શહેરના ઉત્તરઝોનમાં આવેલા મેમ્કોબ્રિજ નીચે શુક્રવારે સવારે આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુકત પાણી છોડતા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના ઘરો સુધી પહોંચી જતા લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો.
આ અંગે વિપક્ષનેતા દીનેશશર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ વિસ્તારમાં આવેલી ઓમ ફેકટરી દ્વારા દર મહીને એકવાર આ પ્રમાણે છડેચોક કેમિકલયુકત પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છે.સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આ પાણી ઉતરી ગયા બાદ દિવાલો પણ લાલ રંગની થઈ જાય છે.


English



You must be logged in to post a comment.