Gujarat leads in check bounce चेक बाउंस होने में गुजरात आगे
22 ડિસેમ્બર 2024
ગુજરાતની અદાલતોમાં ચેક પરત ફરવા અંગેના 4.73 લાખ ગુના પડતર છે. દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જાહેર કરાયું હતું કે, સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. જ્યારે મહારાષ્ટ્ર 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે.
ચેક બાઉન્સના પેન્ડિંગ કેસ સૌથી વધુ બાકી હોય તેવા ટોચના 5 રાજ્યમાં પાયલટ સ્ટડી પણ કરાવ્યો હતો. ચેક બાઉન્સ થવા માટે વિવિધ કારણો જવાબદાર હોય છે. જેમાં ચેક પર લખાયેલી રકમ બેન્ક એકાઉન્ટમાં હોય જ નહીં, ચેક આપનારનું એકાઉન્ટ જ બંધ હોવું, કોઇ શબ્દ લખવામાં ભૂલ, એકાઉન્ટ નંબરમાં ભૂલ, ઓવર રાઇટિંગ, ચેકની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય, કંપનીના ચેકમાં સ્ટેમ્પ નહીં હોવોનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ચેક બાઉન્સ કરવો દંડનીય ગુનો ગણાય છે. આ માટે 2 વર્ષની સજા અને દંડ અથવા બંનેની જોગવાઈ છે.
રાજ્ય – પડતર ગુના લાખમાં
રાજસ્થાન – 6.41 લાખ
મહારાષ્ટ્ર – 5.89
ગુજરાત – 4.73
દિલ્હી – 4.54
ઉત્તર પ્રદેશ – 3.76
૫.બંગાળ – 2.86
હરિયાણા – 2.40
મધ્ય પ્રદેશ – 1.92
તામિલનાડુ – 1.51
પંજાબ – 1.50
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ઝડપથી વધી રહ્યું છે. સામાન્ય રીતે મોટા વ્યવહારો માટે માત્ર ચેકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દંડ અને જેલ પણ થઈ શકે છે.
ચેક બાઉન્સ માટેનો દંડ 150 રૂપિયાથી લઈને 750 રૂપિયા અથવા 800 રૂપિયા સુધીનો હોઈ શકે છે. અથવા તો 2 વર્ષ સુધીની કેદ અથવા ચેકની રકમ કરતાં બમણી રકમનો દંડ અથવા બંને થઈ શકે છે.
સર્વોચ્ચ અદાલત
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં મેટ્રોપોલિટન કોર્ટમાં ત્રણ ખાસ અદાલત 2022થી ઊભી કરવામાં આવી રહી છે.
હાલમાં ચેક પરત કરવાના કેસો માટે 11 કોર્ટ ચાલી રહી છે.
નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના હેઠળ બે લાખથી વધુ કેસો પડતર હતા.
01.04.1989 થી અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન થતાં ચેકને દંડપાત્ર બનાવવામાં આવ્યા હતા. 06.02.2003 થી આ જોગવાઈઑમાં 6 માહિનામાં પૂર્ણ કરવાના રહેતા હોય છે.
2021માં દેશભરમાં પડતર કુલ 2.31 કરોડ કેસો પૈકી 35.16 લાખ કેસો માત્ર ચેક રિટર્ન અંગેના હતા.
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 202 હેઠળ સહેદોને રૂબરૂ બોલાવવો જરૂરી રહેશે નહીં. વિટનેસ એફિડેવિટ દ્વારા પોતાની જુબાની આપી શકે છે.
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 219 મુજબ જ્યારે કોઈ વ્યક્તિ 1 થી વધુ ગુનાહ 12 મહિનાની અંદર કરે તે ગુનાહને એક કેસ ગણી ચલાવવા જોઈએ. આ 12 મહિનાના “રિસ્ટરીકશન” ના કારણે કેસોની સંખ્યા વધી જતી હોય છે. ચેક બાઉન્સના કિસ્સામાં આમાં ફેરફાર જરૂરી છે અને એકજ વ્યવહાર પૈકી આપવામાં આવેલ ચેકો ભલે 12 મહિનાથી વધુ સમયના હોય તો પણ એક કેસ તરીકે ચાલી શકે છે. આમ કરવાથી કેસોની સંખ્યા ઘટાડી શકશે.
કોર્ટ દ્વારા એક કેસમાં જ્યારે સમન્સની બજવણી થઈ ગઈ હોય ત્યારે તેજ ફરિયાદી અને આરોપી ના સબંધમાં અન્ય કેસોમાં સમન્સની બજવણી થઈ ગયેલ છે તેમ માની લેવામાં આવે તેવી પદ્ધતિ લાગુ કરવાની રહે.
ચેક બાઉન્સના કેસોમાં સમન્સની બજવણી વી. જેવા મુદ્દાઑમાં ફેરફાર કરવાંની પદ્ધતિમાં ફેરફાર અંગે અભ્યાસ કરવાં તથા આ પ્રકારના કેસોમાં વધુ કોર્ટની જરૂરિયાત અંગે વિચારવા બોમ્બે હાઇકોર્ટના નિવૃત જજ R C Chauhan ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે આ બાબતો માટે પોતાનું તારણ આપશે.
ચેક બાઉન્સના કેસો ખરેખર 6 મહિના સુધીમાં પૂરા કરવા જરૂરી હોય છે. પરંતુ સમગ્ર દેશમાં ભાગ્યજ કોઈ ચેક રિટર્નનો કેસ આ સમયમાં પૂર્ણ થયો હશે.
ચેક બાઉન્સ થાય તો શું કરવું – જો ચેક બાઉન્સ થાય છે, તો સૌથી પહેલા એક મહિનાની અંદર ચેક જારી કરનારને કાનૂની નોટિસ મોકલવી પડે છે.
આ નોટિસમાં તેણે જે ચેક આપ્યો હતો તે બાઉન્સ થઈ ગયો છે, હવે તેણે 15 દિવસની અંદર તે ચેકની રકમ આપી દેવી જોઈએ. આ પછી, તમારે 15 દિવસ રાહ જોવી પડશે, જો ચેક આપનાર 15 દિવસમાં તે પૈસા ચૂકવી આપે તો ઠીક છે બાકી નોટિસ મોકલ્યા પછી પણ, જો દેવાદાર 15 દિવસની અંદર કોઈ જવાબ નહીં આપે, તો લેણદાર તેની સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની કલમ 138 હેઠળ સિવિલ કોર્ટમાં કેસ કરી શકે છે.
કોઈપણ પ્રકારનું દેવું અથવા બાકી નાણાંની પુન -પ્રાપ્તિ ન થાય તેવા કિસ્સામાં અથવા જ્યારે બે પક્ષો વચ્ચે થયેલા વ્યવહાર પછી ચુકવણી પ્રાપ્ત ન થાય, તો પછી કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. જો લોન બંધ કરવા માટે ચેક બાઉન્સ થાય તો તેની સામે કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. આવી સ્થિતિમાં, તમારે ચેક આપનાર વ્યક્તિને 2 વર્ષની કેદ અને વ્યાજની સાથે ડબલ રકમ ચૂકવવી પડી શકે છે. ધ્યાનમાં રાખો કે જ્યાં તમે રહો છો ત્યાં જ કેસ દાખલ કરવામાં આવશે.