ગાંધીનગર, 2 જૂલાઈ 2021
હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદના કારણે 10 લાખ ટન ઉત્પાદન થયું હોવાની શક્યતા છે.
તાલાલાની કેસર કેરીની બજાર 3 દિવસ વહેલી 8 જૂન 2021માં બંધ થઈ ગઈ હતી. છેલ્લાં દિવસે કેરીની આવક 4040 બોક્સની થઇ હતી. રૂ.290થી 725ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતુ. 10 કિલો વજનની 5.85 લાખ પેટીની આવક થઈ હતી.
વાવાઝોડાંને કારણે કેરીનો ફાલ મોટાંપાયે ખરી જતા ખેડૂતોને કેરીનું 15 ટકા ઓછું ઉત્પાદન મળ્યું હતું. હવામાનના સતત બદલાવને કારણે મે અને જૂન મહિનામાં ઘણી વખત વરસાદ પડવાનું શરૂ થયું છે. અતિશય વરસાદને કારણે ફળો પાકવાનું શરૂ કરે છે. પરંતુ તેની ગુણવત્તાને અસર થાય છે. 35 લાખ આંબા પર કેસર કેરી ઝાકળ અને ઠંડીની અસરના કારણે ઓછી આવવાની ધારણા હતી.
1.66 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે જેમાં વાવાઝોડાના કારણે 15થી 20 ટકા બગીચા સાફ થઈ ગયા છે. વલસાડી આફુસ સહિત તમામ પ્રકારની કેરીનું કુલ ઉત્પાદન 13 લાખ ટન થવાની ધારણા હતી. પણ તેમાં 25થી 30 ટકાનું નુકસાન થતાં 10 લાખ ટન કુલ કેરી પાકી હોવાની ધારણા કૃષિ વિભાગના પૂર્વ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
કેરીનો ભાવ ઉંચો રહેતા આરંભ જ તેજી સાથે થયો હતો. વાવાઝોડાંએ આંબાના બગીચા સહિત ખેત ઉત્પાદનનોની ખાનાખરાબી પણ ભોગવી છે. વાવાઝોડાં પછી કેરીના ભાવ પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. આરંભમાં ખરેલી કેરી પાણીના મૂલે વેંચી દેવી પડી હતી. એ પછી પણ સારી કેરીના ભાવ વધ્યા ન હતા.
ખેડૂતોને 2020માં વર્ષે સરેરાશ બોક્સ દીઠ રુ. 345નો ભાવ મળ્યો હતો. આ વર્ષે 2021માં રુ. 355 મળ્યા હતા. ફાયદો ધોવાઇ ગયો છે.
હવામાન પરિવર્તનના કારણે લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને અસર કરી હતી. કેસર તાલાલાની અને દશેરી માલિહાબાદની વિશ્વભરમાં પ્રખ્યાત છે. દશેરી અને કેસર તેના સ્વાદ અને રંગ માટે વિશ્વ પ્રખ્યાત છે. મે-જૂનમાં ગરમીની લહેરથી કેરી પાકે છે. આ જ કારણ છે કે જૂનાગઢની આસપાસ કેસર અને લખનૌની આજુબાજુમાં દશેરીની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે.
છેલ્લા એક દાયકાથી હવામાન બદલાવાનું શરૂ થયું છે. મે અને જૂનમાં પણ ઘણી વખત વરસાદ પડ્યો હતો. છેલ્લા 2 વર્ષથી જોવા મળી રહ્યું છે કે જૂન મહિનામાં વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ વધારે હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હતું.
સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારો અને વધુ વરસાદવાળા સ્થળોએ કેરીની ગુણવત્તા સારી હોતી નથી. કેરી પર અનેક વરસાદ વરસાદ કેરીની ગુણવત્તા માટે યોગ્ય નથી.
વધુ વરસાદને લીધે, ફળમાં મીઠાશ લગભગ 30-40% જેટલી ઓછી થાય છે. ફળ દેખાવમાં રસદાર હોય છે પણ મીઠાશનો અભાવ હોય છે. દશેરી ઓછા વરસાદને પસંદ કરે છે. વરસાદ વારંવાર આવે ત્યારે સમસ્યાઓ થવા માંડે છે.
વરસાદના કારણે ફળ ઉતારી લીધા પછી તરત જ સડવાનું શરૂ થાય છે. તેથી તે લાંબા સમય સુધી રાખી શકાતા નથી. ઉનાળાની ઋતુમાં તૈયાર કરેલા ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. દેખાવમાં વધુ રંગીન હોય છે અને ઉતાર્યા પછી લાંબા સમય સુધી રાખી શકાય છે.
ગોટલી નજીક સડો થવાની સમસ્યા થોડી વધુ જોવા મળી છે. આ વર્ષે અસામાન્ય હવામાનને લીધે વહેલા ફળ આપવાનું શરૂ કરી દીધું હતું. ગુણવત્તામાં ઘટાડો થયો છે. અસામાન્ય વરસાદના કારણે કેરીનો પાક વહેલો પુરો થયો હતો. વધુ પડતા ભેજથી બગીચામાં ફળ માખીની સંખ્યામાં વધારો થયો હતો. ઉપરથી સારા દેખાતા ફળોની અંદર કાચા રહેતા હતા.