[:gj]’નલ સે જલ’ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મહત્વના નિર્ણયો[:]

[:gj]વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સંકલ્પ ‘નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.31 ડિસેમ્બર-2020 સુધીમાં માત્ર રૂ. 500ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે.

એટલું જ નહિ, તેમણે એવો નિર્ણય કર્યો છે કે નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે.

વિજય રૂપાણીએ રાજ્યના ૮ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, સચિવ લોચન શહેરા તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. કમલ શાહ, રાવલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહિવટી કામોનો નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ.

આ સંદર્ભમાં તેમણે એમ પણ જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે નિયમીત બેઠકો યોજીને તથા આપસી સંકલન કેળવીને રોજબરોજના કામોની ચર્ચા-નિકાલ માટે બિઝનેસ મિટીંગ થાય અને સમીક્ષા કરાય તેવી વ્યવસ્થાઓ મ્યુનિસિપલ કમિશનરો ગોઠવે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સારા માર્ગો-રસ્તાઓ ગુજરાતની ઓળખ છે ત્યારે વર્ષારૂતુમાં વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ પૂર્વવત બને તે માટેની કાર્યવાહીની પણ મુખ્યમંત્રીએ તાકિદ કરી હતી.

મુખ્યમંત્રીએ નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા સહિતના કામો માટે આયોજનબદ્ધ લક્ષ્યાંક નિર્ધારીત કરીને કામગીરી કરવાની રિજીયોનલ મ્યુનિસીપાલિટીઝ કમિશનરોને તાકિદ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, આ કમિશનરો સરકાર અને મ્યુનિસિપાલિટીઝ તંત્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવે છે તેથી પેન્ડીંગ કામોના નિકાલ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટરના કામો સફાઇના કામો સંપૂર્ણ તાકાતથી ગિયર અપ થાય તેવું તેમણે સુનિશ્ચિત કરવું પડશે.

વિજય રૂપાણીએ નગરો-મહનગરોમાં ટી.પી., ડી.પી.ની પરવાનગીમાં રાજ્ય સરકારે જે ઝડપી કાર્યવાહી કરીને યુદ્ધના ધોરણે તેનો નિકાલ કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તે જ રીતે ટી.પી સ્કીમ નો ડ્રાફ્ટ મંજૂર થાય એટલે તરતજ અમલીકરણ ની કામગીરી શરૂ થાય  ખાસ કરીને રસ્તાની જમીન ના સત્તા મંડળ લઇ લે અને આંતર માળખાકીય સુવિધા ના કામો માટે જરૂરી કામગીરી કરે તેવું સૂચન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને ફેઇસ લેસ વ્યવસ્થાઓ નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન કરીને વિકસાવવા સમયાનુકુલ કાર્યવાહીના સેટ અપ માટે પણ આ બેઠકમાં હિમાયત કરી હતી.

તેમણે કહ્યું કે સરકાર ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ વિકસાવી ટ્રાન્સપેરન્સી અને ઝડપી નિર્ણયોથી આગળ વધી રહી છે તે સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ કદમ મિલાવતી અનુરૂપ સુવિધાઓ ઊભી કરવી જોઇએ.

મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોમાં વપરાયેલા ગંદા પાણીના શુદ્ધિકરણથી મહત્તમ રિ-યુઝ ઓફ ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે પણ આ બેઠકમાં પ્રેરણા આપી હતી.

શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ  મૂકેશ પૂરીએ નગરો-મહાનગરોના સત્તાતંત્રોની કામગીરી, નિર્ધારીત લક્ષ્યાંક અને પ્રગતિની સમગ્ર બાબતોની છણાવટ કરતું પ્રેઝન્ટેશન બેઠકમાં રજુ કર્યુ હતું.[:]