ગુજરાતમાં મહામારીની તમામ વિગતો

તા.૦૪.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક

ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસઆજના મરણઆજના ડીસ્ચાર્જ
૧૦૦૧૦૪

 

ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૧૦

 

ક્રમઉમરજાતિજીલ્લોપ્રવાસની વિગતહોસ્પિટલનું નામ
૫૫સ્ત્રીભાવનગરલોકલ ટ્રાન્સમીશનસર.ટી.હોસ્પિટલ ભાવનગર
૩૪સ્ત્રીભાવનગરલોકલ ટ્રાન્સમીશનસર.ટી.હોસ્પિટલ ભાવનગર
૪૮સ્ત્રીગાંધીનગરલોકલ ટ્રાન્સમીશનજી.એમ.ઇ.આર.એસ. ગાંધીનગર
૨૯પુરુષગાંધીનગરલોકલ ટ્રાન્સમીશનજી.એમ.ઇ.આર.એસ. ગાંધીનગર
૫૫પુરુષઅમદાવાદલોકલ ટ્રાન્સમીશનએસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ
૩૫સ્ત્રીઅમદાવાદલોકલ ટ્રાન્સમીશનસિવીલ હોસ્પિટલ અમદાવાદ
૬૯પુરુષઅમદાવાદલોકલ ટ્રાન્સમીશનએસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ
૪૦પુરુષઅમદાવાદલોકલ ટ્રાન્સમીશનસિવીલ હોસ્પિટલ અમદાવાદ
૩૦સ્ત્રીઅમદાવાદલોકલ ટ્રાન્સમીશનએસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ
૧૦૪૭પુરુષપાટણમુંબઇજી.એમ.ઇ.આર.એસ. પાટણ

 

 

ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ મરણની વિગત- ૦૧

ક્રમઉમરજાતિહોસ્પિટલનું નામઅન્ય બિમારીની વિગત
૬૭સ્ત્રીએસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદઅસ્થમા, ફેફસાની બિમારી

 

 

 

ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત- ૦૪

ક્રમઉમરજાતિહોસ્પિટલનું નામ
૨૭સ્ત્રીએસ.એસ.જી હોસ્પિટલ વડોદરા
૮૦સ્ત્રીજી.એમ.ઈ.આર.એસ., ગાંધીનગર
૫૦પુજી.એમ.ઈ.આર.એસ., ગાંધીનગર
૨૩સ્ત્રીજી.એમ.ઈ.આર.એસ., ગાંધીનગર

 

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત

 

ક્રમઅત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દીદાખલ દર્દીડીસ્ચાર્જમૃત્યુ
વેન્ટીલેટરસ્ટેબલ
૧૦૫૦૦૮૧૧૪૧૦

 

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

૨૫૭  કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ

ક્રમહોમ કોરોન્ટાઇનસરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇનપ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇનકુલ કોરોન્ટાઇન સંખ્યાએફ.આઇ.આર. ની સંખ્યા
૧૪૫૨૦૯૮૬૨૭૧૧૫૭૭૭૪૧૮

 

લેબોરેટરી પરીક્ષણની વિગત

કુલ ટેસ્ટપોઝીટીવનેગેટીવપેન્ડીંગ
૨૧૩૯૧૦૫૨૦૧૮૧૬

 

જિલ્લોકેસમૃત્યુ
સંખ્યાપ્રવાસની વિગતસંખ્યાપ્રવાસની વિગત
વિદેશઆંતર રાજ્યલોકલવિદેશઆંતર રાજ્યલોકલ
અમદાવાદ૪૩૧૫૨૧
સુરત૧૨
રાજકોટ૧૦
વડોદરા
ગાંધીનગર૧૩૧૧
ભાવનગર
કચ્છ
મહેસાણા
ગીર-સોમનાથ
પોરબંદર
પંચમહાલ
પાટણ
કુલ૧૦૫૩૩૧૦૬૨૧૦

 

રોગની પરીસ્થિતિ

કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
 વિશ્વભારતગુજરાત
નવા કેસ૭૫૮૫૩૨૪૬૧૦
કુલ કેસ૯૭૨૩૦૩૨૫૪૭૧૦૫
નવા મરણ૪૮૨૩૦૬૦૧
કુલ મરણ૫૦૩૨૨૬૨૧૦

 

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

 

  • કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૧૪/૦૪/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

 

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે માન.મુખ્યમંત્રીશ્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે  તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૦૩/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૯૭ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૪૪૮ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. ૧૪૯ બાળકોને દવાઓ આપવામાં આવી છે.
  • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
  • રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. તા.૦૨/૦૪/૨૦૨૦ સુધી ૩૨,૦૨૮ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૫૪૮ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.

વેન્ટીલેટર કેર તાલીમ

  • રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૩/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.

 

૧૧૦૦ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા

  • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન, ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
  • વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.
  • તા.૦૩/૦૪/૨૦૨૦ બપોરે ૨ : ૦૦ વાગ્યા સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૯૭૮ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૪૩૦૦ થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ૧૦૦૦ થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
  • રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા TeCHO Application શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૧૧૨ જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
  • રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
  • રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં ૪૬૫૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
  • રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક

  • ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પી.પી.ઇ. કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે.
  • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે.
  • COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.

માનવ સંસાધન

  • COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત તા.૩૧.૦૩.૨૦૨૦ અને તા.૩૦.૦૪.૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ તા.૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે તબીબોની અછત ઘટાડવા ૧૧ માસના કરારીય ધોરણે નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. જેના પરીણામે પણ રાજ્યમાં વધુમાં વધુ તબીબોની ઉપલબ્ધિ થશે.