પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજના મજાક બની ગઈ

ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020

સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતરપીંડી કરી રહી છે. આ યોજનાથી એક વાત એ બહાર આવી છે કે, 2 ટકા માલધારીઓ ગુજરાતમાં પ્રાકૃત્તિક ખેતી કરી રહ્યાં છે. પણ ખરેખર આ આંક વધું છે. મહિને રૂ.900 આપવાના થતાં હતા. તે પણ સરકાર સમયસર આપી શકતી નથી. દેશભરમાં પશુપાલકો અને ખેડૂતોનો રોષ જોઈને હવે એકાએક તે સહાય આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. તે પણ ગુજરાતના રાજ્યપાલનું દબાણ હતું એટલે રૂપાણી સરકારે કમને યોજના અમલી કરવી પડી છે.

26 જુન 2020માં દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે 1 ગાય દીઠ રૂપિયા 900 દર મહિને આપવાના થાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં વાર્ષિક રૂ.10800 ચૂકવવાના હતા. 26 જૂને પરિપત્ર જાહેર કરીને યોજના અમલી બનાવી હતી. ખરેખર તો તે 1 એપ્રિલ 2020થી અમલી થવાની હતી. 3 મહિના મોડી યોજના અમલી કરી હતી.

એપ્રિલથી જુનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ રૂ.2700 જુલાઈ માસમાં દરેક પશુપાલકોને મળી જવા જોઈતા હતા.  જુલાઈથી સપ્ટેમ્બરના બીજા હપ્તાના રૂ.2700 ઓક્ટોબરમાં નાણાં મળવા જોઈતા હતા, પણ તે અપાયા નથી. ઓકટોબરથી ડીસેમ્બરનો હપ્તો રૂ.2700માં જાન્યુઆરીમાં મળવો જોઈતો હતો.

ગુજરાતની 45 લાખ દેશી ગાયમાંથી માત્ર 1 લાખ દેશી ગાયના માલિકોને સહાય એટલે કે 2 ટકા કરતાં ઓછા પશુપાલકોને આપવામાં આવી રહી છે. એક ગાયને 9 મહિનાના રૂ.8100 અત્યારસુધી આપવાના થતાં હતા. તેના બદલે એક માલધારીને રૂ.4800 આપવામાં આવી રહ્યાં છે. જો 6 મહિનાના આપવાના થતાં હોય તો 1 લાખ ગાય માટે રૂ.5400 થાય છે. દર 3 મહિના પ્રમાણે રૂ.4800 કઈ રીતે થાય છે, તે પશુપાલકો સમજી શકતા નથી. આવકવેરો કાપી લીધો છે એવું પશુપાલકો માની રહ્યાં છે.

રાજ્યના તમામ માલધારીઓને આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન હતું.

ભારત સરકારના પશુપાલન વિભાગના 2020ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ગાય અને બળદની વસતી

2019માં

ગુજરાતમાં કુલ પશુઓની વસતી 2.68 કરોડ છે. ગુજરાતમાં કુલ ગૌવંશ (કેટલ) 99.83 લાખ હતો. જેમાં 67.67 લાખ ગાય અને 32 લાખ બળદ, સાંઢ હતા. 43.76  લાખ કુલ દેશી ગાય હતી. 18.49 લાખ બળદ હતા.

2012માં

ગુજરાતમાં કુલ પશુની વસતી 2.57 કરોડ હતી.

જેમાં દેશી ગાયની સંખ્યા 46.30 લાખ હતી. બળદ, બચ્ચા, સાંઢ સાથે કુલ ગોવંશ 94.59 લાખ હતા. જેમાં બળદ 30 લાખ હતા.

ગુજરાત ગાયની વસતીમાં દેશમાં 1થી 10 નંબરમાં નથી પણ ભેંસની 1 કરોડ  વસતી સાથે ત્રીજા નંબર પર આખા દેશમાં છે.

પશુ સહાયની શરતો

વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચ.એફ. સિવાયની આઈડંટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે.

ઓનલાઈન અરજી કરવાની હતી.

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર થકી ઓછા ખર્ચે ખેતી, પાકની વૃધ્ધિ માટે જરૂરી ઈનપુટ બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહીવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચમાં આ સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

26 જૂન 2020માં પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં એક ગાય માટે જ સહાય લખી છે. આ સહાય તો કોરોનાની મહમારીના રૂ.66.50 કરોડના ભાગરૂપે જાહેર કરેલો હતો.

પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . ત્યારે સરકારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આ યોજના શરૂ કરી છે.

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે 32 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ 1962ની સેવા 31 જેટલા શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

25 ડિસેમ્બર 2020એ કિસાન પરિવહન યોજનાના 1000 ખેડૂત લાભાર્થીઓને સહાય, ફળ-શાકભાજી વેચતા 16500 વેપારીઓને વિનામૂલ્યે છત્રી, શેડ અપાશે. 51.34 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધી રૂ.1027 કરોડ અપાશે. દરેકને રૂ.2 હજાર અપાશે.