[:gj]વિધાનસભા ચૂંટણી વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને હાઇકોર્ટનું સમન્સ, 27 ઓગસ્ટે હાજરી આપવી પડશે[:]

[:gj]

ગાધીનગર,તા:૨૩

ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 27મી ઓગસ્ટના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપવી પડશે,ચૂંટણીના પિટિશન કેસમાં ભૂપેન્દ્રસિંહને જુબાની માટે સમન્સ ઇશ્યૂં કરી દેવામાં આવ્યું છે, વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત મેળવી હતી. આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હવાથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી

રાઠોડે કોર્ટમાં જણાવ્યું હતુ કે 429 જેટલા બેલેટ પેપર કે જેમાં મોટા ભાગના તેમના તરફેણમાં મત હતા, તેને ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે, તેને નજર અંદાજ કરીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે.કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હોવાનો વિવાદ ઉભો થયો હતો. અને હવે આ કેસમાં ચુડાસમાની મુશ્કલીઓ વધી ગઇ છે.

[:]