પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર મતથી હરાવ્યા

PATIL 15 AUGUST2
PATIL 15 AUGUST2

Patil’s downfall – AAP defeated BJP candidates by 30,000 votes in 4 wards in Surat

gopal
gopal

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021

સુરતમાં આપને 27 બેઠકો મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રાજકીય ક્ષમતા સામે પડકાર ઊભો થયો છે. પાટીલના વિરોધીઓ કહે છે કે, સુરતમાં 4 વોર્ડમાં ભાજપે 30 હજાર મતોથી હારવું પડ્યું છે. તે પાટીલ માટે શરમજનક છે. તેઓ પ્રમુખ પદે રહેવા લાયક નથી. પાટીલે સુરતની કારમી હારનો ઉલ્લેખ અમદાવાદના વિજયોત્સવમાં કર્યો હતો.

સુરતમાં વોર્ડ નંબર 2 અમરોલી, મોટાવરાછા, કઠોરમાંથી મોનાલી હિરપરા, રહેશ મોરડિયા, અલ્પેશ પટેલ અને ભાવના સોલંકીની જીત થઇ છે. વોર્ડ નંબર 3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણામાંથી કનુ ગેડિયા, ઋતા દુઘાગરા, સુનીલ સુહાગીયા અને મહેશ અણઘણની જીત થઇ છે. વોર્ડ નંબર 3ના ચારેય ઉમેદવારની એક બે હજારથી નહીં પણ 30 હજારની જંગી લિડથી જીત થઇ છે.

વોર્ડ નંબર 3માં ઉમેદવાર ઋતા દુધાગરાને 51,148 મત મળ્યા છે. કનુ ગેડિયાને 50,697 મત મળ્યા છે. મહેશ અણઘણને 49,404 મત મળ્યા છે અને સોનલ સુહાગીયાને 47,805 મત મળ્યા છે. આપના ઉમેદવારોની સામે ભાજપના ઉમેદવારોને 19,917, 18,279, 17,617 અને 17,394 મત મળ્યા છે. એટલે વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવારો આપના ઉમેદવારોથી 30 હજાર કરતા વધુ મતથી હાર્યા છે. સુરતના વરાછામાં ભાજપ વોર્ડ નંબર 14ને બાદ કરતા 6 વોર્ડની 24 બેઠક પર ખાતું પણ ખોલાવી શક્યું નથી. એટલે પાટીદારના ગઢમાં કોંગ્રેસની જેમ ભાજપને પણ જાકારો મળ્યો છે.

સુરતમાં વોર્ડ નંબર 4 કાપોદ્રામાં આપના ઉમેદવાર કુંદન કોઠીયા, સેજલ માલવિયા, ઘનશ્યામ મકવાણા અને ધર્મેન્દ્ર વાવલિયાનો વિજય થયો છે. વોર્ડ નંબર 5 ફૂલપાડા-અશ્વિનીકુમારમાંથી આપના ઉમેદવાર કુંદન કોઠીયા, નિરાલી પટેલ, અશોક ધામી અને કિરણકુમાર ખોખાણીનો વિજય થયો છે. વોર્ડ નંબર 7 કતારગામ-વેડમાંથી દીપ્તિ સાકરિયા અને કિશોર રૂપારેલીયાની જીત થઇ છે. વોર્ડ નંબર 16 પુણા (પશ્વિમ)માંથી પાયલ સાકરીયા, શોભના કેવડીયા, જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ મોવલીયાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 17પુણા (પૂર્વ)માંથી રચના હિરપરા, સ્વાતી ઢોલરીયા, વિપુલ સુહાગીયા અને ધર્મેશ ભંડેરીની જીત થઇ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ મનપામાં વિપક્ષ તરીકે એન્ટ્રી કરી લીધી છે. પાટીદાર વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ સમર્થન મળ્યું છે. પાટીદારોના સાથના કારણે આપને સુરતમાં 27 બેઠકો મળી છે. પાટીદારોને કોંગ્રેસે ત્રણ ટિકિટ ન આપી તેનું પરિણામ કોંગ્રેસે ભોગવવું પડ્યું અને સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે.

સુરતમાં આપને વિપક્ષનું સ્થાન મળતા જીતની ખુશીમાં સુરતમાં સીમાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્ટેજ પર શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. તેથી સ્ટેજ પર હાજર રહેલા લોકોમાં દોડાદોડી થઇ હતી પરંતુ સમયસર આગ પર કાબુ મેળવાઈ ગયો હતો.