[:gj]સુરતમાં 22 એપ્રિલ સુધી કરફયુ [:]

[:gj]કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લોકડાઉન વધુ ચુસ્ત બનાવવા  સુરતના ચાર પોલીસમથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં  તા. ૧૬મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. જાહેર કરાયો છે.

સલાબતપૂરા-મહિધરપૂરા-લાલગેટ-અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસ મથકની  કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારોમાં કરફયુ રહેશે.
કરફયુના દિવસો દરમ્યાન ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત છે.

વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, તા. ૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યરાત્રીથી તા.રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસમથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે.

જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુ રહેશે.

કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે.[:]