ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ

ગાંધીનગર, 25 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા.

ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, મોરબી, છોટાઉદેપુર અને કચ્છ જીલ્લામાં વર્ષ 2019 કરતાં 2020માં વધુ ડમ્પરો પકડાંયા છે.

તેમાં તાપી અને કચ્છ જીલ્લામાં 2019 કરતાં 2020માં ત્રણગણાં વધુ ડમ્પરો પકડવામાં આવ્યા છે. કોરોના મહામારી સૌને નડી છે પરંતુ ખનિજ માફીયાઓ કોરોનાકાળમાં પણ બેફામ બન્યા છે.

નદી માતાની ભાજપ સાબરમતીમાં આરતી ઉતારીને પૂજા કરે છે. પણ તે જ નદીની રેતી ચોરી કરાવે છે. જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી કે જિલ્લા ખાણ ખનિજ વડાને મહિને રૂ.30 લાખથી લઈને રૂપિયા 3 કરોડની કમાણી થાય છે. તે કમાણીનો હિસ્સો ગાંધીનગર સુધી પહોંચે છે.

બિલ્ડરો કહે છે કે જે પકડાયા છે તે 1 ટકો છે. 99 ટકા તો છટકી જાય છે. આવા 2 લાખ ટ્રકો કે ડેમ્પરો પકડાતા ન હોવાનું વિભાગના પ્રામાણિક અધિકારીઓ માને છે.

વાભાગના રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ છે. જ્યારે વિભાગના અધિક મુખ્ય સચિવ અને અગ્ર સચિવ એમ બે હોદ્દા પર કમલ દયાની છે. તે પણ બન્ને હોદ્દા પર તેઓ ઈન્ચાર્જ તરીકે છે.

વિભાગના બીજા અધિકારીઓમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, બ્લોક નં. 2, રજો માળ, સચિવાલય, ગાંધીનગરમાં અધિક મુખ્ય સચિવના રહસ્ય સચિવ આઇ એ નાગોરી, નાયબ સચિવ પ્રકાશ મજમુદાર, આર. વી. ભટ્ટ, બી જે ગાવીત, એ પી મકવાણા, બી જી પટેલ, આર ઓ રાઠવા, પી ડી સોલંકી , બી એમ ચૌધરી, બી ડી મોદી છે.

છેલ્લા બે વર્ષમાં રૂા.212 કરોડની ખનિજ ચોરી પકડાઇ હતી પણ માત્ર 10 પોલીસકેસ કરવામાં આવ્યા હતાં. આમ, રેતી-ખનિજ માફિયાઓ પ્રત્યે સરકારનુ કુણું વલણ રહ્યુ છે તેવુ ચિત્ર સ્પષ્ટ થયુ છે.

વિધાનસભામાં વર્ષ 2019માં 171 વખત અને વર્ષ 2020માં 127 વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

એશિયાનો સૌથી મોટો લાઇમસ્ટોનનો જથૃથો છે તે પોરબંદર જિલ્લામાં અગાઉ 500 કરોડની વધુની ખનિજ ચોરી પકડાઇ ચૂકી છે. તે પોરબંદર જિલ્લામાં વર્ષ 2019માં એકેય દરોડો પાડવામાં આવ્યો નથી. વર્ષ 2020માં એક જ દરોડો પાડયો હતો તે સરકારે ખુદ કબૂલ્યુ છે. ભાજપના પોરબંદરના નેતા અને ધારાસભ્ય બાબુ બોખીરિયાને ખાણમાં ગેરદાયકે ખોદકામ કરવાના રૂ.130 કરોડના દંડના ગુનામાં ગુજરાત સરકારે બચાવી લીધા છે.

ભૂસ્તર શાસ્ત્રી ર્ગ-2ની 55 જગ્યાઓ મંજૂર થયેલી છે તે પૈકી 28 જગ્યા ખાલી છે. આમ,ભૂસ્તરશાસ્ત્રીની કુલ 50 ટકા જગ્યાઓ ખાલી રહી છે. આ જગ્યાઓ ખાલી હોવાના કારણે ખનિજ માફિયાઓ બેફામ બન્યાં છે.

ખનિજ ચોરી કરતાં ટ્રકો-ડંપરો પકડાયા
20192020કૂલ
આણંદ63970709
ભાવનગર379112491
નવસારી7365241260
વલસાડ528186714
મહેસાણા10225701592
પાટણ556343899
વડોદરા10692451314
સુરત96211332095
રાજકોટ14993242
૧૦પોરબંદર7943122
૧૧જામનગર233107340
૧૨દેવભૂમિદ્વારકા4181122
૧૩નર્મદા90246336
૧૪ડાંગ2080208
૧૫બનાસકાંઠા124231355
૧૬કચ્છ3059891294
૧૭અમદાવાદ252018354355
૧૮બોટાદ10070170
૧૯દાહોદ295183478
૨૦પંચમહાલ371495866
૨૧અમરેલી28478362
૨૨ગાંધીનગર476326802
૨૩તાપી118192
૨૪ગીરસોમનાથ278107385
૨૫જૂનાગઢ21778295
૨૬અરવલ્લી629203832
૨૭સાબરકાંઠા12065141720
૨૮સુરેન્દ્રનગર363266629
૨૯મોરબી113127240
૩૦છોટાઉદેપુર131199330
૩૧ભરૂચ413226639
૩૨મહીસાગર202137339
૩૩ખેડા42399522
કુલ15152999725149