[:gj]લૂ જેવા સહેજ પણ લક્ષણ જણાય તો કર્મચારીને રજા આપવા આદેશ[:]

[:gj]ગાંધીનગર, 2 એપ્રિલ 2020

લૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ ( Covid – 19 ) , લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine કે self – quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી. ગુજરાત માટે આ એક વિક્રમ છે.

કોઈ કર્મચારી, અધિકારીને લૂ જેવા લક્ષણો જણાતાં હોય અને પોતે Self – quarantine રહેવા માગતા હોય , તેવા કર્મચારી , અધિકારીની રજાઓ મંજૂર કરવી, એમ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દવાનીએ તમામ વિભાગોને આદેશ આપ્યો છે.

તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાઈરસ ( Covid – 19 ) સંબંધમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

કર્મચારી, અધિકારીઓ તેમજ સંબંધિત સર્વે કચેરીઓને Health advisory નોવેલ કોરોના વાઈરસ ( Covid – 19 ) આપવામાં આવી છે.

Do ‘ s & Don ‘ ts ( શું કરવું અને શું ન કરવું ) પરિપત્રિત કર્યા છે . કર્મચારીઓને નોવેલ કોરોના વાઈરસ ( Covid 19 ) ચેપી રોગનું સંક્રમણ ન થાય તે માટે પૂરતી તકેદારી લેવા દરેફ કચેરી | સંકુલ / સચિવાલયના દરેક બ્લોકના પ્રવેશદ્વાર નજીકમાં યોગ્ય જગ્યાએ Hand Sanitizer માર્ગ અને મકાન વિભાગ તેમજ સંકુલની સંબંધિત કચેરીઓએ ફરજિયાતપણે મુકવું .

અધિકારીઓની રૂબરૂ મુલાકાત , બેઠક વગેરે ટાળી વીડીયો કોન્ફરન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો. બિનજરૂરી સરકારી પ્રવાસી ટાળવા સંબંધમાં સૂચના આપવી. નોવેલ કોરોના વાઈરસ ( Covid – 19 ) ના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં વધુમાં વધુ Correspondence સરકારી ઈ – મેઈલ પર થઈ શકે તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી.

દરેક વહીવટી વિભાગની મહેકમ શાખાએ સુનિશ્ચિત કરવું કે ટપાલોનો સ્વીકાર તેમજ પહોંચ રજીસ્ટ્રીના એન્ટ્રી પોઈન્ટ પર શક્ય હોય ત્યાં સુધી રાખવા . જેથી કરીન રજીસ્ટ્રીના પ્રિમાઈસીસમાં પણ બિનજરૂરી અવર – જવર ટાળી શકાય ,

યોગા કેન્દ્રો , ફિટનેશ સેન્ટર – જીમ વગેરે તાત્કાલિક ધોરણે બંધ કરવા . સ્વચ્છતા તેમજ સેનીટાઈઝેશનની પૂરતી સુવિધા ઉપલબ્ધ રહે તે માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત કચેરીએ સુનિશ્ચિત કરવું.[:]