દિલીપ પટેલ,
allgujaratnews.in
અમદાવાદ, 12 મે 2020
રાજદ્રોહ હેઠળ શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક સમાચાર આઇટમ અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ જણાવ્યું હતું. આ આરોપ રાજદ્રોહ માટે દાખલ કરાયો છે, જેમાં જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે.
જેમની સામે દેશદ્રોહનો ગુનો ભાજપની વિજય રૂપાણી સરકારે નોંધ્યો છે તે, ગુજરાતના બહાદુર પત્રકારની ઉંમર માત્ર 32 વર્ષની છે. સરકાર સામે ભય વગર લખવા માટે ધવલ પટેલ અમદાવાદમાં જાણીતા છે. તેમણે ભાજપ સરકારના અને સત્તાધિશોના અનેક કૌભાંડ જાહેર કર્યા છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં તે લડવા હંમેશ તૈયાર હોય છે. જો સરકારી તંત્ર કંઈ ખોટું કરે અને તેની પાસે પુરતા પુરાવા ન હોય તો પણ ઘણી વખત જોખમ ખેડીને આવા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતા સામે તે કોઈ ભય વગર ખૂલ્લા પાડતા રહ્યાં છે. સાચું લખવામાં ભારે હિંમત બતાવે છે. જેની તે કિંમત ચૂકવી રહ્યાં છે.
પ્રધાનો અને અધિકારીઓને હુકમ શાહી સામે તે લખે છે. જ્યાં રાજકારણીઓ ખોટું કરતાં દેખાય ત્યાં તે લખે છે. સત્તાના અનેક દલાલોની કાળા કામો તેણે જાહેર કર્યા છે.
ફેસ ઓફ નેશન
વડોદરામાં રહેતાં ડો. જ્યોતિર્નાથ કહે છે કે, મેં ધવલ સાથે ફેસ ઓફ નેશનમાં 7 વર્ષ કામ કરેલું છે. તેને સારી રીતે ઓળખું છું. 2010માં ચાલુ કરેલું. દર સોમવારે વાડજથી પ્રસિદ્ધ થાય છે. વાડજની ગોપી અન્નક્ષેત્રમાં ગોલમાલ પકડી હતી. ગોપી અન્નક્ષેત્રના ગોટાળા બહાર આવતાં 3 દિવસ બંધ કરાવામાં આવ્યું હતું.
નાનું અખબાર કેમ ચાલુ કર્યું ?
સત્ય વાત રજુ કરવા માટે તેમણે ફેસ ઓફ નેશન નામનું અખબાર શરૂ કર્યું હતું. જેમાં તે આક્રમક અહેવાલો લખતાં હતા. તેથી સરકાર, સત્તાધિશો, રાજ નેતાઓ સામે લડવા માટે ફેસ ઓફ નેશન નામનું અખબાર અને વેબસાઈટ શરૂ કરી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
ઘણાં કૌભાંડ જાહેર કર્યા
આંગણવાડી કૌભાંડ, ભાજપ સરકારના ટેન્ડરોની ગોલમાલના કૌભાંડ, ધર્મમાં પેસી ગયેલાઓના કૌભાંડ, મણિનગર કેસમાં ખૂનની ધમકી મળી હતી. જેમાં રાજકીય નેતાઓ પડેલાં હતા. અંબાજી ગોલમાલ ચાલતી હતી તે અહેવાલો છાપીને બંધ કરાવી હતી.
નડિયાદમાં કરોડોના કૌભાંડના અહેવાલ
નડિયાદના અધિકારી અને નડિયાદ નગરપાલિકાના કરોડોના કૌભાંડ જાહેર કર્યા હતા. ત્યારે તેની સામે ખંડણી – લાંચ માંગવાનો ગુનો દાખલ કરાયો છે. જે રીતે અમદાવાદમાં અનેક પત્રકારો કે જે સરકારના કૌભાંડ જાહેર કરે છે તેમની સામે આવા જ ખંડણીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેથી પકત્રકારો તેમની સામે લખતાં ડરે.
સરકારે સમાચારપત્ર બંધ કરાવ્યું
તેમણે ભાજપના નડિયાદના નેતાના અને સરકારની આલોચના કરતો એક સનસની ખેજ અહેવાલ પોતાના નાના સમાચાર પત્રમાં લખતો હતો ત્યારે કલેક્ટરે તે સમાચાર પત્ર બંધ કરી દેવા માટે નક્કી કરીને નોટિસ આપી હતી. જેની સામે ધવલ પટેલ લડ્યા હતા.
નડિયાદ નગરપાલિકાના કરોડો રૂપિયાના કૌભાંડ જાહેર કર્યા હતા. ભાજપ સરકારે કૌભાંડીઓ સામે કોઈ પગલાં ન લીધા પણ અધિકારીએ ધવલ સામે ખંડણીનો ગુનો દાખલ કરાવ્યો હતો.
નડિયાદમાં ભાજપના ધારાસભ્ય અને દંડક પંકજ દેસાઈ સામે ધવલે લખ્યું ત્યારે હતું. તો નડિયાદ કલેક્ટરે ફેસ ઓફ નેશન છાપું 9 મહિના માટે બંધ કરાવી દીધું હતું. જેમાં ધવલ હાઈકોર્ટમાં ગયો હતો અને જીતી ગયો હતો. હાઈકોર્ટે કહ્યું કે કલ્કેટકરને કોઈ સમાચારપત્ર બંધ કરવાનો કોઈ હક્ક નથી.
ભાજપ જે અખબાર બંધ કરાવવા માંગતું હતું તે રૂપાણીની છાતી પર બેસીને સત્ય લખતું હતું. જે ભાજપના સરમુખત્યાર નેતાઓથી સહન થયું ન હતું.
ધવલ સામે રાજકીય ઈશારે લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અનેક વખત ધમકી
રાજનેતાઓના કૌભાંડો અને અધિકારીઓના કૌભાંડો તે છાપતાં રહેતાં હોવાથી તેને અનેક વખત ધમકી મળી છે. ધાર્મિક નેતાના મણિનગરના કૌભાંડ જાહેર કર્યા ત્યારે તેની હત્યા કરવાની ધમકી મળી હતી. જેમાં રાજકીય નેતા પણ રસ લઈ રહ્યાં હતા. અનેક વખથ રાજકીય ધમકી મળી હતી.
પેપર સારૂં ચાલે છે
2010માં ફેસ ઓફ નેશન અઠવાડિક શરૂ કર્યું હતું. વેબસાઈ પણ આ નામથી છે. ફેસ ઓફ નેશનની ફેસ બુક પર 38,000 લાઈક છે. હાલ કોરોના ચેપ હોવાથી પેપર બંધ છે પણ વેબસાઈટ અને ફેસબુક જેવા સોશિયલ મિડિયામાં તેના અહેવાલો લાખો લોકો વાંચે છે.
ખરું કારણ શું
રૂપાણી બદલાવાના છે એ અહેવાલો સેંકડોની સંખ્યામાં લખાયા છે. અખબારોએ લખ્યા છે. પત્રકારનો અધિકાર છે કે કોઈ રાજકીય ચહલપહલ ચાલતી હોય તો તે ધારણા તરીકે લખી શકે છે. અનેક પત્રકારોએ આ સમાચાર લખ્યા છે. પણ દેશદ્રોહનો ગુનો તો માત્ર ધવલ સામે જ કરાયો છે.
પણ ખરું કારણ તો અમદાવાદ શહેરમાં કોરોનામાં લોકો ટપોટપ મરી રહ્યાં હતા ત્યારે ધવલે વિજય નેહરાના કપડા ઊતારી લેતાં સત્ય અહેવાલો છાપ્યા હતા. જેમાં ભાજપની પોલ ખૂલતી હતી. તેમના આકરા અહેવાલોના કારણે નેહરાના સ્થાને રૂપાણીએ બીજા અધિકારીઓની નિમણૂક કરવી પડી હતી.
તેઓ રોજ જયંતી રવિના ખોટા નિર્ણય અંગે સાચું લખતાં હતા. કોરોનામાં વિજય રૂપાણીની સરકાર ખૂલ્લી પડી ગઈ હતી. હવે તેમાં તો સરકાર પગલાં લઈ ન શકે. સરકાર ધવલ સામે પગલાં લેવા માટે બહાનું શોધતી હતી. જે એક મુખ્ય પ્રધાન બદલાઈ શકે છે એવી ધારણા આધારિત અહેવાલ લખ્યો હતો.
સુબ્રહ્મણીયમ સ્વામિએ આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો કોરોના કાબુમાં આવી શકે છે એવું જાહેર નિવેદન ટ્વીટ પર કર્યું હતું. તો ભાજપના નેતા સુબ્રહ્મણીયમ સ્વામી સામે પોલીસે પગલાં લીધા નથી.
દેશદ્રોહનો ગુનો આ કેસમાં બનતો નથી. તે સરકાર પણ જાણે છે. પણ ધવલને દિવસો સુધી જેલ અને કાનૂની જંગ લડવો પડશે. સરકાર આ જ ઈચ્છે છે. જેથી પત્રકાર પરેશાન થાય. બીજા પત્રકારો તે જૂએ અને ધવલ જેવું લખતા ગભરાઈ એવું ભાજપ સરકાર ઈચ્છે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર પ્રશાંત દયાલ સામે પણ રાજદ્રોહનો ગુનો મોદીની સરકાર વખતે લગાવવામાં આવ્યો હતો.
રૂપાણી બદલાય છે તે અંગે બધાએ લખ્યું તેમની સામે કોઈ પગલાં ન લેવાયા
કેમેરામેન અને પત્રકાર
રિપોર્ટર અને કેમેરામેન તરીકે અમદાવાદમાં કામ કામ કરતો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એએનઆઈમાં કેમેરામેન તરીકે કામ કરેલું છે. તેમણે ઈન કેબલમાં વધું કામ કરેલું છે. સંદેશ અખબારમાં રિપોર્ટર તરીકે કામ કર્યું છે. સંદેશ અમદાવાદ રિપોર્ટીંગ કરેલું છે. દિવ્ય ભાસ્કર, સિટી ન્યૂઝમાં કામ કર્યું છે.
કુટુંબ
મધ્યમ વર્ગથી આવેલો છે. પોતાની મહેનત આગળ આવેલા છે. સંયુક્ત પરિવાર છે. કુટુંબમાં તેમના પત્ની, પુત્રી અને માતા-પિતા છે. તેના દાદા જાણીતા એકવોકેટ હતા. સામાન્ય વ્યવસાય છે. ધવલ પાસે પત્રકારની ડીગ્રી નથી. પણ ટીવી ચેનલોમાં તે કેમેરામેન અને પત્રકાર હતા ત્યારે તે હંમેશ સત્યની પડખે રહેતો હતો. ઈન કેબલમાં સૌથી વધું કામ કરેલું છે. તેની આર્થિક સારી છે, તેથી સરકાર સામે લડી શકે છે. હમણાં જ તેઓ અમેરિકા, જાપાન પ્રવાસે જઈ આવ્યા છે.