હું ભાજપમાં જવાનો નથી, 25 કરોડ સાથે પ્રધાન બનાવતાં હતા, છતાં નથી ગયો, ભીખા જોષી

BHIKHA JOSHI
BHIKHA JOSHI

જવાહર ચાવડા પહેલા મને મંત્રીપદ અને 25 કરોડની ઓફર થયેલી’ કોંગ્રેસના MLAનો દાવો

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021

જૂનાગઢમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ હાજરી આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેમનું નામ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું હતું.  જૂનાગઢમાં બાકી કામોની ભલામણ કરવાની હતી એટલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયા હતા. બાકી તેઓ કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસની સાથે રહીને પાર્ટીનું ઋણ ચૂકવવાના છે.

આ બાબતે ધારાસભ્ય ભીખા જોશીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિંહદર્શન માટે સરકારી વકીલને કહીને કેસનો ઝડપથી નિકાલ થાય તેવી રજૂઆત કરી છે. જૂનાગઢ આખું ખોદી નાંખ્યું છે, એટલે જૂનાગઢની પ્રજા દુ:ખી છે.

ભાજપમાં જોડાવા બાબતે ભીખા જોશીએ જણાવ્યું હતું કે, ભૂતકાળ કે ભવિષ્યમાં ક્યારેય આ શક્ય જ નથી. મને આની પહેલા કેબીનેટ મંત્રી અને 25 કરોડ રૂપિયાની ઓફર થઇ ગઈ છે. પણ આ ઓફરને મેં ઠુકરાવી છે. મને ઓફર થઇ હતી તે બધે આવી ગયું છે. જવાહર ચાવડા પહેલા મને કેબીનેટ મંત્રીની ઓફર થઇ હતી. એટલે ભાજપમાં જવાનો કોઈ વિચાર નથી. મારા ખીચ્ચામાં પાંચ પૈસા ન હોતા તે સમયે મને ત્રણ-ત્રણ વખત કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યો છે. એટલે મારે કોંગ્રેસનું ઋણ ચૂકવવાનું છે.

આ અગાઉ તેમણે કહ્યું હતું કે, પહેલા ભાજપમાં હતો, હવે પહેલા જેવું ભાજપ નથી.

અગાઉ આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, કરોડો રૂપિયા, લોભ, લાલચ આપીને ધારાસભ્યોને ખરીદવામાં આવે છે.  કેટલાક કોંગ્રેસના મિત્રોએ લાલચમાં આવીને રાજીનામા આપ્યા છે.

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.

અગાઉ શહેર કોંગ્રેસ વિનુ અમીપરાએ રાજીનામુ આપી દીધું હતું. જૂનાગઢ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી પક્ષથી નારાજ હતા. સમર્થક કાર્યકર્તાઓને ટીકીટ નહીં મળતાં નારાજ થયા હતા.

ભીખા જોશીએ દાવો કર્યો હતો કે મેં કોંગ્રેસ પ્રત્યેની વફાદારી ક્યારેય છોડી નથી. ભાજપ તરફથી 25 કરોડ અને મંત્રીપદનો પ્રસ્તાવ હોવા છતાં મેં કોંગ્રેસ છોડી નથી. પરંતુ હવે પાર્ટીના જ કેટલાક લોકો મારી રાજનીતિનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નિરીક્ષકો મારી પાસે આવ્યા અને મને યાદી આપી હતી અને કહ્યું હતું કે આ બધાની ટિકિટ ફાઇનલ છે. મેયર પદ માટે મારે ફોર્મ ભરવાનું હતું તે છતાં અમારી બધાની ટિકિટ કાપી હતી.

આ પણ વાંચો નસસનાટી

કોણ છે ભીખાભાઈ ? હું રાજકીય ભીખારી નથી

ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રૂ.25 કરોડમાં ખરીદવા ઓફર કરી

ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા

ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી

ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા

તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી

જુનાગઢ – જુમપાની ચૂંટણી અમારા ટેકેદારો અને પસંદ કરેલાં તમામની ટીકિટ કાપી કાઢવામાં આવી