[:gj]વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન કોંગ્રેસે લોન્ચ કરી [:]

[:gj]ગુજરાતમાં કોરોના વાઈરસ (COVID -19) ના સંક્રમણને લઈને ગંભીર બની રહેલી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, પોતાના પ્રશ્નોને ક્યાં રજુ કરવા તેવી દ્વિધામાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન લોન્ચ કરી નવી પહેલ કરવામાં આવી હતી.

આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ”ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) ને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ -સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલીદાનની ભાવનાથી રાહત કર્યો કરી મદદ કરી પરંતુ સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સરકારની ઈચ્છા શક્તિ અને વિભાગોની અસક્રિયતા જોવા મળી રહી છે, ત્યારે આવા કપરા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ માધ્યમથી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈનની શરુઆત કરવામાં આવે છે.

રાજ્યનો નાગરિક પોતાની સમસ્યા, પ્રશ્નોની રજૂઆત આ વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈનના માધ્યમથી કરશે, તેના નિવારણ માટે કોંગ્રેસ પક્ષ તમામ બનતી મદદ કરવાનો પ્રયત્ન કરશે. આ વેબ એપ ઓટો ચેટ બોટ સાથે ૨૪ કલાક કાર્યરત રહેશે, જેમાં તમે અન્ય જિલ્લામાં જવા માંગતા હોવ, અન્ય રાજ્યમાં જવા માંગતા હોવ, રાશનનો અભાવ હોય, કોરોનાના લક્ષણો હોય, દવાની જરૂરિયાત હોય, ખેતીને લગતી ખેડૂતોને કોઈ સમસ્યા હોય, ધંધાકીય- નાણાંકીય સમસ્યા હોય, સરકારી સુવિધા- વિભાગને સંબંધિત રજૂઆત હોય તે આ COVID-19 હેલ્પલાઇન E- જનમિત્રનાના માધ્યમથી કોંગ્રેસ પક્ષને માહિતી પહોંચશે અને પક્ષના કંટ્રોલ રૂમમાં આ માહિતી એકત્રિત કરવામાં આવશે, જેને સમસ્યાવાર, જીલ્લા- શહેર પ્રમાણે, વિભાગ પ્રમાણે જુદી પાડીને જીલ્લા કક્ષાના પ્રશ્નો અને રજુઆતો જીલ્લા કોંગ્રેસના કંટ્રોલ રૂમમાં મોકલી આપવામાં આવશે જ્યાંથી જિલ્લાના આગેવાનો વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરશે, રાજ્ય અને કેન્દ્ર સરકાર કક્ષાના પ્રશ્નો- નીતિ વિષયક નિર્ણયો અંતર્ગત રજૂઆતો હશે તેને પ્રદેશ કોંગ્રેસના કંટ્રોલ રૂમ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ડિજીટલ માધ્યમથી આ વિકટ પરિસ્થિતિમાં રાજ્યના સામાન્ય લોકોને મદદરૂપ થવા માટે કોંગ્રેસ પક્ષનો આ પ્રયત્ન છે.[:]