અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશે, જ્યાં પર્યાવરણનું નખ્ખોદ કઢાય છે

अंबाजी में संगमरमर की खदानों ने बरपाया कहर, विश्व पर्यावरण दिवस मनाया जाएगा, ખાણ ખનીજ વિભાગના લિઝ માલિકો ઉપર બે હાથ

ગાંધીનગર, 2 જુન 2023

5 જૂન 2023માં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરવાની જીહેરાત સરકારે કરી છે. 10 હજાર વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની છંટકાવ કરાશે.

અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.

અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં કાર્યક્રમો યોજાશે.

ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ 5 સ્થળોએ ડોલ્ફિન શો થશે.

ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના 8 જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરાશે.

અંબાજી અભયારણ્ય

ઈકોસેન્સેટીવ ઝોનમાં ઘણી ક્વેરી અને માર્બલની ખાણો આવી ગઈ છે. છતાં ત્યાં ખોદકામ થાય છે. સરકારી અધિકારીઓ તેમની પાસેથી પૈસા પડાવે છે.

2021માં આખરી વિસ્તાર જાહેર કરાયો હતો. જંગલમાં વસતા આદિવાસીઓને હવે અન્ય સ્થળે ખસેડવા માટે જંગલ વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે. પાલનપુર ખાતે રેલી યોજી આદિવાસીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ત્રણ વન્યજીવ અભ્યારણ અને ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 50 થી વધુ ગામડાઓ તેમજ આદિવાસી સમાજનીમોટી વસ્તીનો વસવાટ છે.

વર્ષોથી તેઓ અરવલ્લીની ગિરિમાળા ઓમાં વસવાટ કરે છે. હવે જ્યારે આ વિસ્તારને ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તેમને હટાવવા માટેની કામગીરી સરકાર કરી રહી છે. વિસ્તારને સરકાર ઇકો સેન્સિટીવ ઝોનમાંથી બહાર લાવે તેવી દાંતા અને અમીરગઢ પંથકના આદિવાસી સમાજની માંગ છે.

5 વર્ષ પહેલા વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બાલારામ- અંબાજી વન્યપ્રાણી અભયારણ્યની ફરતે આવેલા બનાસકાંઠાના 133 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સામેલ કરી દીધા હતા. પાલનપુર તાલુકાનાં 8, વડગામ તાલુકાના 8, અમીરગઢના 33 અને દાંતાનાં 84 ગામોનો સમાવેશ થાય છે. હદ મર્યાદા નક્કી ન કરાય ત્યાં સુધી દસ કિલોમીટર નક્કી કરાઈ હતી.

ગુપ્ત નદીનો વિનાશ

વેદો પુરાણોમાં 60 ગુપ્ત નદીઓના ગૌ મુખ હોવાનું માનવામાં આવે છે. તેમાં એક અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના પ્રાચીન કોટેશ્વર મહાદેવથી અભિષેક કરતી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે.
465 લાખ ટન આસરનો અનામત જથ્થો ગુજરાતમાં હોવાનું સરકારે જાહેર કરેલું છે. આરસ કે ગ્રૅનાઇટ પ્રોસેસિંગના 125 એકમો છે. 2003–2004માં 95,030 મેટ્રિક ટન આસરનું ઉત્પાદન હતું. આજે તે 10 ગણું હોવાનું માનવામાં આવે છે.

અંબાજી વિસ્તાર આરસપહાણ, સંગેમરમર પથ્થર માટે જાણિતો છે. ભૂસ્તર વિભાગ દ્વારા અંબાજીમાં કોટેશ્વર, ચીખલા, જરીવાવ, ખોખર બિલ્લી જેવા વિસ્તારમાં લિઝની ફાળવણી કરી હતી. 190 હેકટરમાં માર્બલ માઇનિંગનની પરમિશન અપાઈ હતી. આરસ પહાણની 30 ખાણો આવેલી છે. જેમાંથી વાઈટ માર્બલ, સેકન્ડ વાઈટ, પેન્થર, અને અડંગો સહિતના પથ્થરો નીકળે છે, સાથે ગ્રીન માર્બલ પણ નીકળે છે. ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ છે. 259 મિલિયન ટન આસર હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં 10 લાખ ટન માર્બલ કાઢવામા આવે છે. જે દેશમાં રાજસ્થાન પછી બીજા નંબર પર છે.
ગુજરાતમાં બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, કચ્છ અને પંચમહાલ પ્રદેશોમાં આરસના વિશાળ ભંડાર છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પ્રદેશ અને વડોદરા જિલ્લામાં ચિંચપુરા પ્રદેશ આરસ ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. અંબાજીનો સફેદ આરસ તેની કોતરણીમાં દક્ષતા માટે લોકપ્રિય છે. બનાસકાંઠા જિલ્લામાં અન્ય અનામતો જારીવ, કુંભારીયા, કટેશ્વર, ભરોજ અને ખાખલા છે. વડોદરા પ્રદેશમાંથી માર્બલ લીલા, સફેદ, ગુલાબી અને ક્રીમ સહિત વિવિધ રંગોમાં આવે છે. ભરૂચનો આરસપહાણ કાળાથી લીલા અને લાલ રંગમાં બદલાય છે. કચ્છનો પીળો માર્બલ ભુલવાડા-ચિંચપુરા વિસ્તારમાં પાતળો, ક્યારેક અશ્મિભૂત અને બ્લોક આધારિત થાપણ છે.

હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ વિસ્તારમાં માર્બલના ભંડાર જોવા મળે છે.

માર્બલનો ઉપયોગ ઈમારતો, સ્મારકો અને શિલ્પોમાં વ્યાપકપણે થાય છે. સુંદરતા, શક્તિ અને આગ અને ધોવાણ સામે પ્રતિકારમાં રહેલું છે. ફ્લોરિંગ માટે, માર્બલનો ઉપયોગ 20 મીમી જાડા ચોકસાઇવાળા સ્લેબના સ્વરૂપમાં થાય છે.

માર્બલના ટૂથપેસ્ટ, પેઇન્ટ, વ્હાઇટીંગ, કૃષિ ચૂનો વગેરેમાં છે.

અંબાજીમાં ખાણના લિઝ માલિકોની નદીઓ દૂષિત કરી રહ્યા છે. માર્બલ માઇનિંગ બાદ માર્બલનો વેસ્ટ નિકળે છે તે પવિત્ર ગુપ્ત સરસ્વતી નદીમાં નાખવામાં આવે છે. નદીમાં વેસ્ટ નાખતા વન્ય પ્રાણી અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે.

વનવાસી ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. લિઝ માલિકો સાથે ખાનખાણીજ વિભાગની મિલી ભગત છે.

જંગલો નાશ પામશે. નદી ને અડાસ ઉભી થઈ છે.

સ્થાનિક લોકોએ સરકારને વારંવાર જરૂઆતો કરી છે. વન્ય જીવો અને નદી સાથે પરિયાવરણ બચાવવા પગલાંની માંગ કરાઈ છે.

અંબા વ્હાઇટ માર્બલ કે અંબે વ્હાઇટ માર્બલના નામથી પણ પ્રખ્યાત છે. 200 રૂપિયે ચોરસ ફૂટમાં સફેદ માર્બલ વેચાય છે. અંબાજી સુપિરિયર વ્હાઇટ માર્બલ બાહ્ય અને આંતરિક ફ્લોર, દિવાલ, કાઉન્ટરટૉપ અને ટેબલટૉપ માટે વપરાય છે. પથ્થરનું જીવન 10 થી 15 વર્ષથી વધુ છે જે તેને ફ્લોરિંગ માટે એક આદર્શ પથ્થર છે. ફ્લોરિંગ માટે અંબાજી સુપિરિયર વ્હાઇટ માર્બલની ખૂબ માંગ છે. અંબાજી સુપિરિયર માર્બલની પાણી શોષવાની ક્ષમતા ખૂબ ઓછી છે (0.07%). લાંબા સમય સુધી ચમકે છે અને ટકાઉપણું ધરાવે છે.

નદી વિસ્તારમાં માર્બલ વેસ્ટ ફેંકી દેવાતાં કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશ અપાતા વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સાથે મળી અંબાજીના કોટેશ્વર, જરીવાવ, ચીખલા, ખોખર, બિલ્લી વિસ્તારમાં આવેલા 35 માર્બલ માઇનિંગ એકમોમાં તપાસ કરી હતી.

ભરપૂર વન્ય સંપદા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં આવેલા પહાડોમાંથી કપચી મેટલ સહિતના બાંધકામ સંબંધીત પ્રોડક્ટ મોટી માત્રામાં મળી આવે છે.

અંબાજીના પહાડોમાંથી સફેદ માર્બલના મોટા એકમો કાર્યરત છે. અંબાજી આસપાસના ગામોમાં વર્ષોથી માઇનિંગ કરતા આ એકમોના લીધે પહાડોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. વર્ષોથી માર્બલ વેસ્ટ અહીંના આસપાસના નદી નાળામાં ફેંકી દેવાય છે. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ફરિયાદ નવી દિલ્હીના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ કરી હતી.

