[:gj]રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર[:]

[:gj]કે ન્યુઝ,ગાંધીનગર,તા:25

બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે

2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે. ગુજરાતના ગામડામાં મહિને રૂ.324 અને શહેરોમાં મહિને રૂ. 501.14 આવક મેળવે છે.

ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે રૂ.11 તથા શહેર માં રૂ.17 કમાતા હોય તેને ગરીબ જાહેર કર્યા હતા. ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબીરેખા બદલી ગરોબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને વાઈબ્રન્ટ ગુજરાતમાં બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું.

28 વર્ષ પછી પણ ગરીબી કોંગ્રેસની દેનઃ રૂપાણી

18 નવેમ્બર 2018માં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, “દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે.” પણ ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે. જેને 23 વર્ષ થયા અને ભાજપની ભાગીદારી વાળી સરકાર તો 1991થી છે. તો પછી 27 વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી, તો ગરીબી કેમ વધી રહી છે. રૂપાણી સરકારનું અનાજ ખાઈ જવાનું એ મોટું કૌભાંડ છે, કે પછી ગુજરાતમાં ગરીબી વધી રહી છે. ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યો હોત પણ તેમ થયું નથી. ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. એક પણ ગરીબને મફત મકાન મળ્યું નથી. બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1146 લોકોએ આત્મહત્યા કરી છે.

શાળાએ જવાના બદલે મજૂરી

રાજ્યમાં 4.20  લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે કામ કરે છે. ઈ.સ. 2004-05માં સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા, તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે. તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે. 2019ની વિગતો પ્રમાણે 40 ટકા બાળકો ધોરણ 12 સુધીમાં શાળા છોડી દે છે. જે આખરે ગરીબીમાં હોમાય છે.

ગરીબ કલ્યાણ મેળા, એક તૂત

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાત સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. 2009થી 11 વર્ષ 2070 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ. 22 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. તો પછી ગરીબી કેમ ઘટતી નથી. આટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત. ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું  ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી. ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એનિમાયા વધું છે. 1.50 કરોડ લોકોને પરંતુ ખાવાનું મળતું ન હોય તે સરકારે રાજ કરવાનો કોઈ અધિકાર નથી.

ગરીબી મૂળ સમસ્યા

જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે. જો ગરીબી દૂર થાય તો ભ્રષ્ટાચાર દૂર થઈ શકે છે. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. 20 લાખ ઘર બનાવવા માટે રૂ. 40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ. 5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે. ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે. જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે.

જિલ્લા પ્રમાણે ગરીબ કુટુંબો

કુટુંબોની સંખ્યા. (આંકડા લાખમાં)

જિલ્લો                  ગરીબ કુટુંબો                   બે વર્ષમાં વધારો

ખેડા                    156436                        12

સુરત                   114583                        01

ગાંધીનગર              44535                         07

જામનગર              34616                         128

અમરેલી                89895                         4248

બોટાદ                 30094                         34

નર્મદા                 82871                         00

અરવલ્લી              69440                         53

પોરબંદર               20,664                        406

દ્વારકા                  27,888                        406

બનાસકાંઠા              236492                        512

ભરૂચ                  124930                        24

રાજકોટ                91,253                        3203

પંચમહાલ              91253                        3203

પાટણ                 101954                        00

આણંદ                 153122                       24

સાબરકાંઠા              96986                        287

ડાંગ                   35278                       15

છોટાઉદેપુર             99940                       00

નવસારી                69994                       4120

જૂનાગઢ                51175                       1017

સુરેન્દ્રનગર              125794                      14

વલસાડ                126087                      742

વડોદરા                126919                      00

મોરબી                 47136                       2299

કચ્છ                  105664                       105

ભાવનગર              74516                        14

મહેસાણા               106381                       49

અમદાવાદ             144099                       437

ગીર સોમનાથ          49965                        71

તાપી                  79293                        00

મહિસાગર              82061                        03

દાહોદ                 22591                        407

કુલ                   3146413                      18942[:]