અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે નીચે લીંક આપી છે.
કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક
22 માર્ચ 2025
ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે.
સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુરક્ષાના પ્રોટોકોલની અવગણના કરી હોવાનો આરોપ છે.
આ મામલે વિરોધપક્ષ કૉંગ્રેસ અને ડીએમકેના સાંસદો લોકસભામાં વેલમાં દોડી ગયા હતા. જવાબથી સંતોષ ન થવાથી વિરોધપક્ષોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યું.
જમીન
ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.
કચ્છના નાના-મોટા રણની જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું હતું. 60 હજાર હેકટર જમીન આ રીતે સંપાદન કરવાની હતી. જેમાં 1.48 લાખ એકર જમીન આપવાની હતી. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે.
આમ કચ્છના રણનો 12 ટકા હિસ્સો આ રીતે પવન અને સૂર્ય ઉર્જા કંપનીઓને આપી દેવા માટે કામ શરૂ કર્યું છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.
નાનું અને મોટું રણ
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસભૂમિ મળીને 30,000 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. નાના રણના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચારેબાજુ 9 જિલ્લા છે. ચોમાસામાં 3000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાઈ જાય છે. જેની વચ્ચે 40 હેક્ટરથી 4000 હેક્ટરના 75 ટાપુ બનેલા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી હતી. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે. એનર્જી પાર્ક આશરે રૂ. 1,350 અબજનું રોકાણ આવી શકે છે.
સરકારી જમીન
ભુજથી લગભગ 160 કિલોમીટર દૂર, ખાવડામાં પ્રોજેક્ટ છે. ખાવડામાં જમીન સરકારની છે, જેણે આ જગ્યા અદાણી ગ્રુપને 40 વર્ષ માટે લીઝ પર આપી છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે અમદાવાદ શહેર જેટલી જમીન અને પેરિસના કદ કરતાં લગભગ પાંચ ગણો મોટો છે. 81 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે, જે, બેલ્જિયમ, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા સમગ્ર દેશોને વીજળી આપી શકે છે.
જમીન ફાળવણીનો વિવાદ શું છે?
ગુજરાત સરકારે 30,000 મેગાવૉટની ક્ષમતાના આરઈ પાર્ક માટે કેન્દ્રની ભાજપ શાસિત સરકારને વિનંતી કરી હતી કે પાકિસ્તાન સરહદે એક કિલોમીટર સુધીના વિસ્તારમાં પવનચક્કીઓ અને સોલાર પેનલ્સ ઊભી કરવા સરહદની સુરક્ષાના પ્રોટોકોલમાં છૂટછાટ આપવામાં આવે.
21 એપ્રિલ, 2023ના રોજ દિલ્હીમાં મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલયે આ જમીન આપવા સરહદ સુરક્ષાના ધારા-ધોરણોમાં છૂટછાટ આપવા સંમતિ આપી હતી. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ શરૂઆતમાં આવી છૂટછાટનો વિરોધ કર્યો હતો. વિન્ડમિલ અને સોલર પેનલ્સના કારણે ટૅન્કોની મૂવમેન્ટ અને સરહદ પર દેખરેખ રાખવામાં અવરોધ પેદા થશે. સોલાર પ્લૅટફૉર્મ્સ દુશ્મનની તોપો માટે નુકસાન કરી શકે છે.
પાર્કનું કામ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારની કંપની સોલાર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SECI)ને સરહદ પર 230 ચોરસ કિલોમીટર જમીન ફાળવવામાં આવી હતી. મે, 2023માં કેન્દ્ર સરકારે તેનાં વિવિધ મંત્રાલયોને વાકેફ કર્યાં કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ અને મ્યાનમાર સાથેની ભારતની સરહદ પર માળખાગત સુવિધાઓના વિકાસ માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે.
17 જુલાઈ, 2023ના રોજ સોલર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડએ તેને ખાવડા આરઈ પાર્કમાં ફાળવાયેલી જમીન ગુજરાત સરકારને પરત સોંપી દીધી. તે જ વર્ષે ઑગસ્ટ સુધીમાં તે જમીન અદાણી ગ્રૂપને ફાળવવામાં આવી.
12 માર્ચે લોકસભામાં વિપક્ષે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સરહદથી 10 કિલોમિટરની અંદર કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપિત કરી શકાતો નથી.
ખાવડા આરઈ પાર્ક એક જ જગ્યાએ આટલા મોટા પ્રમાણમાં પુનઃપ્રાપ્ય વીજળીનું ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો પાર્ક હોવાનો સરકારનો દાવો છે.
પાકિસ્તાન સરહદ
એનર્જી પાર્ક પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી એકથી 6 કિમી દૂર છે. બીએસએફ એક કિલોમીટરના બફર પર તૈનાત છે. અહીં એરસ્ટ્રીપ અદાણીએ બનાવી દીધા છે. પ્રતિબંધિત વિસ્તાર છે.
પાકિસ્તાનની સરહદે આવેલી ઉજ્જડ જમીન છે. વિશ્વના સૌથી અસંભવિત પ્રવેશદ્વારોમાંનું એક છે. ડિસેમ્બર 2022માં ઉજ્જડ વિસ્તારમાં પહોંચવા માટે પ્રથમ વખત નાના વિમાનનો ઉપયોગ કર્યો હતો.
એક સાંકડો રનવે, જેમાં આવનારા વિમાનોને માર્ગદર્શન આપવા માટે એર ટ્રાફિક કંટ્રોલર પણ નથી અને જેનું એકમાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટેબલ શૌચાલય અને
બીએસએફની જમીન
2019ના ફેબ્રુઆરીમાં સંરક્ષણ મંત્રાલયે ભુજ નજીક ખાવડામાં આશરે 60.30 કિમી જમીન અંગે લીલીઝંડી પણ આપી ન હોવા છતાં આ ટોચના ઔદ્યોગિક ગૃહે પોતાના સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને અરજી કરી હતી. ત્યારબાદ 2019ના અંતમાં ભારત સરકાર પાસે બીએસએફની જમીન છૂટી કરાવી હતી.
અગાઉથી જ જમીન આપી દીધી
સંરક્ષણ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પહેલા જ આ ટોચની કંપનીની અરજી રાજ્ય સરકારે સ્વીકારી હતી. પ્રોસેસ પણ કરી હતી. સરકાર પર સીધી આંગળી ન ચીંધાય તે માટે એનટીપીસી, જીઆઇપીસીએલને પણ સરકાર દ્વારા ફાળવણી કરાઇ હતી. જમીન માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું નથી. જેમાં સોલાર પાવર ડેવલપર્સ અરજી કરી શકે છે. અંદરખાને પહેલેથી જ જમીન ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જણાય છે.
ખારી જમીન
ખારી જમીનને કારણે જમીન પર વનસ્પતિ નથી. લદ્દાખ પછી દેશમાં બીજા ક્રમનું શ્રેષ્ઠ સૌર કિરણોત્સર્ગ ધરાવતા મેદાનો કરતાં પાંચ ગણી વધુ ઝડપે પવનની ગતિ ધરાવતો, રિન્યુએબલ એનર્જી પાર્ક માટે આદર્શ સ્થાન હતું.
સસ્તા ભાડે જમીન
પાર્ક ડેવલપરે વાર્ષિક હેક્ટર દીઠ 15,000નું ભાડું છે. દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાના દરે વધારો કરવામાં આવશે. જ્યારે ઈતર વેરા અલગથી ભરવાના રહેશે. પાર્ક ડેવલપર પાર્ક વિકસિત કર્યા બાદ તેને સબ લીઝ આપી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં આ મેગા પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. હાઇબ્રિડ એનર્જી પાર્કમાં પવન ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર જનેરેટરને ફેરવતી પવનચક્કીઓ અને સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ્સ હોય છે.
2020માં ગુજરાત સરકારે શરૂઆતમાં પ્રસ્તાવિત ખાવડા હાઇબ્રિડ આરઈ પાર્ક માટે એક હાજર ચોરસ કિમી એટલે કે એક લાખ હેક્ટર જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેને ઘટાડીને 726 ચોરસ કિમી કરી દીધી. એપ્રિલ 2020માં સંરક્ષણ મંત્રાલયએ 72,600 હેક્ટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી.
આરઈ પાર્કના બે ઝોન છે. એક ઝોનમાં 49,600 હેક્ટર હાઇબ્રિડ પાર્ક ઝોન છે, જેમાં 24,800 મેગાવૉટ ક્ષમતાના પવન અને સૌર ઊર્જાનો હાઇબ્રિડ પાર્ક બનશે અને બીજા ઝોનમાં 23,000 હેક્ટરમાં ફેલાયેલો એક વિશિષ્ટ વિન્ડ પાર્ક ઝોન… વિશિષ્ટ વિન્ડપાર્ક ઝોન આંતરરાષ્ટ્રીય સરહદથી એકથી છ કિમી દૂર છે. હાઇબ્રિડ પાર્ક ઝોન સરહદથી છ કિમી દૂર છે.
ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કૉર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ)ને ખાવડા આરઈ પાર્ક બનાવવાની કામગીરીની પ્રગતિ પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ છે.
ગુજરાત સરકારે શરૂઆતમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (જીઆઈપીસીએલ)ને 47.50 ચોરસ કિમી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કૉર્પોરેશન(જીએસઈસીએલ)ને 66.50 ચોરસ કિમી, નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડ(એનટીપીસી) અને સુઝલોન ગ્રૂપની સર્જન રિયાલિટીઝ લિમિટેડને 95-95 ચો. કિમી, અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ(એજીઈએલ)ને 190 ચો. કિમી અને સોલર એનર્જી કર્પોરેશનને 230 ચો. કિમી જમીન ફાળવી હતી.
સોલર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાને ફાળવવામાં આવેલી જમીન ફક્ત વિન્ડફાર્મ ઍક્ટિવિટી એટલે કે પવનઊર્જાને લગતી પવનચક્કી વગેરે જેવી માળખાગત સુવિધા માટે હતી.
આ છ કંપનીઓને અનુક્રમે 2375 મેગાવોટ, 3325 મેગાવોટ, 4750 મેગાવોટ, 4750 મેગાવોટ, 9500 મેગાવોટ અને 3000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની હતી.
અદાણી અને સર્જન ખાનગી કંપનીઓ છે. જીઆઈપીસીએલ અને જીએસઈસીએલ ગુજરાત સરકારની અને એનટીપીસી અને સોલર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારની કંપનીઓ છે.
2014માં ભારતમાં પવન અને સૌરઊર્જામાંથી 23,864 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી. જાન્યુઆરી 2025 સુધીમાં તે વધીને 1.51 લાખ મેગાવટ થઈ ગઈ. ગુજરાત અને રાજસ્થાનમાં સરકારી પડતર જમીન પર સોલાર પાર્કો અને વિન્ડ ફાર્મ્સનું નિર્માણ થયું. સોલાર ઉર્જામાં રાજસ્થાન પ્રથમ અને બીજા નંબર પર ગુજરાત છે.
2024ના અંતે ભારતની વીજળી ઉત્પન્ન કરવાની કુલ ક્ષમતા 4.62 લાખ મેગાવોટ હતી. તેમાંથી આરઈનો હિસ્સો 2.09 લાખ મેગાવોટ એટલે કે 45.3 ટકા હતો. 2030 સુધીમાં પાંચ લાખ મેગાવોટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ખાવડા આરઈ પાર્ક તે લક્ષ્ય સિદ્ધ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
ખાવડા આરઈ પાર્કે 3000 મેગાવોટથી વધુ વીજળી ઉત્પાદન કરવાનું શરૂ પણ કરી દીધું છે. જમીનો આપી દેવામાં આવી
અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે.