અહીં આવેલી વિપુલ માર્બલ, ચંદુભાઈ કે.પટેલ, રાધાસ્વામી માર્બલ, ધનેશ્વરી માર્બલ, ડી કે ત્રિવેદી એન્ડ સન્સ, વિજય માર્બલ, પ્રાંસુ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની, જેડી પટેલ, પીએફ પટેલ, ગ્રીન માર્બલ, પ્રિન્સ માર્બલ, રમાકાંત શર્મા, મોહનલાલ શર્મા, બાલાજી માર્બલ, બ્રવિમ એન્ટરપ્રાઇઝ, મનોજ ત્રિવેદી, એમ્પાયર માર્બલ, અંબાજી મિનરલ્સ, જેડી ત્રિવેદી, હરકિશન માર્બલ, જય અંબે માઈનીંગ એન્ડ મિનરલ્સ, કૈલાશ અગ્રવાલ, મહેતા માર્બલ, રાજેશ કુમાર સૈની, સુયોગ ગ્રેનાઇટ, સુધામયી માર્બલ, હિન્દુસ્તાન માર્બલ પ્રા.લી., જગદંબા માર્બલ, જય અંબે માઇનિંગ અને મોતી માર્બલને આ બાબતોથી વાકેફ કરીને નોટિસ પાઠવી દેવાઇ છે.

લીઝ માલિકોને પોતાની હદના પિલર લગાવવા જોઈએ એ લગાવતા નથી. ખાણ ખનીજ વિભાગ જ લિઝ માલિકોને છાવરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા વન અધિકારીને સમગ્ર માહિતીની જાણ થતા ખનીજ વિભાગને પત્ર લખ્યો છે.

લિઝ માલિકોને 6 શરતો સાથે લિઝ આપી છે. જેનો ભંગ કરે છે. ખાણોના લીઝધારકોએ વૃક્ષોનું વાવેતત કરવાનું હતું, જે કર્યું નથી. લિઝ માલિકો દ્વારા પોતાની મંજૂરી વાળી જગ્યા નિશ્ચિત કરવા જાણ કરાઈ હતી.

તાંબાની ખાણોની શોધ
મૂળ ધાતુ(સીસું, તાંબું અને જસત)ના નિક્ષેપો ગુજરાત અને દેશ માટે આર્થિક અને વ્યૂહાત્મક ર્દષ્ટિએ ઘણા અગત્યના છે. અંબાજી પાસે મૂળ ધાતુના મોટા નિક્ષેપો મળી આવ્યા છે. તેમાંની અનામતો 85 લાખ ટન જેટલી છે અને અયસ્કમાં મૂળ ધાતુનું સરેરાશ સંકેન્દ્રણ 1.53 % તાંબું, 3.33 % સીસું અને 5.35 % જસત જેટલું છે.
અંબાજી મલ્ટિમેટલ પ્રૉજેક્ટમાં તાંબું, સીસું અને જસતના સંકેન્દ્રણનું પ્રાયોગિક ધોરણે ખાણકાર્ય શરૂ કરેલ છે.
યાત્રાધામ અંબાજી પાસેના વિસ્તારોમાં કોપર અને બેઝમેન્ટલ મળી આવ્યા છે. કોર્પોરેશન (જીએમડીસી)એ 1400 હેક્ટર વિસ્તારમાં ખનીજ સંશોધન શરૂ કર્યું છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને ઓન ગ્રાઉન્ડ ડિઝાઇન શરૂ કરી છે. પોલિમેટાલિક ડિપોઝિટ હોઈ શકે છે. ઇલેક્ટ્રિક વિહીકલ વધારવામાં મદદ કરશે. ખનીજ જથ્થો ઈંટ્રૂઝીવ બેઝ્ડ મેસીવ સલ્ફાઇડ સ્ટાઈલ (IHMS)છે. IHMS ડિપોઝિટ બેઝ મેટલનો મુખ્ય સ્ત્રોત છે. જેમાં સીસા, જસત અને તાંબાનો સમાવેશ થાય છે અને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે. વર્તમાનમાં અમુક વિસ્તારમાં થયેલા ડ્રિલિંગ અભ્યાસ મુજબ લગભગ 6.28 ટન ખનીજ સ્ત્રોત હોવાનો અંદાજ છે, જેનો 10% જથ્થો ધાતુ પદાર્થ (તાંબુ, જસત અને લીડ સંયુક્ત) છે. હાલ રિસોર્સ મોડલનો ડેટા તૈયાર થઈ રહ્યો છે. ખાણ કામ શરૂ થશે ત્યારે ભારે પ્રદૂષણ થવાનું છે.
ડોલોમાઇટ દાંતાના અંબાજી, હડાદ, દીવાનિયા ખાતે મળે છે. અંબાજી વિસ્તારના માર્બલ પટ્ટેદારો દ્વારા આરસપહાણના સ્લૅબ તથા ટાઇલ્સ ઇટાલી અને દક્ષિણ એશિયાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
દબાણો
ખાણ માફિયાઓ સામે સરકાર કંઈ કરતી નથી પણ કાલાકારો અને આદિવાસીઓની રોજી છીનવી લઈ રહી છે. કોટેશ્વર એ ફક્ત સરસ્વતી નદી ના ગૌ – મુખ ,અને મહાદેવ મંદિર માટે જ નહિ પરંતુ શિલ્પ કારીગરી અને મૂર્તિ – મંદિર કલા માટે પ્રખ્યાત છે. મારબલ અને પથ્થરની મૂર્તિઓ અને શિલ્પોનું બજાર કોટેશ્વર ખાતે આવેલું છે. દુકાનો મારબલ મૂર્તિની હતી. અંબાજીથી કોટેશ્વર ધામ જવાના માર્ગ પર દબાણો વન વિભાગ દ્વારા દૂર કરાયા હતા. કામાક્ષી મંદિર પછી થી શરૂ થતાં રસ્તા પર ત્યાં વસતા સ્થાનિક આદિવાસી લોકો દ્વારા રસ્તા પર દબાણ કરી દુકાનો ઊભી કરવામાં આવી હતી.

