[:gj]પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા [:]

[:gj]ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા.

જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકીસ્તાન મરીન એજન્સી દ્વારા કરાયેલા ફાયરીંગમાં બોટના ટંડેલને કાચથી ટંડેલને ડાબા ખભ્ભા પાછળ સામાન્ય ઈજા થઈ હતી.

જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટે વિગતો આપતા કહ્યુ હતુ કે, ઓખાના માછીમારો જખૌના દરિયામાથી માછીમારી કરવા ગયા હતા. તેમના પર ફાયરીંગ થયુ હતુ. જેમા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર (રહે. હાલ ઓખા મુળ રહે. યુપી)ને ઈજાઓ પહોચી હતી.

બપોર બાદ મધદરીયા થયેલી ફાયીરંગ બાદ રાત્રે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને જખૌ બંદરે લાવવામ આવ્યા હતા. જેમા ઈજાગ્રસ્ત અને પ્રથમ નલીયા સીએચસીમાં સારવાર અપાયા બાદ ભુજની જી કે જનરલ હેાસ્પિટલમાં સારવાર અપાવવામા આવી હતી.[:]