Amit Shah’s Political Life
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025
મોદી સરકારના પ્રધાન મંડળમાં અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. શાહ સંગઠનના નેતા તરીકે સફળ રહ્યા. ગુજરાત સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હતા. સંગઠન અને સરકાર એમ બંનેનો અનુભવ છે.
રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ અમિત શાહે 2014ની ચૂંટણી, 2019ની ચૂંટણી ભાજપનો વ્યાપ વધારવામાં અમિત શાહ હતા. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠક પર વિજય મેળવ્યો અને એનડીએને 352 બેઠક મળી. વિજયે અમિત શાહને ભાજપના સૌથી સફળ અધ્યક્ષ બનાવી દીધા છે.
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન શાહે ભાજપને યૂપીમાં 80માંથી 71 બેઠક ભાજપને અપાવી હતી.
સરકારી પદ અને સંગઠનને મજબૂત કરવાનું કાર્ય કરતા રહ્યા.
અમિત શાહ વર્ષ 2002થી 2010 સુધી ગુજરાત સરકારમાં મોદી સરકારમાં પ્રધાન તરીકે રહ્યા. ગુજરાતના ગૃહ પ્રધાન તરીકે તેઓ યોગ્ય રીતે બંધબેસતા હતા. જવાબદારી સમગ્ર રાજ્યમાં શાંતિ સ્થપાઈ રહે રહી.
વ્યક્તિગત રીતે તેમના કાર્યકાળ દરમિયાન તેમના ઘણા આક્ષેપો અને વિવાદ પણ થયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હતા ત્યારે એન્કાઉન્ટર કરવાનો આરોપ લાગ્યો હતો. કાર્યકાળ સરેરાશ સારો હતો. ગૃહ પ્રધાન તરીકે તમે હોશિયાર અને જલદી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા રહ્યા.
એકદમ શિસ્તબદ્ધ રીતે પક્ષમાં કામ કરતાં રહ્યાં. પણ મોદીના જૂથને વફાદાર રહીને. દાયકાથી તેઓ બૂથ મેનેજમેન્ટ પર ભાર મૂકતા આવ્યા છે. શાહ મોદીના નંબર-2 રહ્યાં.
લાયકાતને બદલે વફાદાર અધિકારીઓની પસંદગી કરતા હતા. ભારતની અંદર પ્રથમ એવા ગૃહ રાજ્યપ્રધાન હશે જેમને પોતાના રાજ્યથી તળી પાર કરવામાં આવ્યા જે સમગ્ર દેશ માટે અત્યંત શરમજનક બાબત હતી. એન્કાઉન્ટરમાં જે બધું થયું તે નરેન્દ્ર મોદી નહીં પરંતુ અમિત શાહની સૂચનાથી જ થતું હતું.
અમિત શાહ તેમના રાજકીય દુશ્મનોને ક્યારેય પણ માફ નથી કરતા.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં કબૂલ્યું છે કે તેમના ફોનને રેકર્ડ કરી જાસૂસી કરવામાં આવતી હતી.
2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા.
6 આઈપીએસ અધિકારી અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને એન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા.
25 જુલાઈ, 2010ના રોજ સીબીઆઈએ ઍન્કાઉન્ટર કેસમાં અમિત શાહની ધરપકડ કરી હતી. સોહરાબુદ્દીન અને કૌસર બીના નકલી ઍન્કાઉન્ટરના મામલામાં તેમણે જેલમાં જવું પડ્યું હતું.
થોડો સમય રાજકીય પંડિતોને એવું લાગ્યું કે તેમની રાજકીય યાત્રાનો આ સાથે અંત આવી જશે.
29 ઑક્ટોબર, 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટે એક લાખ રૂપિયાના જાતમુચરકા પર અમિત શાહને જામીન આપ્યા.
અમિત શાહ પર સીબીઆઈએ હત્યા, અપહરણ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂક્યો હતો. પરંતુ પુરાવાના અભાવે તેમને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા.
જેલમાંથી છૂટ્યા પછી પક્ષમાં તેઓ એક પછી એક પગથિયું ઉપર જ ચડતા ગયા.
અમિત શાહ ગૃહ મંત્રાલય અને સહકારી માળખું ખિસ્સામાં રાખવાનું પસંદ કરે છે.
વિરોધીઓની નબળી નસ પકડી એમને ચૂપ કરી દેતા આવ્યા હતા.
શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો.
14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ ‘તરુણ સ્વયંસેવક’ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હોવાનો દાવો કરે છે. પુરાવા નથી.
નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા. કદાચ એ જ કારણ છે કે અત્યારે અમિત શાહને વ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ મનાય છે.
અમિત શાહ કોલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પરિષદ પાંખ એબીવીપીમાં જોડાયા હતા. તેઓ ક્યારેય આર એસ એસમાં જોડાયા ન હતા.
1982માં બાયૉ-કેમિસ્ટ્રીનું ભણી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેઓ અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી બન્યા હતા.
ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી.
સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે.
1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજ્યના સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, ગુજરાત ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણી, વૈભવી ક્લબની ચૂંટણી હોય, સંસ્થાઓની ચૂંટણીઓ પણ જીતતા રહ્યા અને પક્ષ વતી તેના પર નિયંત્રણો પણ મેળવતા રહ્યા.
વર્ષ 2002માં તેમને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પદભાર સોંપવામાં આવ્યો હતો.
શાહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે ઉપસી આવ્યા અને તેમણે સમગ્ર ભાજપની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. મોદીના તમામ ગુપ્ત ઓપરેશનો શાહ કરતાં રહ્યાં.
નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણીમાં જિતાડી દેવાની કુનેહ તેમણે કેળવી છે.
રાજકીય સ્પર્ધકો ભાજપને હંમેશાં એ વાત યાદ અપાવતા રહે છે કે અમિત શાહ સામે ફોજદારી ગુના પણ દાખલ થયા હતા.
અમિત શાહની
1964, 22 ઑક્ટોબર: મુંબઈમાં જન્મ
1978: આરએસએસના તરુણ સ્વયંસેવક બન્યા
1982: એબીવીપી ગુજરાતના મદદનીશ મંત્રી બન્યા
1987: ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા
1989: ભાજપના અમદાવાદ શહેર સંગઠનમાં મંત્રી બન્યા
1995: કેશુભાઈ પટેલે તેમને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન ચેરમેન બન્યા
1997: ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા
1998: ગુજરાત ભાજપમાં પ્રધાન તરીકે નિમાયા
1999: ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ બન્યા
2000: અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન બન્યા
2002-2010: ગુજરાત સરકારમાં પ્રધાન તરીકે રહ્યા
2006: ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા
2009: સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા
2010: સોહરાબુદ્દીન અને કૌસર બી નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ થઈ
2013: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા
2014: ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા
2014: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા
2016: સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય બન્યા
2016: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એક વાર પસંદગી
2019: કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે નિયુક્તિ
અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ ભાજપમાં કોને ખતમ કર્યા, વાંચો યાદી
પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે
જ્યાં ભાજપ નબળો ત્યાં કોંગ્રેસ તોડો, અમિત શાહનું રાજકીય રંગસૂત્ર
મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરોડના ભાગીદાર જાહેર કર્યા
ગુજરાતમાં મોદીનો ડર રહ્યો નથી પરંતુ અમિત શાહનો ડર શરૂ થયો છે
અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ ટકતો નથી
https://allgujaratnews.in/gj/union-home-minister-amit-shah/
અમિત શાહ અને મોદીની સતત 8મી કારમી હાર, કેજરીવાલની નવી રાજનીતિ
ગુજરાતી
English