દેલવાડા, રાણકપુર, કુંભારિયામાં મારબલ વાપર્યો છે, આબુ-અંબાજીમાં ખાણો છે.

19 જાન્યુઆરી 2023માં અંબાજી ‘SAPTI’ પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ‘શિલ્પ સંગમ’ થયું હતું. 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો હતો. તેમણે અંબાજીના વાઈટ માર્બલમાં અલગ અલગ પથ્થરોમાં કોતરણી કરીને સુંદર માર્બલ વર્ક કરીને વિવિધ વસ્તુઓ બનાવી હતી. જે અંબાજીમાં સ્ટેચ્યુ રૂપે મુકવામાં આવશે. અંબાજી તથા ધ્રાંગધ્રા ખાતે સ્ટોનપાર્ક ઊભા કરવાનું આયોજન કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર પટેલે આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલું કલ્પવૃક્ષની ભેટ આપી હતી. સાપ્તી સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ.

સપ્ટેમ્બર 2019માં
દાંતા અને અમીરગઢ તાલુકામાં આવેલા બાલારામ-અંબાજી વન્ય અભ્યારણમાં થઈ રહેલા ગેરકાયદે ખનન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે.

અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભાગોને 5 લાખના દંડનો હુકમ પણ એનજીટી દ્વારા કરવામાં આવ્યો હતો.

કમિટી બનાવી હતી અને વન્ય અભ્યારણ હદ વિસ્તારમાં થયેલી ખનન કામગીરી મામલે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવા, માપણી કરવા, ઉપરાંત આ એકમો સામે કાર્યવાહી કરવા દિશા નિર્દેશ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપ્યા હતા.

ક્યા લીઝ ધારકો
દાદાભાઈ હાથીભાઈ સિંધી-ચિત્રાસણી, શિવા માર્બલ-ખટાલ, શિવા માર્બલ-દાંતા, અશ્વિનકુમાર કાંતિલાલ જોશી-નવાવાસ દાંતા, ભવરસિંહ માનસિહ પરમાર-નવાવાસ દાંતા, દિનેશભાઈ માવજીભાઈ પટેલ-ચીકણવાસ અમીરગઢ, તિરુપતિ કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, અહેમદખાન એચ.સિંધી-હસનપુર, પરમ ઉદ્યોગ-ચીકણવાસ અમીરગઢ, જીએમડીસી-કુંભારિયા દાંતા, ધરતી કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, હિન્દુસ્તાન માર્બલ-કોટેશ્વર દાંતા, આર.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ચીકણવાસ અમીરગઢ, એમબી સ્ટોન સુરેશભાઈ-કોટેશ્વર દાંતા, જયઅંબે માઈનિંગ એન્ડ મિનરલ-ચીખલા દાંતા, અંબાજી મિનરલ્સ અભીષેકસિંહ-ચીખલા દાંતા, સુયોગ ગ્રેનાઈટ એન્ડ માર્બલ-ચેખલા દાંતા, એમબી સ્ટોન-ચેખલા દાંતા, બ્રવિમ એન્ટરપ્રાઇઝ-ચેખલા દાંતા, અબ્દુલખાન ભુરેખાન પઠાણ-નવાવાસ દાંતાનો સમાવેશ થાય છે. અભ્યારણ વિસ્તારની આસપાસ આવેલી 19 ક્વોરીઓ બંધ કરેલી હતી.

