[:gj]ખાતર કૌભાંડ છતાં GSFC કહે છેે, ભેજ જવાબદાર, ઓછા વજનનો ઈરાદો ન હતો[:]

[:gj]ડીએપી ખાતરની ઘટ બાબતે જીએસએફસીનું અક્ષ:નિવેદન

જી.એસ.એફ.સી 57 વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે.
કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે હોઈ શકે. ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરનાં (એફ્સીઓ) ધારાધોરણ મુજબ ડીએપી ખાતરમાં મહત્તમ 2.50  ટકા ભેજનું પ્રમાણ થઈ શકે આ ભેજ હવામાનના તાપમાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમ્યાન ઘટે છે. અમારી ગણત્રી મુજબ 50 કિલો ડીએપીની બેગમાં 100થી 150 ગ્રામ વજનનો ઘટાડો ભેજ ઉડવાનાં કારણે આવી શકે. આમ થવા છતાં ડીએપીમાં રહેલા જરૂરી તત્વોનાં પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી.

વજન ઘટની જે કોઈ ખેડૂતભાઈઓની ફરીયાદ આવેલી છે. તેને ચકાસતા પ્રથમ દ્રષ્ટીએ માલુમ પડેલ છે, કે થેલીઓ સાથે કોઈ છેડછાડા કરવામાં આવેલ નથી. સરવાળે કોઈ કૌભાંડની શંકા રહેતી નથી.

હાલમાં ખેતી માટે ખાતર વપરાશની સીઝન ન હોવાને કારણે કંપની એ જાન્યુઆરીથી માર્ચ-2019ના ગાળામાં વેચેલા ડી.એ.પી. કુલ- 80 હજાર મેટ્રીક ટનના જથ્થામાંથી વધુમાં વધુ આશરે 10% એટલે કે 8000 મેટ્રીકટન જેટલો જથ્થો ખેડૂત સુધી પહોંચ્યો હશે, જેમાં તમામ થેલીઓની 300 ગ્રામ લેખે ઘટ ધ્યાનમાં લેવામાં આવે તો પણ તેની રકમ આશરે રૂ.16 લાખ ગણી શકાય.

મહદઅંશે ટેકનીકલ ખામીને કારણે આવું બન્યુ છે. ભવિષ્યમાં આવું ન બને તે માટે બે ઉચ્ચસ્તરીય કમિટી નિમવામાં આવેલી છે, જે એક અઠવાડીયામાં તેનો રીપોર્ટ રજુ કરશે અને આ બાબતે સુચનો જણાવશે.

ઓટોમેટીક વજન ચકાસણી વાળા પ્લાંટમાં એક તકેદારી રૂપે રેન્ડમ ચેકીંગ થતુ હતું તેના બદલે દરેક થેલીનું વજન weigh in motion Technology મારફતે કરવામાં આવશે જે માનવીય ત્રૃટી રહીત હશે.

દરેક થેલીનું દરેક સમયે ડીજીટલ પ્રીન્ટ્રીગ મારફતે ભરતીની તારીખ અને સમય જેવી વિગતો છાપવામાં આવેશે જેથી કરીને થેલીઓની ભરતીનો ચોકકસ સમય માલુમ કરી શકાય કંપનીએ તમામ રીટેલ આઉટલેટ ઉપર ઈલેકટ્રોનિક વજન કાંટા લગાવ્યા છે. આ બાબતની સૂચના ડીસ્પલે કરવામાં આવશે જેથી કરી વેચાણ સમયે એક એક થેલીનું વજન કરીને વેચી શકાય. આમ છતા કોઈ વીક્રેતા અથવા ખેડૂત પાસેથી કોઈપણ વજન બાબતેની ફરિયાદ આવે તો કંપની તેને નિયત વજનવાળી થેલીથી બદલી આપવા માંટે બંધાયેલી છે, અને બદલી આપશે.

ટીપ્પણી – ઊભા થતાં પ્રશ્નો

1 – શું 9 લાખ મેટ્રીક ટન જથ્થામાં ભેજના કારણે 300થી 750 ગ્રામ ઘટ આવે છે ?

2 – અગાઉના વર્ષોમાં જે ખાતર વેચાતું હતું તેમાં પણ આ ઘટ આવે છે ?

3 – જે ઘટ આવે છે તે કાયદા માન્ય છે ?

4 – જો તમામ ખાતરમાં ઘટ આવતી હોય તો પછી વજન કેમ 50 કિલો લખવામાં આવે છે ?

5 – જો 2.50 ટકા વજન ઘટી જતું હોય તો તે પેકીંગ પર લખવામાં કેમ આવતું નથી ?

6 – જો વજન કાયદા માન્ય હોય તો પછી શા માટે ખેડૂતોની થેલી બદલી આપવામાં આવી રહી છે  ?

7 – કંપની કહે છે કે, 150 ગ્રામ વજન ઘટી શકે છે. જે વજન ઘટેલું છે તે કોઈ કૌભાંડ નથી. તો શું છે ? કૌભાંડ તો છે જ.

8 – કંપનીએ કબુલ કર્યું છે કે વજન માવનામા કાંટામાં ખામી હતી. તો પણ કંપની સામે પૂરવાઠા વિભાગ અને કૃષિ વિભાગે ગુનો દાખલ કેમ ન કર્યો ?

9 – કંપનીમાં વજન કરવાની જવાબદારી છે તે અધિકારી અને એમડી સામે કેમ પગલાં ન લેવાયા  ?[:]