પક્ષીઓ માટે વિરોધ
કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિંડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો હતો. કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલ્યું પડયું હતું.
નીતિનો ભંગ
એક પણ વિન્ડ મિલને ભાડા પટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું. 31 નવેમ્બર 2019માં કચ્છના તત્કાલીન કલેકટર રેમ્યા મોહને અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. ત્યાર બાદના કલેકટર એમ. નાગરાજને પણ તે નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે. રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રમાં નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લગાવી હતી.
પવન
સૂર્યના કિરણોને વીજળીમાં ફેરવવા માટે અને 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફૂંકાતા પવનનો ઉપયોગ કરીને પવનચક્કીથી વીજળી પેદા કરવાનની છે.
પ્લાંટ
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતના કચ્છના ખાવડા ખાતે રૂ. 1 લાખ 50 હજાર કરોડનો પાર્ક બનાવી રહી છે. તેના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન છે.
એપ્રિલ 2024માં ખાવડામાં 2,000 મેગાવોટ ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. માર્ચ 2025માં 4હજાર મેગાવોટ વીજળી પેદા કરવાના છે. ત્યાર બાદ દર વર્ષે 5 હજાર મેગા વોટ વીજળીનું ઉત્પાદન વધારતાં જવાનું છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ પાવર ઉત્પન્ન કરવામાં આવશે.
ફેબ્રુઆરી, 2025માં ખાવડા હાઇબ્રિડ આરઈ પાર્કમાં સોલાર પેનલ્સ, પવનચક્કીઓ, પાવર ટ્રાન્સમિશન લાઇનના ટાવર અને તાર લગાડવાનું કામ દિવસ-રાત યુદ્ધના ધોરણે ચાલુ હતું.
ગયા વર્ષે અદાણી જૂથે જણાવ્યું કે કંપનીએ ખાવડા પાર્કમાં 8,000 કર્મચારીઓ અને મજૂરો રહી શકે તેવી ક્ષમતાવળી એક ટાઉનશિપ વિકસાવી છે. પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાવડા પાર્કમાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
આરઈ પાર્કના નિર્માણનું કામ 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે.
સોલાર પાર્ક્સ બનાવવા માટે માટે મોટા વિસ્તારોની જરૂર પડે છે.
ખાનગી જમીન સંપાદન કરવાની પ્રીક્રિયાનો જાહેર વિરોધ જોવા મળ્યો છે.
રાજસ્થાનના થારના રણ તેમ જ કચ્છના મોટા રણ અને તેની કાંધી પર આવેલ છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાનની સરહદ નજીક પણ છે.
કચ્છ જિલ્લો 45000 ચો. કિમીથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે અને વિસ્તારની દૃષ્ટિએ તે ભારતનો સુધી મોટો જિલ્લો છે. વન્યજીવન અભયારણ્ય હોવાથી જમીન પ્રોજેક્ટસ માટે ઉપલબ્ધ નથી.
કચ્છના મોટા રણને અડીને આવેલ ખાવડા નજીકની પડતર જમીન પર આવાં કોઈ નિયંત્રણો નથી.
ખાવડામાં આરઈ પાર્કના શિલાન્યાસ પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું “પવનચક્કીઓની સ્થાપનાને કારણે સરહદ વધુ સુરક્ષિત બનશે. સામાન્ય માણસના વીજળી બિલ ઘટશે.
પાર્ક પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવશે. તે નવ કરોડ વૃક્ષો વાવવાં બરાબર હશે.
આરઈ પાર્ક પર કામ શરૂ થયું તે પહેલાં ખાવડા ગામથી લગભગ 18 કિમી દૂર અને કચ્છના જિલ્લામથક ભુજથી 90 કિમી દૂર આવેલ ઇન્ડિયા બ્રિજ સુધી નાગરિક પ્રવૃત્તિઓને મંજૂરી હતી. પ્રવાસીઓને યોગ્ય પરવાનગી સાથે સરહદ પર વિઘાકોટ સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી.
આરઈ પાર્ક માટે રાજ્ય સરકારે 18 કિમી માર્ગ બનાવી આપ્યો છે. આ રસ્તે ઇન્ડિયા બ્રિજને બાયપાસ કરી 726 ચો. કિમી જમીનમાં સીધું પ્રવેશી શકાય છે.
પાંચ વર્ષની તપાસ
અદાણી ગ્રીનએ સાઇટ ડેવલપ કરવાનું કામ શરૂ કરતા પહેલા પાંચ વર્ષ તપાસ કરી હતી. જીઓ ટેક્નિકલ તપાસ, સિસ્મિક સ્ટડી, કેમ્બ્રિજ દ્વારા સેન્ટ્રીફ્યુજ સ્ટડી, રિસોર્સ એસેસમેન્ટ અને લેન્ડ સ્ટડીઝ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સોશિયલ ઇમ્પક્ટ અસેસમેન્ટ કર્યા છે સોશિયલ ડ્યુ ડિલિજન્સ અને અન્ય ઘણા લોકો ઉપરાંત વિગતવાર અભ્યાસ કર્યા છે.
માળખાકિય સુવિધા નથી
ટેલિફોન કે પરિવહન માળખાગત સુવિધા નથી. સૌથી નજીકનો વસવાટ યોગ્ય વિસ્તાર 80 કિમી દૂર છે. વરસાદની ઋતુમાં જમીનની નીચે પાણી ઉતરતું નથી. ભૂગર્ભ જળ ખારું છે. 700 મીટર નીચેથી પાણી પોર્ટેબલ બનાવવા ઉફયોગ કરવાનો છે.
માળખાકિય સુવિધા
બાંધકામ 2022માં શરૂ થયું છે. જેમાં 100 કિમી રસ્તા, 50 કિમી ડ્રેનેજ, ડિસેલિનેશન પ્લાન્ટ, 70 ઘન મીટરની કુલ ક્ષમતાવાળા 3 રિવર્સ ઓસ્મોસિસ (RO) પ્લાન્ટ બનાવાયો છે.
પ્રોજેક્ટમાં કર્મચારીઓની પીવાનું પાણી આપવા માટે 25000 BIC મીટર પ્રતિ કલાકની ક્ષમતાનો પાણીનો પુરવઠો પેદા કર્યો છે. કનેક્ટિવીટી માટે 180 કિમી સુધી ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવામાં આવ્યો છે. કોંક્રિટ બેચિંગ પ્લાન્ટ બનાવાયો છે.
આરઈ પાર્ક વિસ્તારમાં પ્રવેશ પર ખૂબ જ નિયંત્રણો છે. તેમાં જવા માટે ભુજના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. બીએસએફે ઇન્ડિયા બ્રિજ નજીક આરઈ પાર્કના પ્રવેશદ્વાર પર એક નવી ચેકપોસ્ટ બનાવી છે. બીએસએફના જવાનો પરવાનગી હોય તેને જ આરઈ પાર્ક વિસ્તારમાં જવા દે છે.
SECIને ફાળવાયેલ જમીન અદાણીને કેવી રીતે મળી?
સોલર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાને ફાળવાયેલી જમીન અદાણીને કેવી રીતે મળી એ પ્રશ્ન છે. વર્ષો સુધી જમીન અંગે પ્રક્રિયા પુરી થઈ નથી. ખાવડા પાર્કમાં જમીનનો સૌથી મોટો ભાગ અદાણી ગ્રૂપ પાસે છે.
રાજ્ય સરકારની સમિતિ દ્વારા 40 વર્ષના લીઝ પર જમીન સીધી આરઈ ડેવેલોપર્સને જ ફાળવવામાં આવે છે. ડેવલપર્સ સરકારને પ્રતિ હેક્ટર વાર્ષિક 15,000 ભાડું ચૂકવે છે. આ રીતે મેળવેલી જમીનમાંથી કોઈ ભાગને કોઈ ડેવલપર અન્ય કોઈ ડેવલપરને પેટા લીઝ પેટે આપવાની છૂટ છે.
દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે
વડાપ્રધાન 15મી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક
ગાંધીનગર, 5 ડિસેમ્બર 2020
કચ્છમાં મોટા રણમાં વિઘોકોટ ચોકીથી આગળ પાકિસ્તાની સરહદે 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ સોલાર – રિન્યુએબલ એનર્જી પાર્ક (અક્ષય ઊર્જા પાર્ક)નું ખાતમૂર્હત 15 ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. કચ્છના પાકિસ્તાન સરહદ પાસે રણમાં સૂર્ય, પવન ઉર્જા અને સૂર્ય-પવન સાથેના એનર્જી પાર્ક બની રહ્યો છે. 3 હજાર પવનચક્કી લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા ગૃહ પ્રધાને અહીં મુલાકાત લઈને સરપંચોને સંબોધન કર્યું હતું.
શું છે આખો પ્રોજેક્ટ અને તેના વિવાદ જાણો
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મીટર વિસ્તાર છે. તેમાંથી 600 ચોરસ કિલોમીટરની જમીન વીજ કંપનીઓને આપી દેવા માટે દિલ્હીથી સતત દબાણ હતું.
1.35 લાખ કરોડનું રોકાણ
વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બનવા જઈ રહ્યો છે. અહીં 60,000 હેક્ટર જેટલી જમીન 40 વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી છે. આ પાર્કની 28000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હશે જેમાં સોલર અને વિન્ડ પાવર જનરેશન થશે. ડેવલપરોએ ત્રણ વર્ષમાં 50% અને પાંચ વર્ષમાં 100% ક્ષમતા સ્થાપવાની રહેશે. રૂ.1.35 લાખ કરોડનું રોકાણ થવાની ધારણા સરકારની છે.
સસ્તા ભાડે જમીન
પાર્ક ડેવલપરે વાર્ષિક હેક્ટર દીઠ 15,000નું ભાડું છે. દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાના દરે વધારો કરવામાં આવશે. જ્યારે ઈતર વેરા અલગથી ભરવાના રહેશે. પાર્ક ડેવલપર પાર્ક વિકસીત કર્યા બાદ તેને સબ લીઝ આપી શકશે.
ડિપોઝીટ વિવાદ
25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રૂ.2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ પાછળથી ઉમેરાયો હતો.
કંપની અગાઉથી જાણી ગઈ
આશ્ચર્યની વાત એ છે કે કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી. આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીફ પ્રોજેક્ટ ઓફિસર રાજુ મિસ્ત્રીએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો જે તે સમયે હતો. આ મુદ્દે મંત્રી સાથે વાત કરવા જણાવ્યું હતું. MD એસ બી ખ્યાલીયાએ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અહીં સોલાર કંપનીઓ GPSL ઉપર શંકાની સોય તાકી રહી છે.
કઈ કંપની કેટલું વીજ ઉત્પાદન કરશે?
અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરવા જઈ રહી છે. એસઇસીઆઇ (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), એનટીપીસી, જીઆઇપીસીએલ, જીએસઇસી, અદાણી પાવર અને સુઝલોનને 23000 મેગાવોટ, 5000 મેગાવોટ, 2500 મેગાવોટ, 3500 મેગાવોટ અને 4000 મેગાવોટના સોલર અને વિન્ડ પાવર જનરેશન પ્રોજેક્ટ છે.
જમીનો આપી દેવામાં આવી
અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે.
