કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં

ગાંધીનગર, 25 મે 2021

ગુજરાતના કેળા પકવતાં ખેડૂતોને દરિયા કાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયા કાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90 ટકા સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે. જેમાં સૌથી વધું નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 30 હજાર હેક્ટરમાં નુકસાન થયું હોવાનું ખેડૂતોનો અંદાજ છે. 20 લાખ ટન કેળા ને કેળને નુકસાન હોઈ શકે છે. 6થી 7 લાખ થડ અને પાનને નુકસાન થયું હોવાનું ખેડૂતોના અનુભવ આધારે કહી શકાય છે. જે થડ તૈયાર કરવામાં હવે 14 મહિનાનો સમય લાગશે.

2 હજાર કરોડનું નુકસાન

કિલોના રૂપિયા 4થી 20 સુધી ભાવ ખેડૂતોને મળતો હોય છે. કૂલ રૂપિયા 2 હજાર કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં 500-700 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 1300 – 1400 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે.

માત્ર 1250 વળતર

33 ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતને 1250 એક એકરે નુકસાની વળતર મળશે. ખેડૂતોને હાલ ભાવ એક કિલોના માત્ર રૂપિયા 4 મળી રહ્યાં છે. આમ ભાવમાં મોટો ફટકો પડ્યો છે.

એમઆરપી આપો

એમએસપી સમિતિના સભ્યો એવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, બાગાયતમાં લઘુત્તમ ટેકાના ભાવો નહીં પણ  એમએસપી સમિતિએ એમ આર પી – લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ. કારણ કે બાગાયતી પાકમાં સૌથી વધું રોકાણ થાય છે. લાંબા ગાળાનું રોકાણ થાય છે. તેથી એમઆરપી હોવી જોઈએ, એમએસપી ન હોવી જોઈએ.

70 હજાર હેક્ટરમાં કેળા

ગુજરાતમાં સરેરાશ 40 ટકા જેવું નુકસાન કુલ કેળાના ઉત્પાદનમાં થયું હોવાનું ખેડૂતો કહી કહી રહ્યાં છે. એ હિસાબે કુલ 70 હજાર હેક્ટર કેળના બગીચા હતા. જેમાં વર્ષે 46 લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે.

એક હેક્ટર દીઠ 1130 કેળના ઝાડ

એક હેક્ટરે 6 બાય 6 ફૂટમાં 1220થી 1240 કેળાના થડ વાવેલા હોય છે. એક થડ પર એક લુમ તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા 120 થાય છે. જેમાં ભરૂચ સહિતના 7 જિલ્લાઓમાં હેક્ટરે 33 ટકાથી 90 ટકા સુધી થડ પડી ગયા છે. સરેરાશ 400-500 થડની આવે છે.

પાન તૂટી જતા ઉત્પાદન ઘટશે

કેળ પડી જવા ઉપરાંત તેના પાન તૂટી ગયા છે. કેળના પાન મોટા હોય છે. જેના દ્વારા કેળાનું ઉત્પાદન મળતું હોય છે. ભારે પવનના કારણે પાન ફાટી ગયા છે. તેથી કેળ ખોરાક નહીં બનાવી શકે. તેથી લાંબા ગાળે ઉત્પાદન ઓછું થશે. કેળાની ગુણવત્તા નહીં આવે. આમ લાંબા ગાળાનું નુકસાન થયું છે.

હેક્ટર દીઠ 60 હજાર ખર્ચ

કેળમાં 14 મહિને કેળા કપાય છે.  ભરૂચના ખેડૂતો 10 મહિનામાં કેળા પકવે છે. તેઓ 26 મહિનામાં 3 વખત કેળા પકવે છે. એકર જમીન તૈયાર કરવામાં 12 હજાર ખર્ચ થાય છે. એકરમાં ડ્રીપ પાઈપ 2400 મીટર જોઈએ છે. 12 રૂપિયા મીટર એક પાઈપનો ખર્ચ થાય છે. હેક્ટર દીઠ 60 હજારનો ખર્ચ કેળની ખેતીમાં થાય છે.

કેળાના પ્રદેશ ભરૂચની કેળે ખેડૂતની કેડ ભાંગી નાખે

ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે કે હું 40 વર્ષ કેળા પકવું છું, આવી નુકસાની ક્યારેય જોઈ નથી. ભરૂચમાં 33 ટકાથી 90 ટકા નુકસાન થયું છે. ખુલ્લા કેળ હોય તો 400-500 થડ પડી ગયા છે. 33 ટકાથી 90 ટકા નુકસાન છે.

66.54 ટન હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન થાય છે. ભરૂચમાં સૌથી વધું 73 ટન હેક્ટર દીઠ કેળા પાકે છે.

