છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાના સિંહાદા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સોમવારે મોડી રાત્રે તાડીનો રસ પીધા બાદ 5 લોકોના મોત થયા હતા.
કલાકો બાદ પરિવારના તમામ સભ્યોને તબિયત ખરાબ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પરિવારના ચાર સભ્યોનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
જે જગ્યા પરથી પરિવારના સભ્યો તાડીનો રસ લાવ્યા હતા, તે વૃક્ષો પર મધમાખીઓને મારવા માટે ઝેરી દવા છાંટવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ પડવાના કારણે મધમાખીને મારવા માટે છાંટવામાં આવેલી ઝેરી દવા તાડીની સાથે મિક્સ થઈ ગઈ હતી. જેથી તાડી ઝેરી બની ગઈ હતી.
તે તાડીનો રસ પીવાના કારણે પરિવારના સભ્યોની તબિયત ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પરિવારના તમામ સભ્યોના મોતનું સાચું કારણ જાણવા મળશે.