કંપની વીજ ક્ષમતા કેટલી જમીન ફાળવાઈ
AGEL 10000 MW 20000 Hectare
સર્જન રિયલ્ટી 3800 MW 7600 Hectare
GIPCL 2500 MW 5000 Hectare
GSECL 3500 MW 7000 Hectare
NTPC 5000 MW 10000 Hectare
SECI 3000 MW 20000 Hectare
સૂર્ય અને પવન આધારિત વીજળી માટે કચ્છમાં આડેધડ જમીન પવન ચક્કી માટે સરકારી આપવામાં આવી રહી છે. 3 હેક્ટરથી વધારે જમીન 30 વર્ષના ભાડાપટ્ટે સાવ ઓછા ભાડાંથી આપવામાં આવી છે. તેનો ગેરલાભ લેવામાં આવી રહ્યો છે.
પક્ષીઓ માટે વિરોધ
કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિન્ડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો હતો. કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલવું પડયું હતું.
નીતિનો ભંગ
એક પણ વિન્ડમિલને ભાડાપટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું. 31 નવેમ્બર 2019માં કચ્છના તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. ત્યાર બાદના કલેક્ટર એમ. નાગરાજને પણ તે નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે. રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રમાં નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લગાવી હતી.
11 કંપનીઓએ કામ પૂરું કર્યું
ભારત સરકારના આ પ્રોજેક્ટ હેઠળ જેડા મારફતે પવનચક્કી સ્થાપવા માટે હરાજી થતી હતી. કચ્છમાં 11થી વધુ કંપનીઓએ વિન્ડમિલ લગાવી ચૂકી છે. 1થી 4 સુધી થયેલી હરાજીવાળા એકમને મંજૂરી મળી છે. બાકીના માટે મનાઇ છે.
179 કંપનીઓને જમીન વિવાદ
1થી 4ના નિયમો પ્રમાણે 179 કંપનીઓને જમીન આપવા અરજી માન્ય રાખી છે. જેના માટે 1063 હેક્ટર સરકારી જમીન ફાળવવામાં આવી હતી. બીજી 5થી 7વાળી હરાજી થયેલી અરજીઓ રદ કરવાનું નક્કી થયું હતું.
3 હજાર પવન ચક્કી
3 હજારથી વધારે પવનચક્કી લાગી ચૂકી છે. 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપવામાં આવી હતી. કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઇ સરકારી ભૂમિ ફાળવવામાં નહીં આવે. ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવામાં આવી છે.
ગીધો અને દુર્લભ પક્ષીઓનો સર્વનાશ
અબડાસાના બાલાચોડ વિસ્તારમાં ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઇ ફરમાવવામાં આવી હતી. પાલરધુના વિસ્તારમાં ઊઠેલા વિરોધને પગલે નવી વિન્ડમિલ પર રોક લગાડવાનો નિર્ણય કલેક્ટરે લીધો હતો. ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે.
ખાનગી કંપનીની 7 વર્ષ પહેલાની વાત
આશ્ચર્યની વાત એ છે કે 2013-14માં ગુજરાતના ટોચના ઔદ્યોગિક ગૃહે આ વિસ્તારમાં વિન્ડ અને સોલાર પ્રોજેક્ટ માટે ઇરાદાપત્ર વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન રજૂ કર્યુ હતું. ત્યાર બાદ આ ટોચની કંપનીએ પોતાની વગથી ગુજરાત સરકાર દ્વારા સંરક્ષણ મંત્રાલયને આ જમીન માટે એક અરજી કરી હતી. બાદમાં આ જગ્યામાં હાઇબ્રીડ પ્રોજેક્ટ લાગી શકે છે તેવી વાત કરતા ગુજરાત સરકારે વાત આગળ ધપાવી હતી.
બીએસએફની જમીન
2019ના ફેબ્રુઆરીમાં સંરક્ષણ મંત્રાલયે ભુજ નજીક ખાવડામાં આશરે 60.30 કિમી જમીન અંગે લીલીઝંડી પણ આપી ન હોવા છતાં આ ટોચના ઔદ્યોગિક ગૃહે પોતાના સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને અરજી કરી હતી. ત્યાર બાદ 2019ના અંતમાં ભારત સરકાર પાસે બીએસએફની જમીન છૂટી કરાવી હતી.
અગાઉથી જ જમીન આપી દીધી
સંરક્ષણ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પહેલા જ આ ટોચની કંપનીની અરજી રાજ્ય સરકારે સ્વીકારી હતી. પ્રોસેસ પણ કરી હતી. સરકાર પર સીધી આંગળી ન ચિંધાય તે માટે એનટીપીસી, જીઆઇપીસીએલને પણ સરકાર દ્વારા ફાળવણી કરાઇ હતી. જમીન માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યુ નથી. જેમાં સોલાર પાવર ડેવલપર્સ અરજી કરી શકે છે. અંદરખાને પહેલેથી જ જમીન ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જણાય છે.
2 ખાનગી કંપની
જમીન ફાળવણી માટે દરેક કંપનીઓને સમાન તક મળવી જોઇતી હતી. પણ મોટી કંપનીઓએ જમીન લઈને હવે નાની કંપનીઓને જમીન લીઝ ભાડા પર વેચાતી આપશે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકીયા)ના મેનાજિંગ ડિરેક્ટર નૈમિશભાઇ ફડકેએ જાહેર કર્યું હતું કે, 8 કંપનીઓને જમીન ફાળવી છે. તેમાથી 5 કંપનીઓ જાહેર કંપની છે, 2 ખાનગી કંપનીઓ છે. જમીનની માલિકી રાજ્ય સરકારની છે તેથી જમીન પણ સરકાર જ ફાળવે. 2-3 વર્ષ પહેલા વિન્ડ પાવર પ્રોડેક્ટ મંજૂર થયા હતા. જેમાંથી મોટા ભાગના કચ્છમાં હતા. આ પ્રોજેક્ટમાં કોમ્યુનિટી અને પ્લાન્ટ માલિકો વચ્ચે અનેક વાર ઘર્ષણ થતુ હતુ. આ તમામ ફરિયાદો વડાપ્રધાન સુધી પહોંચી હતી.
600 ચોરસ કિલોમીટર જમીન
કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.
41 હજાર મેગા વોટ વીજળી
ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 2.4 ગીગાવોટ જેટલા મોટા પાયે સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 2.2 ગીગાવોટ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્ક બનાવવા માટે આ જમીન આપવામાં આવી છે. દેશમાં અત્યારે સૂર્ય ઉર્જામાં અદાણી કંપની સૌથી મોટી બની ગઈ છે. તે પણ આ પ્રોજેક્ટમાં મોટી જમીન મેળવી ગઈ છે.
વડાપ્રધાન મોદીનું દબાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 2 વર્ષથી નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી છે. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે.
સલાહકાર નિયુક્ત કરાશે
ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) એ સલાહકારની નિમણૂક માટે બિડને આમંત્રણ આપ્યું છે. શક્યતા અહેવાલો, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો (ડીપીઆર), ઇજનેરી સેવાઓ, પવન અને સૌર સંસાધન મૂલ્યાંકન, વીજળી પેદા થવાનો અંદાજ કરશે.
બિડ
ઓનલાઈન બિડ્સ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2020 છે 26 ઓક્ટોબરે ખોલવામાં આવી હતી. રાજ્ય સરકારે 2018 માં તેની સોલર પ્લસ વિન્ડ હાઇબ્રિડ પાવર પોલિસી જાહેર કરી હતી. સોલાર પ્રોજેક્ટ્સ અને પાર્ક્સના વિકાસ માટે સલાહકારોને આમંત્રિત કરવા માટે લગભગ 13 ટેન્ડરોની જાહેરાત કરવામાં આવી છે.
જમીનના કરાર
ગુજરાત સરકારે પવન, સૌર અને વર્ણસંકર (પવન અને સૌર) વીજળી માટે તેની નકામા જમીન ફાળવણી નીતિમાં પણ સુધારા જારી કર્યા છે. પ્રોજેક્ટ્સ. સુધારામાં જણાવાયું છે કે જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં 50% ઇલેક્ટ્રિક ક્ષમતા સ્થાપિત થવાની છે, અને કરારના પાંચ વર્ષમાં 100% પેદા થવી આવશ્યક છે.
ગુજરાતમાં ભુજમાં ખાવડા નજીકનો વિસ્તાર સાનુકૂળ છે. તામિલનાડૂમાં હવે વિન્ડ પાવરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે ગુજરાત આ કિસ્સામાં ફેવરીટ બનતુ જાય છે.
0000000000
લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન
0000000000000
કચ્છમાં અદાણીની તમામ વાતો
મુન્દ્રા બંદર નજીક તેનું ખાનગી સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન (સેઝ) આવેલું છે.
અદાણી ગ્રૂપ કંડલા બંદર નજીક આવેલા તુણા ટર્મિનલનું પણ સંચાલન કરે છે. કંડલા પોર્ટ અને તુણા ટર્મિનલની માલિકી સરકારની છે અને અદાણી પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશિપથી તેના નિર્માણ અને સંચાલનની કામગીરી કરતું ખાનગી ભાગીદાર છે.
અદાણી જૂથે 2001ના ભૂકંપ પછી સરકાર દ્વારા બાંધવામાં આવેલી કચ્છની સૌથી મોટી હૉસ્પિટલ જી. કે. જનરલ હૉસ્પિટલને પણ પીપીપીથી હસ્તગત કરીને 2009માં ત્યાં એક મેડિકલ કૉલેજ સ્થાપી હતી.
અદાણીએ 2011માં વિલુપ્તીના આરે પહોંચી ગયેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પક્ષીઓના નિવાસસ્થાન નજીક આવેલ બિટ્ટા ગામમાં 40 મેગાવોટનો એક સોલાર પાર્ક પણ શરૂ કર્યો હતો.
અદાણી ગૌચર ચરી ગયા
અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂ. ૨માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં ૧૮ લાખ હેકટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે.
મુન્દ્રાના દક્ષિણ વિસ્તારમાં આવેલી 300 એકર જમીન અદાણી સેઝને અપાયાના વર્ષો બાદ જમીન પડતર જ પડેલી રહી.
અદાણીને મોદીજીએ મુન્દ્રા તાલુકાના 16 ઞામોની ગૌચર જમીન આપીને ઞામોને બરબાદ કરી દીધા અને ઞાયો ગૌચર વઞર મોતના મૂખમાં ધકેલાઈ ઞઈ અને ઞામડાઓમાં પશુપાલન ઉપર ભયંકર અસર થઈ છે. અદાણીને મુન્દ્રાના 10 ગામોની જંગલની જમીન, 19 ઞામોની સરકારી જમીન, 16 ઞામોની ગૌચરની જમીન મળીને 45000 હેકટર (1 હેકટર બરાબર 2.5 એકર) જમીન આપીને મુન્દ્રાના ઞામડાંઓને ખતમ કરી દીધા તેથી મોદીજીને અમે યાદ રાખશું.
સરહદ પર સોદો
અદાણીને લખપત તાલુકાના કાનેર અને શીણપરની નજીક તેમજ ભારત માટે અતિ સંવેદનશીલ વિસ્તાર એવા સરક્રિક વિસ્તારની નજીક જ 2020 હેકટર જમીન આપી દીધી અને દેશની પાકિસ્તાન સરહદની નજીક જ ખાનગી કપંની અદાણીને જમીન આપવાથી દેશની સુરક્ષા સામે ઞામોની બાગાયતી ખેતી ખારી બની તેથી ભયંકર અસરો થઈ છે, તેમજ ભુતળનું પાણી અદાણીના પાવર પ્લાન્ટના લીધે ખારૂં થઈ ગયું છે.
