[:gj]ઓઢવ ભિક્ષુક-ગૃહના ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ[:]

[:gj]અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા  ભિક્ષુકગૃહમાં 87 ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ભીખ માંગતા  હોય તેવા ભિક્ષુકોને પોલિસ  દ્દારા પકડી લેવામાં આવે છે. ન્યાયાલય દ્વારા 1 વર્ષ સુધી આ ભિક્ષુકને સંસ્થામાં રાખવાનો આદેશ કરવામાં આવે છે. ઓઢવ  ભિક્ષુક અંતેવાસીઓમાં ગુજરાત ,રાજ્સ્થાન , મધ્યપ્રદેશ. તમિલનાડુ, ઉત્તરપ્રદેશ , આંધપ્રદેશ , મહારાષ્ટ્ર , પશ્રિમ બંગાલ , ઉત્તરાખંડ ,  કેરાલા એમ ભારતના અલગ –અલગ રાજયના રહેવાસી છે.

સંસ્થામાં કોરોના વાયરસ  કોવિડ-૧૯ના રોગનું સંક્રમણ અટકાવવા ૮૭ જેટલા ભિક્ષુક અંતેવાસીઓ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત તેમને કોરોના વાયરસના લક્ષણો વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા અને  દરેક અંતેવાસીઓને માસ્કનું  વિતરણ કરાયું હતું.[:]