[:gj]મેયર કહે છે, રાઈડ તૂટી તેની અમારી કોઈ જવાબદારી નથી [:]

[:gj]અમદાવાદના કાંકરીયા ખાતે રવિવારે રાઈડ તૂટી પડવાની બનેલી ગંભીર દુર્ઘટનામાં પણ શહેરના મેયર બિજલ પટેલે બે જવાબદારી ભર્યુ નિવેદન કરતા કહ્યુ કે, આ સમગ્ર ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની જવાબદારી બનતી નથી. આ અંગે કોઈ ચોકકસ નિતી નથી પણ આગામી સમયમાં અધિકારીઓ સાથે બેઠક કરીને નીતિ ઘડી નાંખવામાં આવશે. 

નૈતિક જવાબદારી સ્વિકારવાનું કૌંગ્રેસે કહ્યું ત્યારે મેયરે આ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં અધિકારીઓ સાથે બેઠક કરીશું. તેથી તેમની સામે કોઈ પગલાં લેવાનું નહીં બને. સરકારના રસ્તા અને મકાન વિભાગનો અહેવાલ જો 6 જૂલાઈએ મળ્યો હોત તો આ ઘટના નિવારી શકાઈ હોત. 

આમ મેયરે બે જવાબદારી ભર્યા નિવેદનો કર્યા હતા. [:]