દ્વારકા,23
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહિવટદાર અને પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી દર્શન વિઠલાણી, ટ્રસ્ટના કમલેશ શાહ સહિતના અધિકારીઓએ પણ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

English





You must be logged in to post a comment.