[:gj]ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા[:]

Gujarat's population increased by 71 lakh, an increase of two thousand per day

[:gj]પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, કે વર્ષ ૨૦૨૧માં ગુજરાત રાજયની વસતી ૬.૬૧ કરોડને પાર થઇ જશે. ૩.૫૦ કરોડ પુરૂષો, જ્યારે ૩.૧૧ કરોડ મહિલાઓ હશે. ૨૦૧૧માં રાજયની કુલ વસતી ૫.૯૦ કરોડ હતી. જેમાં ૩.૧૦ કરોડ પુરૂષ અને ૨.૮૦ કરોડ મહિલાઓ હતી. રોજ 1945 લોકોની વસતી વધી રહી છે. 10 વર્ષમાં 71 લાખનો વધારો થશે જે દર વર્ષે 7 લાખની વસતી ઉમેરાય છે. જેમાં 4 લાખની વસતી શહેરોમાં ઉમેરાય છે.

૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચી જવાનો અંદાજ છે. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં વસતીમાં ૭૦ લાખનો વધારો થઇ શકે છે. તો, આગામી ૨૦૨૬ના વર્ષ સુધીમાં ગુજરાતની વસતી ૭ કરોડના આંકને વટાવી જશે તેવો અંદાજ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે., જેને પગલે રાજયમાં વધી રહેલી વસતીને લઇ સરકાર સહિતના સત્તાવાળાઓ પણ આ સંવેદનશીલ મુદ્દા પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર બન્યા છે. રિપોર્ટમાં અંદાજવામાં આવેલી વિગતો મુજબ, આગામી ૨૦૨૧માં ગુજરાતની કુલ વસતીના ૫૭,૧૬,૦૦૦ ૨૫થી ૨૯ વર્ષની વયના યુવાન હશે. જ્યારે ૨૦થી ૨૪ વર્ષના ૫૫,૭૬,૦૦૦ યુવાનો હશે.

૦થી ૪ વર્ષની ઉમરના બાળકોની સંખ્યા ૪૭,૩૧,૦૦૦ હશે. આ ઉપરાંત ગુજરાતમાં ૨૦૨૧માં ૮૦ વર્ષથી વધુ વયના ૮,૩૯,૦૦૦ વડીલો હશે. જેમાં ૩,૩૨,૦૦૦ પુરૂષો અને ૫,૦૭,૦૦૦ મહિલાઓ હશે. જ્યારે ૬૦થી ૬૪ વર્ષની વયના ૨૬,૩૭,૦૦૦ આધેડ હશે. જેમાં ૧૩,૪૨,૦૦૦ પુરુષો અને ૧૨,૯૫,૦૦૦ મહિલાઓ હશે. જા ૨૦૨૧ના વર્ષમાં ગુજરાતમાં બાળકો અને કિશોરોની સંખ્યા જોવામાં આવે તો ૫થી ૧૮ વર્ષની વયના કુલ ૧,૪૫,૨૯,૦૦૦ જેમાં ૭૯,૬૫,૦૦૦ કિશોર જ્યારે ૬૫,૬૪,૦૦૦ કિશોરીઓ હશે. ૫થી ૧૮ વર્ષની વયના બાળકોની સંખ્યા પૈકી ૫ વર્ષની વયના કુલ ૯,૮૭,૦૦૦ બાળકો જ્યારે ૧૮ વર્ષની વયના ૧૦,૮૬,૦૦૦ યુવાનો હશે. ૨૦૨૧થી ૨૦૨૫ના વર્ષમાં ગુજરાતની પ્રજાની મૃત્યુની વયમર્યાદા આશરે પુરૂષો માટે ૭૧.૯ વર્ષ અને મહિલાઓ માટે ૭૪.૯ વર્ષ આંકવામાં આવી છે.

રાજ્યનો વસતી વધારાનો દર ૨૦૦૧થી ૨૦૦૫માં ૧.૬ ટકા હતો. ૨૦૦૬થી ૨૦૧૦માં ૧.૪ ટકા અને ૨૦૧૧થી ૨૦૧૫માં ૧.૩ ટકા જ્યારે ૨૦૧૬થી ૨૦૨૦માં ૧.૦ ટકા અને આગામી ૨૦૨૧થી ૨૦૨૫માં ગુજરાતનો વસતી વધારા દર ઘટીને ૦.૯ ટકા થવાનો અંદાજ છે. રિપોર્ટના મહત્વના તારણોને લઇ સરકાર સહિતના સત્તાવાળાઓએ પણ હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૭૧ હજાર ૭૭૪ બાળકોનો જન્મ થયો છે. જ્યારે ૧૫ હજાર ૧૩ બાળકોના મોત નિપજ્યા છે. સરકારી આંકડાઓ મુજબ દર ૨ દિવસે ૪૧ બાળકોના મોત થાય છે. એટલે કે રોજ ૨૦થી વધુ બાળકોનું સરકારી હોસ્પિટલમાં મોત નિપજે છે. જેમાં સૌથી વધુ ૪ હજાર ૩૨૨ બાળકો અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.[:]