એક ખેડૂતને 40 લાખનું નુકસાન

ઝઘડીયાના ઈન્દોર ગામના એક ખેડૂતે 40 રૂપિયાનો એક ટીસ્યુ વેરાઈટી પીળા કેળાના છોડ વાવેલા તે  4 એકર પડી ગયા છે. 35થી 40 લાખનું માત્ર આ એક ખેડૂતને થયું છે.

ભરૂચ

ગુજરાતમાં સૌથી વધુ કેળા ભરુચમાં પાકે છે. જ્યાં 12 હજાર હેક્ટરમાં 9 લાખ ટન કેળા પાકે છે. ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે કે, નર્મદા નદીના કાંઠે સૌથી વધું કેળા પાકે છે. 20 કિલોના રૂપિયા 80 છે. ભારતમાં  4 રૂપિયે કિલો થયા છે. 10 દિવસ પહેલા 210 ભાવ હતો. અંકલેશ્વર, દરિયા કાંઠાના ભરૂચના અને નદી કાંઠે ભારે નુકસાન થયું છે. બારડોલીમાં ભારે નુકસાન થયું છે. વાપી, વલસાડથી લઈને આણંદ સુધી કેળને નુકસાન છે.

આણંદમાં ઓછું નુકસાન

આણંદના બોરીયા ગામના  કેળાના ઉત્પાદક કેતન પટેલ કહે છે કે, ખેડા અને આણંદ 5થી 10 ટકા નુકસાન છે. બે દિવસ કેળાનો ભાવ નીચો રહ્યો હતો. 20 કિલોના 200 રૂપિયા ભાવ ખેડૂતોને મળે છે. એક કિલોના રૂપિયા 10 હાલ મળે છે.

નદી કિનારે સૌથી વધું કેળા પાકે છે

નવસારી – મધુમતી અને બીજા 3 નદીના કાંઠે 3183 હેક્ટરમાં કેળા છે.

તાપી નદી – નિઝર, તાપી નદીના ઉદગમ સ્થાન મહારાષ્ટ્રથી સુરત સુધી કેળા થાય છે. ગલા, કરજણ, બોધાન, ભૈરવ, કામરેજ કેળાના મુખ્ય વિસ્તારો છે. 18 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

બારડોલી- એના અને ડુંગરામાં મોટું વાવેતર છે. 1 હજાર હેક્ટર છે.

નર્મદા- રાજપીપળાથી લઈ ભરૂચ સુધી નર્મદા નદીના 21 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

મહિસાગર – ખાનપુર, સારસાર, બોરીયા, પેટલાદ, અંકલાવ, આસોદર કેળાના વિસ્તારો છે. 15 હજાર હેક્ટરમાં કેળા પાકે છે.

ભાવનગર – મહુવામાં ભારે મોટું નુકસાન થયું છે. 1750 હેક્ટર કેળા છે.

ભાવનગર 1753, જૂનાગઢ 550, સોમનાથ 700, અમરેલી 230 હેક્ટરમાં કેળા પાકે છે.

કેળના વાવેતર 2020બાગાયત વિભાગ)
નુકસાનજિલ્લાનીકેળનુંકેળનુંવાવાઝોડા
24 મે 2021કૂલવાવેતરઉત્પાદનહેક્ટરે ટકા
વિજ્જોજમીનહેક્ટરમેટ્રિક ટનનુકસાન
સુરત251300869261382960%
નર્મદા113000924066232355%
ભરૂચ3149001228689687870%
ડાંગ56500311208
નવસારી106800318317665760%
વલસાડ16430010756100675%
તાપી14910012937758060%
દક્ષિણ ગુ.1663700129377580
અમદાવાદ48740014972
અણંદ1838001271082614320%
ખેડા2835009905614320%
પંચમહાલ17620041715888
દાહોદ2236007182
વડોદરા304700634443196335%
મહિસાગર122400502075
છોટાઉદેપુર2066006950483025
મધ્ય ગુ.1988200276171822630
બનાસકાંઠા69160018651
પાટણ36040000
મહેસાણા348100282
સાબરકાંઠા271600451925
ગાંધીનગર16020000
અરાવલી202700753180
ઉત્તર ગુજ.20346001405838
કચ્છ7335002685152777
સુરેન્દ્રનગર62100000
રાજકોટ53630039140040%
જામનગર3662003126
પોરબંદર1109005150
જૂનાગઢ3587005502653880%
અમરેલી538200229800680%
ભાવનગર45470017538410990%
મોરબી3470008307
બોટાદ19970000
સોમનાથ2170006953559090%
દ્વારકા22960013572
સૌરાષ્ટ્ર39793005980309574
ગુજરાત કૂલ9891500695374627523