[:gj]નોટબંધીને 824 દિવસ પછી પણ જુની નોટો પકડાઈ રહી છે[:]

[:gj]નોટ બંધીને 824 દિવસ થયા પરંતુ હજુ અમુક લોકોએ છુપાવેલા નાણા હજું પકડાઈ રહ્યા છે, પોતાની જુની નોટો દઈને નવી નોટો આપવાની લાલચે ફસાઈ જતા હોય છે, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંધ થયેલી 1000 અને 500 રુપિયાની ત્રણ કરોડની નોટો સાથે ચાર લોકોને દબોચવામાં આવ્યા છે,

મુંબઈથી 7% મા લઈને નવસારી માં 10% માં નવી કરંસી આપવાની હતી, પરંતુ ગુજરાત પોલીસ અને તંત્ર માટે એક મોટો સવાલ એ છે કે ગુજરાતમાં કોણ જુની નોટો લઈને નવી નોટો આપી રહ્યા છે, જો આવા વહીવટ અત્યારે થતા હોય તો નોટબંધીનો આમ પ્રજા ને શું ફાયદો થયો એ મોટો સવાલ છે, પરંતુ પોલીસે ત્રણ કરોડની નોટો ઝડપી પાડી એ ખુબ સારી કામગીરી છે પરંતુ જુની નોટો લઈ ને નવી નોટો એટલેકે કે નવી કરંસી કોણ દેવાનુ હતુ તે પોલીસ માટે ખુબ તપાસનો વિષય છે, વળી કરોડો રૂપિયાની જૂની નોટો નવીમાં બદલવામાં કોઈ મોટા માથા હશે તો તેના નામો બહાર આવશે કે ભીનું સંકેલાઈ જશે તેવી લોકમુખે ચર્ચા પણ જોવા મળી રહી છે.

નવેમ્બર 2016માં 500 અને 1000ની ચલણી નોટ રદ કરી હતી, નોટબંધીનાં બે વર્ષ બાદ પણ રદ થયેલી નોટો પકડાતાં ગુજરાત પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના એક રિપોર્ટ પ્રમાણે, નોટબંધી બાદ ચલણમાં રહેલી 99% નોટો મધ્યસ્થ બૅન્ક પાસે પરત આવી ગઈ હતી. કમિશન લઈ સોનાના બદલામાં નવી નોટો બદલી આપી હતી.

ખટોદરામાંથી 3.16 કરોડ રૂપિયાની પાંચસો અને હજારની જૂની નોટો પકડાઈ હતી. મુંબઈથી બારડોલી થઈને લતીફ શેખ રાજસ્થાનના ગંગારામ રાજપૂત સાથે અહીં જૂની નોટ મહમદ શેખને આપવા આવ્યો હતો. નોટો શેનામાટે ગુજરાત લાવ્યા હતા, એની તપાસ ચાલુ છે.

કેટલાક લોકો ૨૦૧૭માં નેપાળ જઈ ભારતીય ચલણ બદલી આપવાના બહાને લોકો પાસેથી પૈસા લેતા હતા, પરંતુ નેપાળમાં પણ ભારતીય કરન્સી બદલાતી નથી અને અમે એવા લોકો ને પકડ્યા છે. બે વર્ષ બાદ આ પ્રકારે જૂની નોટ સાથે લોકો પૈસા બદલવા આવે છે, એ  નવી બાબત છે.

મોરારજી દેસાઈના સમયમાં રદ થયેલી 1000ની નોટનો ભાવ અત્યારે રૂ. 50,000 છે. તેમ જૂની નોટ એન્ટીક સંગ્રાહકો રાખી રહ્યાં છે. બર્થડે ગીફ્ટમાં પણ આપે છે. એન્ટિક ચીજો ખરીદતા લોકો આટલી મોટી માત્રામાં રદ થયેલી નોટો ન ખરીદે. સંખ્યાબંધ લોકોની રદ થયેલી નોટો બદલવાના આરોપસર ધરપકડ કરાઈ છે.

ગુજરાતમાં ૨૯ નવેમ્બરે જમીન દલાલ મહેશ શાહે એમના સીએ તાહેમુલ શેઠ થકી ૧૩,૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરીને ટૅક્સ ભરવાની તૈયારી બતાવી હતી.
ડિસેમ્બર ૨૦૧૬માં ૨૭ બૅન્ક એકાઉન્ટ ધરાવતા સુરતના કિશોર ભજિયાવાળાની અટકાયત થઈ હતી અને તેમણે ૨૧૨ લોકોને તેમના બૅન્ક ખાતામાં પૈસા જમા કરાવવા માટે કમિશન આપ્યું હતું.
૨૨ નવેમ્બર ૨૦૧૬માં કમિશન લઈ જૂની રદ થયેલી નોટોના બદલે સોનું આપવા બદલ અમદાવાદની સેટેલાઇટ પોલીસ દ્વારા ૧૦ લાખની જૂની નોટ અને સોના સાથે ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી.
ડિસેમ્બર 2016માં 45% કમિશન લઈ જૂની નોટ બદલી આપવા બદલ જામનગરમાં રાજુ માડમની ધરપકડ થઈ હતી.
28 મે 2017માં જૂની નોટ બદલવાનો કાયદેસરનો સમય વીતી ગયા પછી સુરતમાંથી એક કરોડ રૂપિયાની જૂની નોટ સાથે ભાવનગરથી નોટ બદલાવવા આવેલા ચાર લોકોની ધરપકડ કરાઈ હતી.
3 નવેમ્બર 2017ના રોજ જામનગરમાંથી મોહમ્મ્દ સિદીક કુરેશી બે કરોડની રૂપિયાની નોટ સાથે પકડાયો હતો.
7 ડિસેમ્બર 2017ના રોજ ભરૂચના પાનોલીમાં બિલ્ડીંગ મટીરિયલનો ધંધો કરનાર પાસેથી રૂપિયા 50 લાખની જૂની નોટ પકડાઈ હતી.
31 ડિસેમ્બર 2017એ કમિશન લઇને જૂની નોટ બદલવા નીકળેલા કિરીટ ગાંધીની વડોદરાની માંજલપુર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
17 જાન્યુઆરી 2018ના દિવસે અમદાવાદના ચાંદખેડામાં એક કરોડ રૂપિયાની જૂની નોટ બદલવા માગતા રાજેશ પરમાર સહીત ત્રણ લોકોની અટકાયત કરાઈ હતી.
ઑગસ્ટ 2018માં મુંબઈથી ગુજરાતમાં નોટ બદલાવવા આવેલા લતીફ અને એના સાગરીતની સુરત પોલીસ દ્વારા ત્રણ કરોડ ૧૬ લાખની નોટ સાથે અટકાયત કરાઈ હતી.[:]