વડોદરા શહેર ૧૭ ચો.કિમી. મોટું થયું ભાજપ હવે મોટો થશે

વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે.
આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન રહેતા નાગરિકોને સુખાકારી સુવિધા પુરી પાડવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે  નિર્ણય કર્યો છે.
આ સમાવિષ્ટ વિસ્તારોમાં ગોરવા પંચવટીથી ઉડેરા ગામ સુધીનો ૦.૮૪૨ ચો.કિમી. (ગંગનગર, અજયનગર, જલારામનગર, ઇન્દિરાનગર), હરણી બાયબપાસ પછીનો ૯.૦૯૬ ચો.કિમી. (દરજીપુરા, જીવરાજનગર), સમાકેનાલ પછીનો ૧.૫૭૬ ચો.કિમી. (કેનાલ બહારની વસાહતો) તરસાલી નેશનલ હાઇવે નંબર ૮ પછીનો ૨.૬૪૪ ચો.કિમી. બાપોદ, નેશનલ હાઇવે નં. ૮ની પૂર્વ તરફનો ૦૭૦૦ ચો.કિમી. (નેશનલ હાઇવે નં. ૮ પછીનો પૂર્વ વિસ્તાર) તેમજ કલાલી કેનાલ પછીનો ૨.૫૭ ચો.કિમી.(કેનાલ પછીનો વિસ્તાર) મળીને કુલ ૧૭.૪૫૮ ચો.કિમી. વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ સહિત તમામ છ મહાનગરપાલિકામાં શાસન ભાજપનું છે. 2015માં થયેલી ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં કુલ ૧૯૨ બેઠકો પૈકીના તમામ પરિણામ મોડી સાંજે જાહેર થઈ ગયા હતા. જે પૈકી ભાજપે ૧૪૨ અને કોંગ્રેસે ૪૯ બેઠકો  મેળવી હતી. જે વર્ષ ૨૦૧૦માં મળેલી ૧૫૧ બેઠક કરતાં ઓછી હતી.

સુરતમાં ભાજપે ૧૧૬ પૈકીની ૮૦ બેઠકો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસને ૩૬ બેઠકો હાથ લાગી હતી. ભાવનગરમાં ૫૨ પૈકીની ૩૪ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ૧૮ બેઠકો મળી હતી. જ્યારે વડોદરામાં ૭૬ પૈકીની ૫૪ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને ૧૪ બેઠક મળી હતી. રાજકોટમાં ૭૨ પૈકી ૩૮ બેઠક ભાજપે જીતી હતી. જ્યારે કોંગ્રેસે ૩૪ બેઠકો જીતી હતી. જામનગરમાં ૬૪ પૈકી ભાજપે ૩૮ બેઠકો મેળવી હતી.

૨૨મી નવેમ્બરના દિવસે અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે સરેરાશ ૪૮.૫૦ ટકા મતદાન થયુ હતુ. અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયુ હતુ. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે એકંદરે ૪૮.૫૦ ટકા મતદાન નોંધાયું હતું જે ૨૦૧૦ની સરખામણીમાં વધારે હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી. મતગણતરી શરૃ થયા બાદ ૧૮૫૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. ૨૨મી નવેમ્બરે અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયું હતું જે ૨૦૧૦માં યોજાયેલા ૪૪.૧૨ ટકા મતદાન કરતા વધારે રહ્યું હતું. આવીજ રીતે વડોદરામાં ૨૦૧૦માં ૪૪.૪૧ ટકાની સામે ૪૮ ટકા મતદાન થયું હતું.

રાજકોટમાં પણ ગયા વખત કરતા ખુબ વધારે મતદાન થયું હતું. સુરતમાં ૩૯.૬૪, ભાવનગરમાં ૪૭.૪૪અને જામનગરમાં ૫૬.૯૬ ટકા મતદાન નોંધાયું હતું.ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકા પૈકીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની ૫૬૮ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. આજે તમામ બેઠકોના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ ૫૬૮ બેઠકો માટે ૧૨૬૧૬ મતદાન મથકો ઉપર મતદાન યોજાયુ હતુ. છ મહાનગર પાલિકાઓના કુલ ૧૪૩ વોર્ડની ૫૬૮ બેઠકો પર જે તે પક્ષ ઉપરાત અપક્ષ અને અન્ય સાથે કુલ ૧,૮૫૬ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો હતો.

છ મનપા કુલ ૯૫,૯૦, ૫૫૨ મતદારો નોંધાયા હતા. જેમાં ૫૧,૧૦,૭૧૩ પુરૃષ અને ૪૪,૭૯,૮૩૯ મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી ૪૮.૫૦ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મનપાના મતદાન મથકોની સંખ્યા ૧૨,૬૧૬ નોંધાઇ હતી. છ મનપા કુલ ૯૫,૯૦,૫૫૨ મતદારોમાંથી અમદાવાદમાં કુલ ૩૯,૮૩,૫૮૯ મતદારો નોંધાયા હતા, જેમાં પુરુષ ૨૦,૯૫,૧૪૮ અને સ્ત્રી ૧૮,૮૮,૪૪૧ મતદારો નોંધાયા હતા. અમદાવાદમાં કુલ ૫૮૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થયો હતો.વડોદરામાં ૨૨૭, સુરતમાં ૪૩૫, રાજકોટમાં ૨૪૬, ભાવનગરમાં ૧૪૭, જામનગરમાં ૨૧૩ ઉમેદવારના ભાવિનો ફેંસલો થયો હતો.