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યની હદથી અસપાસ 25મી એપ્રિલ 2013અદાલતના વચગાળાના આદેશ કામગીરી અટકાવી દીધી હતી. ખાણકામ પ્રવૃત્તિ. કારણ કે તેમની માર્બલ ખનિજની ક્વોરી લીઝ જંગલ કે અભયારણ્ય વિસ્તારના 1 કિમી ત્રિજ્યામાં આવે છે.

રીંછ કોરીડોર ન બનાવાયો

ભાજપની સરકારે રીંછની આવન જાવન માટે સલામત માર્ગ બનાવવાની જાહેરાત કરી હતી. તે બન્યો નથી.
ગુજરાતમાં રીંછની વસતિ મોટાભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ વડોદરા, દાહોદ પુરતી મર્યાદિત રહી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઇસરો દ્રારા ત્રણ વર્ષ સંશોધન બાદ સરકારને 16 જૂલાઈ 2018માં અહેવાલ આપ્યો હતો કે ગુજરાતમાં રીંછ માટે 6 ઇકોલોજિકલ કોરીડોર બનાવવામાં આવે. ગુજરાતના બનાસકાંઠાના જેસોર, બાલારામ, પોળોના જંગલો,  રતન મહાલ અને ઝાંબુઘોડા વચ્ચે, નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વર અને આજુબાજુના જંગલો વચ્ચે ઈકોલોજિકલ કોરીડોર બનાવવા રાજ્ય સરકારને ભલામણ કરાઇ હતી.

ગુજરાતમાં રીંછ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી આવજા કરી શકે તે માટે કુદરતી રસ્તો હોવો જરૂરી છે. આવા રીંછના છુટાછવાયા વિસ્તારો જો જોડાઈ જાય તો સિંહ કરતાં રીંછની ઓછી વસતી છે તે વધારી શકાય તેમ છે.
ગુજરાતમાં હાલ 340થી 350 રીંછની વસતી છે.

ખોરાક અને પાણીની શોધમાં માનવ વસતીમાં આવતાં રીંછ સહિતના વન્ય પ્રાણીઓને માનવ વિસ્તારમાં આવતા અટકાવી માનવ સાથેના ઘર્ષણો પણ ઘટાડી શકાશે તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.

બનાસકાઠાના 574 ચોરસ કિ.મી. વન વિસ્તારમાં રહેલા 120 રીંછ અને અન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે CCTV ટ્રેપ કેમેરા રાખવાની વાત હતી. બાલારામ જંગલમાં 59 રીંછ છે અને જેસોરમાં 62 રીંછ છે.

સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના જ રીંછ એવા છે જે માંસાહારી નથી. ઈન્ટરનેશલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની સ્લોથ બેર એક્સપર્ટ ટીમના અધ્યક્ષ અને રીંછ પર વર્ષોથી સંશોધન કરતા અધ્યાપક નિશિથ ધારૈયાએ જાહેર કર્યું હતું. ભારતમાં અને દુનિયામાં એકમાત્ર ગુજરાતમાં થતા રીંછ માંસાહારી નથી તેઓ પ્રાણી કે માણસનુ માંસ ખાતા નથી. ઉધઈ, કીડા મંકોડા જેવા સાવ નાના જંતુઓ, મધ અને દરેક પ્રકારના ફળ ગુજરાતના રીંછનો મુખ્ય ખોરાક છે.

ગુજરાતના રીંછની બીજી ખૂબી બચ્ચાને પીઠ પર રાખે છે. જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી પોતાની પીઠ પર જ રાખીને ફરે છે. દુનિયાના અન્ય કોઈ રીંછ આ રીતે પોતાના બચ્ચાનો ઉછેર કરતા નથી.

બાલારામ-અંબાજી અભ્યારણ વિસ્તારમાં રીંછ દ્વારા 18 માર્ચ 2017માં હુમલામાં એક વનપાલ સહિત ત્રણના મોત થયા હતા. વન વિભાગના બે કર્મચારીઓ સહિત પાંચ લોકોને ઇજા થઇ હતી. ભારે આતંક મચાવ્યા બાદ રીંછને ઠાર મારવામાં આવ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢના કેદારનાથમાં સાધુ પર રીંછનો હુમલો કરતા સાધુને લોહિ લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. માઉન્ટ આબુમાં બે દિવસથી રીંછના હુમલામાં ચાર વ્યકિતને ઘાયલ કર્યા હતા.