે અને કચેરીને જાણ પણ કરી નથી. શું કરીએ અમે. જૂઓ આ ગુજરાતનું વિકાસ મોડેલ. હું તો પ્રમુખ છું. મારા માટે ખુરશી મોટી નથી. આવું જો ન જ ચાલે. કોઈ અવાજ અમારો ન સાંભળે તો પછી અમારે શું કરવું. ખુરશી પર ચીપકી રહેનારો હું નથી. અમે સત્તા માટેના માણસો નથી. ભાજપનો છું પણ હું તો લડીશ. ખુરશી લઈ લેવી હોય તો ભલે લઈ લે. જેને જરૂર હોય તેને ભલે હોય મારે જરૂર નથી.[:]