[:gj]અમદાવાદમાં લાકડી રાખવા પર પ્રતિબંધ [:]

[:gj]જાહેર શાંતિ અને સલામતી જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ઉશ્‍કેરણીજનક કૃત્યો પર પોલીસ કમિશનરશ્રીએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અઢી ઇંચથી વધારે લાંબા ચપ્‍પા, શસ્‍ત્રો, દંડા,તલવાર, સોટી,બંદૂક, ખંજર, લાઠી કે અણીયાળા સાધનો રાખવા પર, પથ્‍થરો કે હાનિકારક સ્‍ફોટક પદાર્થો લઈ જવા, એકઠા કરવા કે અન્‍ય પર ફેંકવા પર શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ કે નિતીનો ભંગ થાય તેમજ રાજયની સલામતી જોખમાય તેવા ચેનચાળા, છટાદાર કે ઉશ્‍કેરણીજનક ભાષણો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે.
આ હુકમ સરકારી કામગીરી કે ફરજ પર હોય અથવા હથિયાર પરવાનગીધારક કે અધિકારી તેમજ અશક્ત વ્‍યક્તિને લાકડી-લાઠી સાથે રાખવી જરૂરી હોય તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પ્રતિબંધ તા. ૦૨-૦૧-૨૦૨૦ થી ૧૬-૦૧-૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.[:]