સરકારે 1400 કરોડનો ફાયદો ડ્યુટીમાં કરાવ્યો
સ્ટેમ્પ ડ્યૂટી વિના અદાણીને જમીન આપીને રૂ.1400 કરોડનું નુકસાન મુંદ્રાએસઇઝેડમાં અદાણી ગ્રૂપને 2005 થી 2017 દરમ્યાન 33 જગ્યાએ ફાળવેલી જમીન પર થયું હતું. જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી સુપરિટેન્ડેન્ટ દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવવી જોઇએ.સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતમાં એસઇઝેડને બાકાત રાખવામાં આવ્યું છે.
મોદીનું કૌભાંડ
2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુકત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજુઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ 15 જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મિટરના ભાવે જમીન આપી હતી. કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા પોર્ટ અને મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ફાળવાઈ હતી.
કચ્છ જિલ્લા કલેકટર સાથે બેઠક કરીને CRZ ના નિયમોનો ભંગ કરતા માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલા બાલાજી સોલ્ટ અને વિનોદ સોલ્ટ (વિનોદ વી.દનીચા) મીઠાની લિઝ રદ કરવા રજુઆત કરવામાં આવી હતી. આ જમીનોને ચેરના દરીયાઇ વૃક્ષો – મૅગ્રોવસ પ્લાન્ટેનસ માટે રાખવામાં આવી છે. અદાણી ઉપર થયેલી ફરિયાદમાં અદાણી દ્વારા પર્યાવરણના નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિએ નક્કિ કર્યું હતું.
જેથી આ વિસ્તાર ને ખાલી કરીદેવાની ભલામણ સમિતિ કરી હતી. અને આ 500 એકર જેટલા વિસ્તારમાં મૅગ્રોવ પ્લાન્ટનશન કરવામાં આવશે. જેથી આ મીઠાની લિજો તાત્કાલિક રદ કરવા કલેકટરની સાથે સ્થાનિક લોકોએ બેઠક કરી હતી.
વર્ષે લગભગ 200 ચોરસ કિલોમીર ખેતરો ઘટી રહ્યા છે. લગભગ 20 કરોડ ચોરસ મિટર ખેતીની જમીન બિન ખેતી થાય છે.
ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસાડવામાંમાં આવ્યા બાદ આ જમીન સસ્તામાં આપી દીધી હતી. ગુજરાત સરકારની પૂર્વ મંજૂરી વગર GAPL પેટા ભાડે આપી શકશે નહીં, એવી જોગવાઈ હતી. જિલ્લા જમીન મહેસૂલ મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનની કિંમત 23 માર્ચ , 2000ના રોજ રૂ.5.66 કરોડની આંકવામાં આવી હતી. આ જમીનની કિંમત રૂ.50 લાખથી વધી જતી હતી.
ગોટાળો
કચ્છમાં અદાણીને જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરવાથી ગુજરાત સરકારને 58 કરોડનું નુકસાન થયું છે. વન- પર્યાવરણ વિભાગ દ્વારા મુન્દ્રા પોર્ટ અને SEZ માટે કચ્છમાં અદાણી કેમિકલ્સને ટ્રાન્સફર કરવામાં આવેલી જંગલની જમીનના અયોગ્ય વર્ગીકરણને કારણે કંપનીને રૂ. 58.64ની ખોટ થઈ છે.
મુન્દ્રા અને ધ્રાબ ગામમાં અનુક્રમે 1,840 હેક્ટર અને 168.42 હેક્ટર જમીન ફાળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જમીન માટીની હતી અને ખાડી વિસ્તાર મેન્ગ્રોવ્સથી ભરેલો હતો. તેમ છતાં, નાયબ વન સંરક્ષક (કચ્છ પૂર્વ) એ આ જમીનને ઈકો વર્ગ IV હેઠળ ગણી હતી અને 2008.42 હેક્ટર જંગલની જમીનના NPV તરીકે કંપની પાસેથી રૂ. 87.97 કરોડ વસૂલ કર્યા હતા.
19 ગામની ગૌચરની જમીન અદાણીને આપી
અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉતપન્ન કરવામાં આવેલ સેંકડો એકર જમીન અદાણી ને આપી દીધેલ છે. મુંદરા તાલુકામાં જંગલ વિસ્તારની જમીનો સિવાય હવે કોઈ સરકારી જમીનો બચી નથી. ત્યારે આ બચેલા જંગલની જમીનો ને પણ કેંદ્ર સરકાર ગરીબ અદાણીને આપી દેવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં આવેલ અન્ય જમીનો ઉપર રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે પરંતુ જે 1927ના ફોરેસ્ટ એક્ટ મુજબ જાહેર કરવામાં આવેલ જંગલ વિસ્તારની જમીનો માટેની સત્તા કેંદ્ર સરકાર પાસે છે. આથી વર્તમાન સરકાર મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય કારેલો હતો.
8 ગામનું જંગલ આપી દીધું
મુંદરા તાલુકાના 8 ગામોની આ જંગલ વિસ્તારની જમીનો અદાણી ને આપી ને તેના બદલામાં મુંદરાથી 200 કિલામીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની જમીનો નક્કી કરવામાં આવેલી છે. 1927 ના ફોરેસ્ટ એક્ટ મુજબ અનામત જંગલ વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો. મુંદરા ના 19 ગામની ગોચર જમીનો અદાણી ને આપી દીધા પછી આ જંગલની જમીનો જ આ ગામના હજારો પશુઓ ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે અને આ જંગલ વિસ્તાર જ આ પશુપાલકો માટે એક માત્ર ચરિયાણ વિસ્તાર બચ્યો છે.
કોસ્ટલ રેગ્યુલેશનનો ભંગ
આ બધોજ જંગલ વિસ્તાર 1991 અને 2011 ના કોસ્ટલ રેગ્યુલેશન નિયમ મુજબ CRZ 1A માં આવે છે. CRZ 1A માં આવતી કોઈપણ જમીનો કે જંગલ વિસ્તાર કોઈપણ કંપની કે ઉદ્યોગ ને આપી શકાય નહીં. છતાંય પણ કેન્દ્ર સરકાર ના દ્વારા આ જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આમ તો આ જમીનો લેવા માટે 2004 માં અદાણી એ માંગ કરી હતી પરંતુ કેન્દ્ર કોંગ્રેસ સરકાર આ જમીનો આપવા સ્થાનિક અસરગ્રસ્ત લોકોની રાહુલ ગાંધી સાથે મીટીંગ પછી આપવા સંમત થઈ ન હતી. જમીનો અદાણી ને આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે તે હકીકતો RTI થી બહાર આવી છે..
આ જમીનો આપવી એ 1980 ના જંગલ સરક્ષણ કાયદાની વિરોધ છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ નો પણ ભંગ થાય છે. 2006ના ફોટેસ્ટ રાઈટ એક્ટ મુજબ સ્થાયીય જંગલ વિસ્તાર ઉપર જેતે ગ્રામ પંચાયતના અને ગ્રામસભા નો અધિકાર છે તેમજ આ વિસ્તારના સ્થાનીય લોકોના હક્કો સેટલ કરવા કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે.
ફોરેસ્ટ જમીનો 1576.81 હેકટર
અદાણી ને આપવામાં આવેલી જમીનો આજે પણ એમ જ ફાજલ પડી રહી છે. અદાણી ને હજારો એકર જમીન ચૉકલેટ ના ભાવ કરતા પણ સસ્તા ભાવે આપી દીધી છે.
મુંદરા તાલુકાના 58 ગામના ખેડૂતોની જમીન અદાણી 2009માં સંપાદન કારેલી હોવા છતાંય આજે પણ 18 ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યો નથી અને આ લોકોની જમીનોમ બળજબરીથી લઈ લેવામાં આવી છે. આ વિકાસની વાસ્તવિકતા છે.
200 કરોડનો દંડ
ખેડૂતો માટેની લડત ને રાહુલ ગાંધી સંપૂર્ણ સાથ આપ્યો છે. સ્થાનીય લોકોને 3 એપ્રિલ 2012ના રોજ પોતાના ઘરે બોલાવીને ચર્ચા કરી હતી. અને ત્યાર બાદ સરકારના વિભાગને અમને મદદ કરવા સૂચન કર્યા હતા. અદાણી પોર્ટમાં 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે. તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો. ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં. SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લોકોની હવે ત્યાં લડત ચાલુ છે.
પોર્ટ અને SEZ મેંગૃવ્ઝનું નિકંદન
પોર્ટ અને SEZ પ્રોજેક્ટે મેંગ્રૃવ્ઝનું નિકંદન કાઢવા બદલ પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું હતું. જેને લઇને વર્ષ 2009માં આ કંપનીને નોટીસ ફટકારવવામાં આવી હતી. પર્યાવરણ મંત્રાલયની એક પેનલને તપાસ માટે રાખવામાં આવી હતી ત્યાર બાદ અદાણી ગ્રુપને રૂ.200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે ભારતમાં પર્યાવરણ ખરાબ કરવામાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હતો.
પર્યાવરણશાસ્ત્રી સુનીતા નારાયણના નેતૃત્વમાં મંત્રાલયે પાંચ સભ્યોની સમિતિ નીમી હતી અને આ સમિતિએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન નહીં કરવાને કારણે ચેરના વૃક્ષોનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. તેમજ નજીકમાં આવેલી દરિયાની ખાડીઓને પણ નુકશાન થયું છે. યુપીએ સરકારના પર્યાવરણ મંત્રી જયંતી નટરાજને રીપોર્ટ બાદ અદાણી કંપનીને પ્રોજેક્ટ ખર્ચના એક ટકા અથવા રૂ.200 કરોડ બેમાંથી જે વધુ હોય તે આપવાનો આદેશ કરાયો હતો.
મોદી આવતાં અદાણીને 200 કરોડનો દંડ માફ કર્યો
જોકે, આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા કેન્દ્રમાં સરકાર બદલાઈ હતી. અદાણાના મિત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતાં જ, પર્યાવરણ મંત્રી અને આ મામલો ભાજપના નેતા અને અદાણી તરફી પ્રકાશ જાવડેકર પાસે આવ્યો હતો. ત્યાર બાદ પ્રકાશ જાવડેકરે એક નવી સમિતિની રચના કરી હતી અને ફરી તપાસ શરુ કરી હતી. પરંતુ આ વખતે મંત્રાલયને કમિટી તરફથી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સાબિત થઇ શકે કે અદાણી પ્રોજેક્ટથી પર્યાવરણને નુકશાન થયું છે. જેને કારણે આખરી નિર્ણય લેતા મંત્રાલયે રૂ.200 કરોડનો દંડનો નિર્ણય પડતો મુક્યો.
જહાજ ભાંગવાનો વાડો
હવે અહીં ભંગાર જહાજ ભાંગવાનો વાડો બનાવી રહી છે. જેનાથી ભાવનગરની જેમ પારાવાર પ્રદૂષણ ફેલાઈ શકે છે. ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછી તુરંત કેન્દ્રના પર્યાવરણ મંત્રાયલે યુ-ટર્ન લીધો છે. 2016માં પર્યાવરણ મંત્રાલય આવું નક્કી કર્યું હતું કે, દંડની રકમ માફ કરી દેવી અને પર્યાવણને જે નુકસાન કંપનીએ કર્યું છે. અદાણી મુંદ્રા પાસે 700 હેક્ટર જમીન છે અને તેમાં વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ડ્રાય કાર્ગો, પ્રવાહી લઈ જતા કાર્ગો, કન્ટેનર ટર્મિનલ, રેલવે, અને બીજા કામ માટે ચાર બંદર આ સ્થળે આવેલાં છે. આ એક મોટું ઔદ્યોગીક સામ્રાજ્ય છે અને તે ટાઉનશીપનો એક ભાગ છે. જ્યાં કંપની આ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહી છે.
એક બંદર પર પ્રતિબંધ
વર્યાવરણ નિષ્ણાત સુનિતા નારાયણની અધ્યક્ષતા ધરાવતી આ તપાસ સમિતિએ એવું કહ્યું હતું કે, અહીં પર્યાવણરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પર્યાવરણ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ચાર બંદરમાંથી એક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે. જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે રૂ.146.8 કરોડનું રોકણ કરવા માટે મંજૂરી પણ માંગી હતી. 2015ના તારણોથી વિપરીત પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું કે, અદાણી કંપનીએ પર્યાવણને ક્ષતિ પહોંચાડી નથી. કોઈ કાયદા કે નિયમોનું ઉલંઘન કર્યું નથી. 2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે જ સૌથી મોટો પુરાવો છે. ઓગસ્ટ 2017 સુધીમાં આ બાબતે મંત્રાલયની જે ફાઈલો હતી તેમાંથી ઉલંઘન કરનારી જે બાબતો હતી તે તમામ હઠાવી દેવામાં આવી હતી.
આ ઉપરાંત અધિકારીઓએ એવી પણ નોંધ મૂકી કે, 2009થી આજ સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડીયાએ કહ્યું હતું કે કચ્છના દરિયામાં જ અત્યારે માછલી મળે છે. હવે તે પણ પ્રદુષણના કારણે મળતી બંધ થઈ જશે. જેના પર પાંચ લાખ કુટુંબો નભે છે તે હવે બંદર અને જહાજભાંગલાના વાડાથી ખતમ થઈ જશે.
મુન્દ્રા ખાતે ભારતના સૌથી મોટા ખાનગી બંદરનું સંચાલન કરતી અદાણી ગ્રૂપની કંપનીની અન્યાયી તરફેણ કરવા બદલ ધારાસભ્યોની સર્વપક્ષીય સમિતિએ ગુજરાત સરકારની આકરી ટીકા કરી છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા અગાઉ રજૂ કરાયેલા અહેવાલો પર પગલાં ન લેવા બદલ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. તે CAG રિપોર્ટ દસ્તાવેજ કરે છે કે કેવી રીતે કંપનીને ગુજરાત સરકારે તેના લેણાંની વસૂલાત ન કરવાનું પસંદ કરીને ફાયદો ઉઠાવ્યો છે.
ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) એ તાજેતરમાં 2014 માં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા ગુજરાત સરકારને સુપરત કરાયેલ ઓડિટ અવલોકનોની તપાસ કરવા માટે એક અહેવાલ તૈયાર કર્યો છે. તે અહેવાલમાં ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટનું સંચાલન કરતી અદાણી ગ્રુપની કંપનીને “અનુચિત” સમર્થન આપવા બદલ ગુજરાત સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી.
અદાણી જૂથની આ કંપનીઓના વડા ગૌતમ અદાણી છે. એક અંદાજ મુજબ તેઓ દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે.
PAC પાસે CAGના અહેવાલોની તપાસ કરવાની અને રાજ્ય સરકારને ભલામણો કરવાની સત્તા અને જવાબદારી છે. ગુજરાત વિધાનસભાની આ સમિતિ પરંપરાગત રીતે વિરોધ પક્ષના ધારાસભ્યની અધ્યક્ષતામાં હોય છે અને શાસક પક્ષના ધારાસભ્યો પણ આ સમિતિમાં ભાગ લે છે.
2018-19માં ગુજરાત વિધાનસભામાં આ PACના વડા પુંજાભાઈ વંશ હતા, જેઓ ઉના મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય છે. આ સમિતિમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આઠ અને કોંગ્રેસના સાત સભ્યો હતા. જોકે, કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને કુંવરજી બાવળિયાએ ભાજપ પ્રત્યેની વફાદારી દર્શાવતા PACમાંથી રાજીનામું આપી દીધું હતું. આ વિશેષ અહેવાલને PAC ના તમામ સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં કોઈ અસંમતિ વ્યક્ત કરવામાં આવી નથી.
તેના અહેવાલમાં, PAC એ ભારતની સૌથી મોટી ખાનગી પોર્ટ ઓપરેટર – ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ, જે હવે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ તરીકે ઓળખાય છે, તેને “અનુચિત” તરફેણ કરવા બદલ ગુજરાત સરકારની ટીકા કરી છે. કંપની ગુજરાત, કેરળ, તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં અનેક બંદરોના સંચાલનની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
ગુજરાત વિધાનસભાની વેબસાઈટ અનુસાર, આ PAC રિપોર્ટ 9 ડિસેમ્બરે રજૂ થવાનો હતો. જોકે, આવું થઈ શક્યું નહીં. ગુજરાતી ભાષામાં આ અહેવાલની નકલ આ લેખના લેખકોને આપવામાં આવી છે.
18 ડિસેમ્બરના રોજ કપિલ દવે દ્વારા લખાયેલા ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ સિવાય, આ PAC રિપોર્ટ મીડિયામાં લખવામાં આવ્યો નથી. “ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોતાના ખર્ચે ખાનગી બંદરોને લાભ આપી રહ્યું છે: પીએસી” શીર્ષકવાળા લેખના છેલ્લા વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમિતિ જણાવે છે કે “ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડને જીએમબી (ગુજરાત મેરીટાઇમ બોર્ડ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખાનગી કંપનીઓને અનુચિત તરફેણમાં તેમજ ખાનગી કંપનીઓ પાસેથી પોર્ટ અને અન્ય ફી ન વસૂલવામાં જીએમબીનો ભાગ”.
PACના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્યોની આ સમિતિએ લગભગ ચાર વર્ષ સુધી લાંબી કવાયત કરી હતી. 17 એપ્રિલ, 2015 અને 6 માર્ચ, 2018 ની વચ્ચે PAC સભ્યો વચ્ચે ઓછામાં ઓછી 159 બેઠકો થઈ હતી. આ બેઠકો દરમિયાન ઘણા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને ઘણા સરકારી અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
પીએસીના અહેવાલમાં જણાવાયું છે: “સરકારને માત્ર ખાનગી બંદરો વિકસાવવામાં રસ હોવાનું જણાય છે અને સરકારી બંદરોની ક્ષમતાનો ખૂબ ઓછો ઉપયોગ થયો છે. રેલ્વે અને રસ્તાઓ સાથે સરકારી બંદરોની કનેક્ટિવિટી જેવી સારી માળખાકીય સુવિધાઓ લાગુ કરવામાં આવી રહી નથી. “આ સમિતિ સરકાર સંચાલિત બંદરો માટે સારી માળખાકીય સુવિધાઓના વિકાસની ભલામણ કરે છે.”
સરકાર દ્વારા સંચાલિત પોર્ટનું સૌથી ખરાબ ઉદાહરણ વેરાવળ પોર્ટ છે, જે તેની સ્થાપિત ક્ષમતાના માત્ર 2.58% સાથે ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય સરકારી બંદરોનું ક્ષમતા વપરાશ સ્તર ભાવનગર ખાતે 27.32%, પોરબંદરમાં 30.28%, ઓખા ખાતે 36.97% અને માંડવી ખાતે 40.63% હતું.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના કામમાં અદાણીને મદદ મળી
CAGના 2012-13ના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ (GAPL) ને ગુજરાતના મુંદ્રા ખાતે દેશનું સૌથી મોટું ખાનગી બંદર બનાવવા માટે રાજ્ય સંચાલિત ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા તરફેણ કરવામાં આવી હતી. CAGને GMB અને GAPL વચ્ચે થયેલા લીઝ અને ઓક્યુપેશન એગ્રીમેન્ટ (LPA)માં અનિયમિતતા મળી હતી.
2000, 11 જાન્યુઆરી, 2000 ના રોજ GAPL ને ફાળવણી માટે પ્રવર્તમાન બજાર દરે GMB ને 4,518 એકર જમીન આપવામાં આવી હતી. 23 માર્ચ, 2000ના રોજ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા તે જમીનની કિંમત રૂ. 5.66 કરોડ આંકવામાં આવી હતી. જો કે, જમીનની કિંમત રૂ. 50 લાખથી વધુ હોવાથી, રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ (SLVC) એ જમીનની કિંમત નક્કી કરવાની હતી.
28 સપ્ટેમ્બર 2000ના રોજ, જીએમબીએ મુન્દ્રામાં 3,403.37 એકર જમીન માટે રૂ. 4.76 કરોડ ચૂકવીને GAPL સાથે લીઝ એન્ડ પઝેશન એગ્રીમેન્ટ (LPA) પર હસ્તાક્ષર કર્યા. વાર્ષિક ભાડું 23.80 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દર ત્રણ વર્ષે આ ભાડામાં 20% થી વધુ વધારો કરવામાં આવશે.
K વધારવાનો છે. જો કે, LPA એ SLV દ્વારા અંતિમ દર નક્કી કર્યા પછી GAPL પાસેથી વધારાના લીઝ ભાડાની વસૂલાત અંગે કંઈપણ ઉલ્લેખ કર્યો નથી.
ડિસેમ્બર 2013માં, ગુજરાત સરકારે CAGને જણાવ્યું હતું કે જ્યાં SLVC અથવા કલેક્ટરે GMBને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યાં બોર્ડ LPAની સમીક્ષા કરી શકે છે. પરંતુ CAG એ પ્રતિસાદથી સંતુષ્ટ ન હતો, તેના પર ટિપ્પણી કરી: “આ સ્વીકાર્ય ન હતું, કારણ કે આ સંદર્ભે કોઈ અલગ દિશાની જરૂર નહોતી, કારણ કે GMB એ વધેલી કિંમત ચૂકવવાની જરૂર હતી, જેનો સમય SLVC દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. , તેથી તે જ સમયે GMB દ્વારા તેના પોતાના હિતના રક્ષણ માટે LPAમાં યોગ્ય કલમ દાખલ કરવી જોઈએ. જો કે, આવું ન થવાના સંજોગોમાં, GMB સુધારેલા ભાવોના પાંચ ટકા ભાડાના તફાવતને વસૂલ કરી શકશે નહીં.”
રસપ્રદ વાત એ છે કે, તેની તપાસ દરમિયાન, પીએસીએ જીએમબીના પ્રતિનિધિને 31 માર્ચ, 2017 પહેલા જમીનની કિંમત નક્કી કરવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું. જો કે, પાછળથી તે સંદર્ભે સમિતિને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. PAC એ LAC પર પોતાના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ GMBની પણ ટીકા કરી હતી. આ ક્ષતિઓને લીધે, PAC એ ભલામણ કરી હતી કે ભવિષ્યમાં આવી “ઘોર બેદરકારી” ન થાય તેની ખાતરી કરવા માટે “દોષિત વ્યક્તિઓ” સામે “યોગ્ય પગલાં” લેવામાં આવે.
મુન્દ્રા પોર્ટના વિસ્તરણ અંગે પ્રશ્ન
મુન્દ્રા પોર્ટના વિકાસના પ્રથમ તબક્કાના મંજૂર થયેલા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) મુજબ, તેને બે પેટા તબક્કામાં વિકસાવવાનું હતું. તે પ્રથમ પેટા-તબક્કામાં, 815 મીટર લંબાઇના ચાર જહાજો માટે બર્થિંગ સાઇટ સાથે બહુહેતુક અંતિમ સ્ટેશનનું નિર્માણ કરવાનું હતું. અનુગામી પેટા-તબક્કાઓમાં SBM (સિંગલ બોય મૂરિંગ) અથવા બાર્જ મૂરિંગ સાઇટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ઑફશોર નેચરલ ગેસ અથવા ગેસ એક્સ્પ્લોરેશન માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) માટે થઈ શકે છે, જે ભારત સરકારના ઉપક્રમે પ્રાપ્ત કર્યાના ત્રણ વર્ષમાં. પર્યાવરણીય મંજૂરી. 1,100 મીટર લાંબા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું કન્ટેનર એન્ડ-સ્ટેશન અને ક્રૂડ ઓઇલ માટે એક એન્ડ-સ્ટેશન ટેન્કરોને તેલ લોડિંગ અને અનલોડિંગમાં મદદ કરવા માટે વિકસાવવાનું હતું.
ગુજરાત સરકારે જાન્યુઆરી 1998માં બંદરની મૂળભૂત યોજનાને મંજૂરી આપી હતી અને ફેબ્રુઆરી 2001માં કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા તે પહેલા જીએપીએલએ બહુહેતુક અંતિમ સ્ટેશનનું નિર્માણ કર્યું હતું. GAPL એ 13 જાન્યુઆરી 2000 ના રોજ રાજ્ય સરકારને બીજા પેટા-તબક્કામાં HPCL માટે SBM ના બાંધકામ માટે અને પોર્ટ ડેવલપમેન્ટના બીજા તબક્કામાં ત્રણ નવા SBM ના બાંધકામ માટે પોર્ટ મર્યાદા વધારવા અંગેનો સંપર્ક કર્યો હતો.
21 મે, 2002 ના રોજ, આ વિનંતીઓ નીચેની શરતો સાથે સ્વીકારવામાં આવી હતી:
GAPL બીજા તબક્કામાં બાંધવામાં આવનાર SBM પર હેન્ડલ કરવામાં આવતા કાર્ગો પર વોટરફ્રન્ટની સંપૂર્ણ રોયલ્ટી ચૂકવશે.
GAPL દ્વારા સંકલન માટે કન્સેશન એગ્રીમેન્ટ હેઠળ મળેલ કન્સેશનલ વોટરફ્રન્ટ રોયલ્ટીને ગુજરાત સરકારને પોર્ટના ટ્રાન્સફર સમયે લાગુ પડતા મૂલ્ય દ્વારા અથવા ઘસારાના ઐતિહાસિક ખર્ચ દ્વારા એડજસ્ટ કરવામાં આવશે. GAPL ઉપરોક્ત બંને શરતો સ્વીકારવા માટે લેખિત સંમતિ આપશે અને આ સંદર્ભે કન્સેશન એગ્રીમેન્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે.
રસપ્રદ વાત એ છે કે, 24 મે 2002ના રોજ, રાજ્ય સરકારે પૂરક કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની રાહ જોયા વિના મુન્દ્રા પોર્ટની મર્યાદા લંબાવી હતી.
અઢી વર્ષથી વધુ સમય પછી, ગુજરાત સરકારે 28 જાન્યુઆરી, 2005 ના રોજ મરીન ડેવલપમેન્ટ કમિટી (MDC) ની રચના કરી, જેમાં રાજ્યના મુખ્ય સચિવ, નાણા, ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવો સહિત અન્યનો સમાવેશ થાય છે. .
ઓગસ્ટ 2015માં PACને આપેલા લેખિત જવાબમાં, MDCએ અહેવાલ આપ્યો હતો કે GMB બાકી રહેલી “ચિંતાઓ” ઉકેલવા અને પેટા-કન્સેશન કરારને અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. વધુમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જીએમબી વોટરફ્રન્ટ રોયલ્ટી અધિકારો અંગે ગુજરાત સરકાર સાથે સલાહ લેશે.
MDC એ તાત્કાલિક “ચિંતાઓ” ને સંબોધવા માટે શક્ય તેટલી વહેલી તકે મીટિંગ બોલાવવી જોઈએ. એક વર્ષ કરતાં વધુ સમય પછી, 27 ડિસેમ્બર, 2016ના રોજ, એમડીસીએ પીએસીને જણાવ્યું કે જાન્યુઆરી 2005માં તેની સ્થાપના થઈ ત્યારથી તેના સભ્યો માત્ર બે વાર મળ્યા હતા.
અદાણીને ફાયદો કરાવવા માટે ગુજરાત સરકારને 20 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું.
ડિસેમ્બર 2008માં GMB એ HPCL તબક્કા II હેઠળ રૂ. 3,700 કરોડના અંદાજિત ખર્ચે ત્રણ SBM ના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મૂળ મુન્દ્રા પોર્ટ મર્યાદાની બહાર બાંધકામ માટે એસબીએમને મંજૂરી આપવામાં આવી હોવાથી, મંજૂરી સંપૂર્ણ વોટરફ્રન્ટ રોયલ્ટીની વસૂલાત અને પૂરક કરાર પર હસ્તાક્ષર પર આધારિત હતી.
બાંધકામ શરૂ થાય તે પહેલા જીએમબીની પરવાનગી લેવી જરૂરી હતી. GAPL એ પૂરક કન્સેશન એગ્રીમેન્ટ દ્વારા SBM ના નિર્માણ અને અમલીકરણ માટે નવેમ્બર 2009 માં બોર્ડની મંજૂરી માંગી હતી. તેણે માર્ચ 2010માં પૂરક કન્સેશન એગ્રીમેન્ટમાં સંયુક્ત સાહસ HPCL મિત્તલ પાઇપલાઇન લિમિટેડ (HMPL)ના નામનો સમાવેશ કરવાની વિનંતી સાથે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કર્યો હતો.
જો કે, 30 જૂન, 2011ના રોજ, GAPL એ પ્રોજેક્ટ માટે બોર્ડની મંજૂરી મેળવ્યા પહેલા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ એક્ટ, 1981નું ઉલ્લંઘન કરીને SBMનું બાંધકામ શરૂ કર્યું હતું.
HPCL એ ઓગસ્ટ 2011 થી SBM માં ક્રૂડ ઓઈલનું સંચાલન કરવાનું શરૂ કર્યું. માર્ચ 2013 સુધીમાં, તેણે 5.41 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનું સંચાલન કર્યું હતું. 36.4 રૂપિયા પ્રતિ ટનના દરે બોર્ડ
રૂ. 19.48 કરોડની વોટરફ્રન્ટ રોયલ્ટી વસૂલી. જો કે, CAG ઓડિટ દરમિયાન દર્શાવ્યા મુજબ, 2003ના પોર્ટ ચાર્જીસ (SoPC)ના બેઝ રેટ પર રોયલ્ટીનો દર રૂ. 36 પ્રતિ ટન હતો. માર્ચ 2013ના અંત સુધીમાં વોટરફ્રન્ટ રોયલ્ટીનો કુલ દર રૂ. 74.65 પ્રતિ ટન હતો, જેમાં દર ત્રણ વર્ષે 20%નો વધારો થતો હતો. આમ, CAG એ મૂલ્યાંકન કર્યું હતું કે ઓગસ્ટ 2011 થી માર્ચ 2013 સુધી, GMB દ્વારા રૂ. 20.91 કરોડની લેણી રકમની વસૂલાતની ખોટ હતી.
તે CAG અહેવાલમાં નોંધ્યું હતું: “સરકાર (ગુજરાત) એ (ડિસેમ્બર 2013માં) જણાવ્યું હતું કે HMPL SBMમાં દરની યોગ્ય કાર્યક્ષમતા અંગેનો મુદ્દો વિચારણા હેઠળ છે. પ્રશ્ન હજુ પણ એ જ રહે છે કે આ સંદર્ભ વાજબી ન હતો કારણ કે કરારની શરતો સ્પષ્ટ હતી. 20.91 કરોડની રકમ વ્યાજ સહિત જલદીથી વસૂલ કરી શકાય છે.
ગુજરાત સરકારના પ્રતિનિધિએ ઓગસ્ટ 2015માં પીએસીને મોકલેલા ખુલાસા અને 27 ડિસેમ્બર, 2016ના રોજ એક સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે આ મુદ્દે મુખ્ય સચિવના સ્તરે અને નાણાં વિભાગમાં અનેક બેઠકો યોજાઈ હતી. GMB લેણાંની વસૂલાતની. આ મુદ્દો હજુ પણ રાજ્ય સરકાર સાથે “વિચારણા હેઠળ” હોવાનું કહેવાય છે. સરકારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે એકવાર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પછી, GBM વિકાસકર્તા પાસેથી વ્યાજ સહિત કોઈપણ બાકી રકમ એકત્રિત કરશે. આ પ્રતિભાવના આધારે, PAC ને લાગ્યું કે GMB માટે ડેવલપર પાસેથી તેની બાકી રકમ વસૂલ કરવી “વાજબી” રહેશે નહીં કારણ કે બાંધકામ મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. જો બીજા તબક્કામાં ભાવવધારા બાદ અન્ય કંપનીઓ માટે નવા દરો નક્કી કરવામાં આવ્યા હતા, તો પછી અદાણી ગ્રુપની ચોક્કસ કંપનીને મંજૂરી વિના બાંધકામ શરૂ કર્યું હોવા છતાં તેને શા માટે “અનુચિત” લાભ આપવામાં આવ્યો, તે અંગે સમિતિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. .
પીએસીએ પૂછ્યું છે કે મુખ્ય સચિવ અને નાણા વિભાગના સ્તરે ઘણી બેઠકો યોજવા છતાં બાકીની રકમ હજુ સુધી કેમ વસૂલવામાં આવી નથી.
PAC દ્વારા ગુજરાત સરકારની આકરી ટીકા
PAC એ અન્ય બાબતોમાં પણ ગુજરાત સરકાર પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે નીચે મુજબ છે.
1. પોર્ટ પોલિસી (સરકાર દ્વારા)માં આપવામાં આવેલી મહત્વની ખાતરીઓ 15 વર્ષ પછી પણ ખામીયુક્ત આયોજનને કારણે અમલમાં મૂકવામાં આવી નથી, કારણ કે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી અને બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર (BOOT) નીતિના સિદ્ધાંતો નહોતા. અમલમાં મુકવામાં આવેલ છે.
2. ટેરિફમાં વિલંબિત અને ભેદભાવપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા.
3. નવું કાર્ગો વર્ગીકરણ હાલના ખાનગી બંદરો પર લાગુ પડતું નથી અને SOPC માં જાહેર કરાયેલા કેટલાક દરો “શંકાસ્પદ” હતા.
4. બાંધકામ ખર્ચની સમયસર તપાસ કરવા અને ખાનગી વિકાસકર્તાઓની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવાની કોઈ વ્યવસ્થા નહોતી.
5. નિયમોના ઉલ્લંઘન માટે દંડ “અપ્રભાવી” હતો અને આંતરિક તપાસ અને દેખરેખ પ્રણાલી “ક્ષતિપૂર્ણ” હતી.
પીએસીએ ગુજરાત સરકાર અને જીએમબીને નીચેના સૂચનો કર્યા:
1. પોર્ટ મેનેજમેન્ટમાં બોર્ડનો હિસ્સો વધારવા માટે પૂરતું આયોજન હોવું જોઈએ.
2. ટેરિફનું યોગ્ય અને સમયસર રિવિઝન હોવું જોઈએ.
3. બાંધકામ ખર્ચની સમયસર ચકાસણી માટે સિસ્ટમની જરૂર હતી અને ખાનગી બંદર વિકાસકર્તાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ.
4. રાજ્ય સરકારે વિવિધ કરારની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ, જેમાં નિષ્ફળ થવા પર દંડ લાદવો જોઈએ.
આંતરિક તપાસ, ઓડિટ અને દેખરેખ માટેની પ્રણાલીઓમાં સુધારો કરવો જોઈએ અને વધુ અસરકારક બનાવવો જોઈએ.
7 જુલાઈ, 2014ના રોજ ગુજરાત વિધાનસભામાં CAGએ તેના અહેવાલમાં અદાણી જૂથને ફાયદો પહોંચાડતી ગેરરીતિઓ પર ધ્યાન દોર્યું ત્યારે મોદી સરકાર માંડ દોઢ મહિનો સત્તામાં આવી હતી. કેગનો રિપોર્ટ આવ્યાને સાડા પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અદાણી જૂથ દ્વારા સંચાલિત ખાનગી પોર્ટને આપવામાં આવેલા “અનુચિત” લાભોને કારણે તિજોરીને થયેલ નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે કંઈ કર્યું નથી. થયું નથી.
આ પહેલીવાર નથી જ્યારે કેગ દ્વારા અદાણી જૂથની તરફેણ કરવા બદલ ગુજરાત સરકારને ખેંચવામાં આવી હોય. જાહેર નાણાંની દેખરેખ રાખતી બંધારણીય સંસ્થા CAG એ અગાઉ 2011માં રજૂ કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 2006 અને 2009 ની વચ્ચે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા અદાણી એનર્જી લિમિટેડને ઓછા ભાવે કુદરતી ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો, જેના કારણે અંદાજે નુકસાન થયું હતું. સરકારને રૂ. 70 કરોડ.
2015માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અન્ય CAG અહેવાલમાં જાણવા મળ્યું હતું કે અદાણી પોર્ટે જંગલની જમીનના ખોટા વર્ગીકરણના પરિણામે 2008-09માં આશરે રૂ. 59 કરોડનો “અનુચિત” નફો મેળવ્યો હતો.
કેગ દ્વારા ગુજરાત સરકારને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં અદાણી જૂથની કંપનીઓની તરફેણમાં ત્રણ વખત ખેંચવામાં આવી છે, જે દરમિયાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને હવે તેઓ ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.
સોમવાર, 3 ફેબ્રુઆરીની બપોરે, ગૌતમ અદાણી અને તેમના જૂથના કોર્પોરેટ કોમ્યુનિકેશન વિભાગના એક્ઝિક્યુટિવને વિગતવાર પ્રશ્નાવલિ ધરાવતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં PAC રિપોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર જવાબો અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ લેખ પ્રકાશિત કરતી વખતે કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જ્યારે આ સંદર્ભમાં કોઈ જવાબ આવશે, ત્યારે આ લેખ અપડેટ કરવામાં આવશે.
નાની નાળ ગામના ગરીબ લોકોનો, વિશ્વના સૌથી શક્તિ શાળી અદાણી સામે વિજય
24 જૂન 2024
અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ- એસઈઝેડ) આપતા વિવાદ ચાલતો હતો.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને સવાલો કર્યા હતા. ગોચરની જમીન તમે અન્ય હેતુ માટે આપી જ કેવી રીતે શકો? તમારે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈતું હતું. ગામની ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપી ન શકાય. સરકારનો નિર્ણય કોઈપણ રીતે યોગ્ય નથી. કલેકટરે ગેરકાયદે કર્યું છે.
સરકારી વકીલને કહ્યું કે, ગુજરાત સરકારના પ્રતિનિધિ છો, તમે અદાણીની વકીલાત ના કરો. તમારે તમારી (સરકારની) નીતિનું પાલન કરવું જોઈએ અને જો ભૂલ થઈ હોય તો સુધારવી જોઇએ.
સરકારે 7 કિલોમીટર દૂર જમીન આપવાની તૈયારી બતાવતાં સરકારને ખખડાવી હતી. માલધારીઓ અને પશુઓ છથી સાત કિલોમીટર ચાલીને કઈ રીતે જશે. ભૂલ સુધારવા હાઈકોર્ટે બે સપ્તાહની મુદત આપી છે.
નાળ ગામની 107 હેકટર ગોચરની જગ્યા પુનઃ યથાવત સ્થિતિમાં લાવી દેવા એડિશનલ એડવોકેટ જનરલને સૂચન ને ટકોર કરી હતી. ગોચર માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ છે કે નહી તે અંગે પહેલા વિચારવું જોઈએ. આ અંગેની વ્યવસ્થા કર્યા બાદ જ તમારે કોઈ નિર્ણય કરવો જોઈએ.
સરકારના સોગંદનામાંનો અસ્વીકાર કર્યો હતો. ખાતરી નહીં પગલાં લેવા જોઈએ. કચ્છ જિલ્લા કલેકટરે જે બચાવ રજૂ કર્યો હતો, તેને હાઈકોર્ટે ફગાવ્યો હતો.
જમીન પરત ન કરી
સર્વોચ્ચ અદાલતે આપેલા એકથી વધુ કેસોમાં આદેશ આપ્યો હતો કે, ગૌચરની જમીન ઔદ્યોગિક કે બિન ઔદ્યોગિક હેતુ માટે ફાળવી શકતા નથી. એનો ઉપયોગ પશુધનના ચારિયાણ માટે જ કરવો.
ભારત સરકાર દ્વારા 18-09-2015ના રોજ કચ્છ જિલ્લામાં આવેલ અદાણી પોર્ટ અને અદાણી એસ.ઈ.ઝેડ.ને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે આ પોર્ટ અને એસ.ઈ. ઝેડ માટે લીધેલી ગૌચરની જમીન સામે ચાલીને પરત કરવી.
પરંતુ 10 વર્ષ બાદ પણ ન અદાણી આ ગૌચરો પરત કરી કે, ન સરકારે જપ્ત કરી. અદાણી પોર્ટ, અદાણી એસ.ઈ. ઝેડની જમીન કેમ પરત લઈ શકતી નથી?
5 કરોડ મીટર જમીન અદાણીને
ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે કબુલ કર્યું હતું કે, નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે 5 કરોડ ચોરસ મીટર જમીન અદાણીને આપી હતી. માર્ચ 2023માં ગુજરાત સરકારે કબૂલાત કરી હતી કે, બે-પાંચ રૂપિયામાં અદાણીને કચ્છમાં 5 કરોડ ચો.મી. સરકારી અને ગાયોને ચરાવવા માટે ગૌચર જમીન આપી દીધી છે.
ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદાણી સાથે સારા સંબંધ છે. ભાજપની સરકારે અદાણી સમૂહની કંપનીઓ સામે કાર્યવાહી પણ કરી નથી. માત્ર ધ્યાન દોરતા પત્રો જ લખ્યા છે.
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન ન પૂછ્યો હતો. કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલી પાંચ કરોડ ચોરસ મીટર અદાણીને મફતના ભાવે આપી દીધી હતી. બેથી સાડા દસ રૂપિયાની નજીવી કિંમતમાં 12 હજાર 500 એકર જમીન મુન્દ્રામાં સ્પેશિયલ ઈકોનોમી ઝોન માટે અદાણી આપી દીધી છે.
ભાજપ સરકાર ગરીબોને ઘર માટે પ્લોટ આપતી નથી.
મુંદરા સેઝનો વિવાદ
અદાણી જુથને એસઇઝેડ માટે 2005માં જમીન ફાળવવામાં આવી હતી. 26 માર્ચ 2028માં ઠરાવ નંબર 1-5-20થી ગૌચર પરત મેળવવા ગામ લોકોએ અદાણી પાસેથી જમીન પરત માંગી હતી. મુન્દ્રાની 300 એકર જમીન અદાણી સેઝને આપી હતી. જેમાં 13 વર્ષ બાદ પણ જમીન ખાલી પડી રહી હતી.
પંચાયતનો ઠરાવ
મુન્દ્રા ગ્રામ પંચાયત અને ગ્રામસભાએ કચ્છ કલેક્ટરને માંગણી કરી હતી કે પશુઓને ચરવા માટે પરત જમીન આપવામાં આવે. ગ્રામસભામાં પંચાયતના સભ્ય ભરત પાતાળીયાએ ઠરાવ મૂક્યો હતો કે 100 ઢોર દીઠ 40 એકર ગૌચર જમીન હોવી જોઇએ. હાલમાં ગામમાં ગૌચર ઉપલબ્ધ નથી. 2011ની પશુ ગણતરી મુજબ 5000 જેટલા પશુઓ છે. તો તેના માટે જમીન જરૂરી છે. દરખાસ્તને ટેકો અલનસીર ખોજાએ આપ્યો હતો.
ગુજરાતમાં 28 વર્ષ પહેલા 700 ગામો એવા હતા કે જ્યાં ગૌચર ન હતું. 2023માં 2800 ગામો એવા છે જ્યાં ગૌરચ નથી. એક ઇંચ જાડા માટીના સ્તરને બનાવવામાં લગભગ 800 વર્ષ લાગે છે. જ્યારે શહેર, ઉદ્યોગો, ખેતી, વરસાદ, તોફાન અને પાણીને એક ઇંચ જમીનને ઉખેડતાં થોડી ક્ષણો લાગે છે.
ગૌચર વિનાના કચ્છના 103 ગામને જમીન આપી ન હતી. 100 ગાયે 40 એકર ગૌચર હોવાનું ધોરણ છે છતાં ગુજરાતમાં 9029 ગામોમાં ગૌચર ઓછું છે. 2800 ગામોમાં બિલકુલ ગૌચર નથી. સૌથી વધારે બનાસકાંઠા જીલ્લામાં 1165 ગામોમાં લઘુતમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે.
ગૌચર ન હોવાના કારણે ગાય કે પશુઓ ચરવા જઈ શકતા નથી. ભાજપ અને આરએસએસ ગૌ અને ગૌવંશ બચાવવાનું આંદોલન કરતાં રહ્યાં છે. ગાયની રાજનીતિ ચૂંટણીમાં કરે છે. પણ ગૌચર વધારવામાં આવ્યું નથી. વર્ષે 50 ગામોની કરોડો ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગકારોને વેચી દેવામાં આવે છે.
3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.
ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે. વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ જાય છે. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે.
ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા. હવે સરકાર અને કંપનીઓ માફિયા બનીને પંચાયત કાયદાનો ભંગ કરીને દબાણ કરી રહ્યા છે.
ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે. ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે.
5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેચી મારી હોવાના આરોપ છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું. આસપાસના ગામ ખતમ થઈ રહ્યા છે. 2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં હોવાનો તેના પરથી અંદાજ છે.
15 ટકા ગામમાં ગાયોને ઘાસ ચરવા માટે જગ્યા નથી
1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા. 1990 – 91માં 8.45 હેક્ટર થઈ ગયા, 2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણ હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
ગૌચર પર દબાણ
6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણ હતા. ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણ અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે. એક હજાર હેકટરની બજાર કિંમત એક હેક્ટર દીઠ રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ, રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણ થઈ ગયા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસ્તી પર પડે છે. ગામની વસ્તી ઓછી થાય છે. જેમાં કેટલાક ગામો ખાલી થઈ જાય છે.
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિજય થયો હતો. રાજ્ય સરકારે અદાણી પૉર્ટ્સ કંપનીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ – સેઝ) માટે આપેલી 131 હેક્ટર જમીન ગામલોકોને પરત આપી દેવાનો હુકમ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો.
જોકે, ગામલોકોના વિજયની ખુશીની ઉજવણી પર પાંચ દિવસમાં જ અલ્પવિરામ મૂકાઈ ગયું છે. અદાણી પૉર્ટ્સે હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટે 10 જુલાઈના દિવસે હાઈકોર્ટના હુકમની અમલવારી પર હાલ સ્ટે મૂક્યો છે.
જોકે, આ ગુજરાત હાઈકોર્ટના ઑર્ડરને અદાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તા.10 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સાથે આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ પાસે જવાબ માગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર અને નવીનાળ ગામના રહેવાસી અને પૂર્વ ઉપસરપંચ ફકીર મહમદ સમેજા અદાણી SEZ વિસ્તાર માટે આપવામાં આવેલી તેમના ગામની ગૌચરની જમીન પરત મેળવવા માટે 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે.
2005માં અદાણી પૉર્ટ્સને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી કરવામાં હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી.
2,000 લોકોની વસ્તી છે અને 1500 જેટલી ગાયો છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં પણ છે. રાજ્ય સરકારના નિયમ મુજબ, ગામમાં 100 પશુઓ સામે 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ. ગામ પાસે ગૌચરની જમીન રહી નથી.
અદાણી કંપની દ્વારા વર્ષ 2010માં જમીનની ફરતે કાંટાની વાડ કરવાની શરૂ કરવામાં આવી હતી. એ સમયે અમે અહીંયા સ્થાનિક સ્તરે લડત શરૂ કરી હતી, પરંતુ પરિણામ ન મળતા અમે વર્ષ 2011માં ગુજરાત વડી અદાલતમાં ગયા હતા. ગૌચરની જમીન પરત મેળવવા માટે પિટિશન ફાઇલ કરી હતી. જે અંગે અગાઉ સરકાર દ્વારા ગૌચર માટે જમીન આપવાનો વાયદો 2014માં કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સરકાર દ્વારા 2024 સુધીમાં આપવામાં આવી ન હતી.
ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માગ કરીને જમીન મળી નથી.
કોર્ટે સરકારને જમીન આપવા માટે કહ્યું હતું. જેમાં તા. 4 જુલાઈ 2024ના રોજ કલેકટર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે કંપનીને આપેલી જમીનનો ઠરાવ રદ કરી ગામના લોકોને ગૌચરની જમીન પરત કરવી. 131 હેકટર જમીન પરત કરવાનો ઑર્ડર કરવામાં આવ્યો છે.
1 હજાર જેટલાં ઘેટાં-બકરાં પણ છે. તેમને પણ ચરવા માટેની જમીન નથી. રોજીરોટીનો સવાલ છે. અમે 15 વર્ષ કરતાં વધારે સમયથી હકની લડત લડી રહ્યાં છે.
ગામની ગૌચરની જમીન અમને જાણ કર્યા સિવાય સરકાર દ્વારા કંપનીને આપી દેવામાં આવી હતી. અમારા ગામમાં જમીન મર્યાદિત હતી તેમ છતાં જમીન કંપનીઓને આપી દેવામાં આવી હતી. જે એના થોડું ગૌચર હતું ત્યાં પર્યાવરણ શુદ્ધ કરવાના નામે વૃક્ષો ઉગાડી દેવામાં આવ્યાં છે. જેથી એ જમીન પશુઓને ચરવા માટે બચી નથી.
નવીનાળ ગામના પૂર્વ સરપંચ નટુભાઈ જાડેજા હતા. 2002થી 2012 સુધી સરપંચ હતા. કંપની તરફે સરપંટચ છે એવી અફવા ફેલાતાં તેઓ વર્ષ 2017માં ચૂંટણી હારી ગયા હતા. તેઓ ગામ લોકો સાથે હંમેશ હતા.
ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ વર્ધન યાજ્ઞિક લડી રહ્યા છે. તેમના મતે ગ્રામજનોને જેમજેમ આ સંપાદનની જાણ થતી રહી તેમતેમ તેઓ આ લડતમાં જોડાતા ગયા.
અદાણી SEZ વિસ્તારમાં આવતાં 22 ગામોમાંથી એક છે. ગૌચરની જમીનના ઠરાવને વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગામ લોકોની રજૂઆત હતી કે, અમારે 200થી 300 એકર જમીનની જરૂરત છે. 40 એકર જમીન રાખી છે.
2013માં ગુજરાત સરકારે ઠરાવ કર્યો હતો કે, 231 એકર જમીન આપી છે પણ 1331 એકર જમીન કરતાં વધારે જમીન પાછી આપીએ છીએ. ત્યારબાદ વર્ષ 2014માં ગુજરાત સરકારે કોર્ટમાં રીવ્યૂ પિટિશન ફાઇલ કરીને કહ્યું હતું કે, ‘માફ કરશો અમારી પાસે 1331 એકર જમીન નથી. અમારી પાસે તો આપવા માટે માત્ર 8 એકર જમીન છે એટલે અમારો નિર્ણય પાછો લઈએ છીએ. ગુજરાત હાઈકોર્ટે રિવ્યૂ પિટિશન મંજૂર કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સમગ્ર બાબતને ગુજરાત હાઈકોર્ટે વિચારણામાં લઈ તેનો આખરી નિર્ણય ગુણદોષ પર લેવો જોઈએ.”
યાજ્ઞિક વધુમાં જણાવે છે, “વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સામે ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગૌચરની જમીનની માલિક સરકાર નથી, પરંતુ લોકો તેના માલિક છે.
વર્ષ 2005માં તમારે લોકો માટે જમીન આપવાની હતી, એના બદલે વેચી નાખી. અદાણી SEZને તમે જેટલી જમીન આપી હતી એટલી જમીન તમારે પાછી આપવી પડશે. નહીં તો અમારે ઑર્ડર કરવો પડશે. ત્યારબાદ સરકારે ગામથી 7 કિલોમીટર દૂર જમીન આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટમાં કહ્યું હતું કે, ઢોર 7 કિલોમીટર દૂર ચરવા ન જાય. ગુજરાત હાઈકોર્ટે તેમની વાત માન્ય રાખી હતી. સરકારને કહ્યું હતું કે લોકોને એ જ ગામમાં ગૌચરની જમીન આપો અને જો જમીન ન હોય તો અદાણીને આપેલી જમીન પરત લઈને ગ્રામજનોને પાછી આપો.
19 એપ્રિલ 2024ના આદેશ પ્રમાણે, જે અદાણી SEZને વર્ષ 2005માં જે જમીન આપી હતી એ જમીન અને તે ઉપરાંત અત્યારનાં ઢોરોને સંખ્યાને ધ્યાનમાં રાખી 282 એકર જમીન અદાણી પાસેથી તેમજ અમારી પાસેથી ગૌચરના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ.
આ અંગે અદાણી જૂથ દ્વારા કોર્ટમાં વિરોધ રજૂ કરીને કહ્યું હતું કે, જે જમીન અમને આપી દીધી છે એ સંપાદન વગર પાછી ન લઈ શકાય. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તમારે આ ઑર્ડરને ચૅલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે, તમે જમીન આપવાનો ઠરાવ કર્યો છે તેને અમલ કરો. કારણ કે, જ્યાં સુધી ગામ લોકોને ગૌચર માટે જમીન પરત નહીં મળે ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી.
અદાણી SEZ દ્વારા ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100 ટકા બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30 ટકા પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરવામાં આવી હતી. મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પૉર્ટ્સને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. આ બાબત ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2011થી પેન્ડીંગ હતી.
જમીન ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધુ જમીન પાછી લેવા માટે તા. 4 જુલાઈ 2024ના દિવસે આદેશ જારી કર્યો હતો.
આ બાબતે તા. 5 જુલાઈ 2024 દિવસે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ હુકમ સામે અદાણી પૉર્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે. એવું કંપનીએ જાહેર કર્યું હતું.
ACS દ્વારા હાઈકોર્ટની ખંડપીઠને રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાના નિર્ણયની જાણ કરી હતી. મહેસૂલ વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુલ 129 હેક્ટર જમીનને ગૌચર તરીકે વિકસાવશે અને તેને ગામને પાછી સોંપશે. અદાણી પૉર્ટ્સ પાસેથી લીધેલી 108 હેક્ટર જમીન અને અન્ય 21 હેક્ટર જમીન ઉમેરશે. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ દરખાસ્તનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પૉર્ટ્સે ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
November 19, 2020
WhatsAppFacebookTwitterGmailShare
ગાંધીનગર, 19 નવેમ્બર 2020
કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિસ્સો આ રીતે પવન અને સૂર્ય ઉર્જા કંપનીઓને આપી દેવા માટે કામ શરૂં કરાયું છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.
41 હજાર મેગા વોટ વીજળી
ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 2.4 ગીગાવોટ જેટલા મોટા પાયે સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 2.2 ગીગાવોટ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્ક બનાવવા માટે આ જમીન આપવામાં આવશે. જેમાં 25થી 41500 મેગા વોટ વીજળી પેદા કરવામાં આવશે. દેશમાં અત્યારે સૂર્ય ઉર્જામાં અદાણી કંપની સૌથી મોટી બની ગઈ છે. તે પણ તેમાં પ્રોજેક્ટ નાંખશે.
નાનું અને મોટું રણ
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મીટર વિસ્તાર છે. નાના રણના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારની ચારેબાજું 9 જિલ્લા છે. ચોમાસામાં 3000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાઈ જાય છે. જેની વચ્ચે 40 હેક્ટરથી 4000 હેક્ટરના 75 ટાપુ બનેલા છે.
વડાપ્રધાન મોદીનું દબાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 2 વર્ષથી નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી છે. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે. એનર્જી પાર્ક આશરે રૂ. 1,350 અબજનું રોકાણ આવી શકે છે.
સલાહકાર નિયુક્ત કરાશે
ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) એ ગુજરાતના કચ્છ ક્ષેત્રના રણ ખાતે 3.3 જીડબ્લ્યુ પવન, સોલર અને હાઇબ્રિડ પાર્ક માટે સલાહકારની નિમણૂક માટે બિડને આમંત્રણ આપ્યું છે. શક્યતા અહેવાલો, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો (ડીપીઆર), ઇજનેરી સેવાઓ, પવન અને સૌર સંસાધન મૂલ્યાંકન, જીજળી પેદા થવાનો અંદાજ કરશે.
કાલે બિડ
ઓનલાઈન બિડ્સ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2020 છે 26 ઓક્ટોબરે ખોલવામાં આવશે. રાજ્ય સરકારે 2018 માં તેની સોલર પ્લસ વિન્ડ હાઇબ્રિડ પાવર પોલિસી જાહેર કરી હતી. સોલાર પ્રોજેક્ટ્સ અને પાર્ક્સના વિકાસ માટે સલાહકારોને આમંત્રિત કરવા માટે લગભગ 13 ટેન્ડરોની જાહેરાત કરવામાં આવી છે.
જમીનના કરાર
ગુજરાત સરકારે પવન, સૌર અને વર્ણસંકર (પવન અને સૌર) વીજળી માટે તેની નકામા જમીન ફાળવણી નીતિમાં પણ સુધારા જારી કર્યા છે. પ્રોજેક્ટ્સ. સુધારામાં જણાવાયું છે કે જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં 50% ઇલેક્ટ્રિક ક્ષમતા સ્થાપિત થવાની છે, અને કરારના પાંચ વર્ષમાં 100% પેદા થવી આવશ્યક છે.
મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે
મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે
ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ પર્યાવરણનું નિકંદન કાઢ્યું તે ભૂલી ગયા
ગુજરાત સરકારે અદાણીની પોર્ટ કંપનીને કેવી રીતે મદદ કરી
નાની નાળ ગામના ગરીબ લોકોનો, વિશ્વના સૌથી શક્તિ શાળી અદાણી સામે વિજય
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
https://allgujaratnews.in/gj/like-cows-graze-grass-so-does-adani/
કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે
મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુજરાતના અર્થતંત્રને ફટકો
મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુજરાતના અર્થતંત્રને ફટકો
PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો કરાવ્યો
PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો કરાવ્યો
જળ, જમીન અને આકાશ અદાણીને આપતી મોદી સરકાર