ગાંધીનગર, 19 નવેમ્બર 2020
કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિસ્સો આ રીતે પવન અને સૂર્ય ઉર્જા કંપનીઓને આપી દેવા માટે કામ શરૂં કરાયું છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.
41 હજાર મેગા વોટ વીજળી
ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 2.4 ગીગાવોટ જેટલા મોટા પાયે સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 2.2 ગીગાવોટ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્ક બનાવવા માટે આ જમીન આપવામાં આવશે. જેમાં 25થી 41500 મેગા વોટ વીજળી પેદા કરવામાં આવશે. દેશમાં અત્યારે સૂર્ય ઉર્જામાં અદાણી કંપની સૌથી મોટી બની ગઈ છે. તે પણ તેમાં પ્રોજેક્ટ નાંખશે.
નાનું અને મોટું રણ
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મીટર વિસ્તાર છે. નાના રણના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારની ચારેબાજું 9 જિલ્લા છે. ચોમાસામાં 3000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાઈ જાય છે. જેની વચ્ચે 40 હેક્ટરથી 4000 હેક્ટરના 75 ટાપુ બનેલા છે.

વડાપ્રધાન મોદીનું દબાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 2 વર્ષથી નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી છે. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે. એનર્જી પાર્ક આશરે રૂ. 1,350 અબજનું રોકાણ આવી શકે છે.
સલાહકાર નિયુક્ત કરાશે
ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) એ ગુજરાતના કચ્છ ક્ષેત્રના રણ ખાતે 3.3 જીડબ્લ્યુ પવન, સોલર અને હાઇબ્રિડ પાર્ક માટે સલાહકારની નિમણૂક માટે બિડને આમંત્રણ આપ્યું છે. શક્યતા અહેવાલો, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો (ડીપીઆર), ઇજનેરી સેવાઓ, પવન અને સૌર સંસાધન મૂલ્યાંકન, જીજળી પેદા થવાનો અંદાજ કરશે.
કાલે બિડ
ઓનલાઈન બિડ્સ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2020 છે 26 ઓક્ટોબરે ખોલવામાં આવશે. રાજ્ય સરકારે 2018 માં તેની સોલર પ્લસ વિન્ડ હાઇબ્રિડ પાવર પોલિસી જાહેર કરી હતી. સોલાર પ્રોજેક્ટ્સ અને પાર્ક્સના વિકાસ માટે સલાહકારોને આમંત્રિત કરવા માટે લગભગ 13 ટેન્ડરોની જાહેરાત કરવામાં આવી છે.
જમીનના કરાર
ગુજરાત સરકારે પવન, સૌર અને વર્ણસંકર (પવન અને સૌર) વીજળી માટે તેની નકામા જમીન ફાળવણી નીતિમાં પણ સુધારા જારી કર્યા છે. પ્રોજેક્ટ્સ. સુધારામાં જણાવાયું છે કે જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં 50% ઇલેક્ટ્રિક ક્ષમતા સ્થાપિત થવાની છે, અને કરારના પાંચ વર્ષમાં 100% પેદા થવી આવશ્યક છે.

English






You must be logged in to post a comment.