[:gj]આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહીં રહે, રૂપાણીનો વાયદો[:]

[:gj]

ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક અને યુવતિ અંગેના અહેવાલ અંગે વિચારણા કરવા કહ્યું છે. આ પ્રકારના દંપત્તિ સરકારની યોજનાઓનો ઉપયોગ કરી શકે છે. યુવતિના માતા-પિતા પાસે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (એનઓસી) પ્રાપ્ત કરવા માટે કોઇ અધિકારી મજબૂર નહીં કરી શકે. સબંધિત વિભાગને ઉચિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવશે.

રાજ્યની ડો સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ એક લાખ રૂપિયાની સરકારી સહાય કરવામાં આવે છે. આ સહાય ત્યારે જ મળી શકે છે કે જ્યારે યુવક કે યુવતિ બન્નેમાંથી એક દલિત સમુદાયમાંથી હોય. આ સહાયમાં 50 હજાર રૂપિયાના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવે છે જ્યારે બાકીના 50 હજાર રૂપિયાની ઘરવખરી આપવામાં આવે છે.

2019ના વર્ષમાં એકમાત્ર અમદાવાદમાં 175 દંપત્તિઓને આ યોજના હેઠળ 97.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. કેટલાક દંપત્તિઓના કેસમાં એવું જોવામાં આવ્યું છે કે સરકારી સહાયની યોજનાનો લાભ આપવા માટે જિલ્લા સ્તરના અધિકારીઓ કન્યાના માતા-પિતા પાસે એફિડેવિટ અથવા સોગંદનામું માગે છે જે અનિવાર્ય દસ્તાવેજોમાં એક છે અને તેઓને એનઓસી આપવી પડે છે.

[:]