ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે.
ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બને. પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી. પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.
ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શનના પડકારો છે.
છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં 18 હજાર નવા કોરોના બેડ ઉભા કર્યાં છે.
અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી રોજના રેમડેસિવિર 20 હજાર ઈન્જેક્શન મેળવેલા છે. રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોને અપાય છે. બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે.
દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 94ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવુ જોઈએ. અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત 240 ટન હતી જે વધીને 600 ટન સુધી પહોંચી છે.
અગાઉ ગુજરાતમાં 50 હજાર કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને 1.30 લાખ કરવામાં આવે છે. ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ, ધન્વતંરી રથ અને 104 હેલ્પલાઈન છે.
જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે. જેથી સંક્રમણ અટકાવી શકાય.
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા 24માંથી 11 કલાક કોરોના કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવે છે. એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે.