શ્વેતક્રાંતિને બનાવી સફેદ ઝેરની ક્રાંતિ
મોદીનું ભારત: વિશ્વમાં ભેળસેળયુક્ત દૂધનો સૌથી મોટો ઉત્પાદક
લેખક – દિલીપ પટેલ
નિરીક્ષણ અને પરીક્ષણ પ્રણાલી અત્યંત નબળી છે. કૃષિ મંત્રાલય અને ડેરી બોર્ડના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતના દૂધ અર્થતંત્રમાં 500 મિલિયન લિટરનો “નકલી ગાળો” છે. ભેળસેળ યુક્ત દૂધનું સામ્રાજ્ય ખીલી રહ્યું છે.
“સફેદ જુઠ્ઠાણા” સામે આંદોલન શરૂ કરે. આત્મનિર્ભર બનવા માંગે છે, તો પહેલા આ 500 મિલિયન લિટર જુઠ્ઠ દૂધને બંધ કરવું પડશે.
દેશમાં દરરોજ આશરે 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે, જ્યારે વપરાશ 65 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. બાકીના 50 કરોડ લિટર બનાવટી છે.
આ દૂધ નથી, પરંતુ એક રાસાયણિક કોકટેલ છે જે દરરોજ આપણા બાળકોના શરીરમાં તેમના ગ્લાસ દૂધ દ્વારા ખવડાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભેળસેળ કરનારાઓએ કૃત્રિમ દૂધ ઉત્પાદનને સ્થાનિક ઉદ્યોગમાં ફેરવી દીધું છે. યુરિયા, ડિટર્જન્ટ, સ્ટાર્ચ, સોડા અને ફોર્મેલીન જેવા ઝેરી રસાયણોથી બનેલું આ નકલી દૂધ વાસ્તવિક દૂધ જેવું દેખાય છે.
દેશમાં 68 ટકાથી વધુ દૂધ ભેળસેળ યુક્ત અથવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. ફક્ત 35 ટકા નમૂનાઓ શુદ્ધ દૂધના નીકળે છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા હવે “નકલી દૂધ કોરિડોર” તરીકે ઓળખાય છે.
કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરીને ત્રણથી ચાર ગણો નફો કમાઈ રહ્યા છે. દૂધની ભેળસેળનું અર્થતંત્ર ઉભું થઈ ગયું છે.
સાચા દૂધ ઉત્પાદકો ધંધો બંધ કરી રહ્યાં છે.
હવે ગુજરાતે પોતે શ્વેતક્રાંતિને બનાવી સફેદ ઝેરીની ક્રાંતિ બનાવી દીધી છે. દૂધથી શક્તિ નહીં, પણ ધીમા ઝેર પીવાની ક્રાંતિ બનાવી રહ્યા છીએ.
ઓપરેશન વ્હાઈટ પોઈઝન
2025ના સરકારી અહેવાલો અનુસાર, ત્રણમાંથી એક દૂધનો નમૂનો ભેળસેળનો છે. દૂધના 38 ટકા નમૂનાઓમાં ભેળસેળ મળી આવી હતી. પાણી, ડિટર્જન્ટ, યુરિયા અને ખતરનાક રસાયણો ભેળવીને આરોગ્યના નામે ઝેર વેચવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતમાં 47 ટકા, દક્ષિણમાં 18 ટકા, પશ્ચિમ ભારતમાં 23 ટકા અને પૂર્વમાં 13 ટકા દૂધના નમૂના નિષ્ફળ ગયા. દેશમાં 806 જિલ્લાઓ છે, ત્યારે પરીક્ષણ માટે ફક્ત 230 પ્રયોગશાળાઓ છે.

સફેદ ઝેર
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્ય સભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી ઉત્પાદનોના 2023-24ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં 15841 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 910માં ભેળસેળ મળી હતી. 847 સામે સિવિલ ગુના અને 31 સામે ફોજદારી ગુના નોંધ્યા હતા.
3 ફેટના દૂધમાં તેલ નાંખતાં 7 ફેટ થઈ જાય છે. FSSAI ના ધોરણો અનુસાર, દૂધમાં 3.5% ચરબી અને 8.5% SNF હોવું જોઈએ, પરંતુ નકલી દૂધમાં આ હોતું નથી. ગુજરાતમાં દૂધનું ઉત્પાદન વધુ છે, પરંતુ ભેળસેળ પણ વધુ છે. અમૂલ જેવી મોટી બ્રાન્ડને સલામત માનવામાં આવે છે, પરંતુ એવું નથી.
સબસીડી જવાબદાર
દૂધના પાવડર પર સબસિડી આપવામાં આવી રહી છે તેથી તે સસ્તો પડે છે અને નકલી દૂધમાં તે ઉમેરીને ઘાટુ બનાવવા મોટા પાયે ઉપયોગ થાય છે. તેથી તુરંત સબસિડી દૂર કરવી જોઈએ.
ગુજરાતના પડોશી રાજ્યો
2019માં 3 મોટી ડેરી નકલી દૂધ બનાવતી પકડાઈ હતી. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યોમાં અમૂલ જેવા બ્રાન્ડેડ દૂધ એકમોને નકલી દૂધ સપ્લાય કરવામાં આવ્યું હતું. જે 10,000 લિટર નકલી દૂધ, 500 કિલો નકલી માવા, 200 કિલો કૃત્રિમ પનીર (કોટેજ ચીઝ) જપ્ત કર્યા હતા.
કુલ 20 ટેન્કર અને 11 પિક-અપ વાન જેમાં નકલી દૂધ અને અન્ય ઉત્પાદનો હતા. તે જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રવાહી ડિટર્જન્ટ, રિફાઇન્ડ તેલ અને ગ્લુકોઝ પાવડર જપ્ત કરવામાં આવ્યો હતો.
કૃત્રિમ દૂધના ઉત્પાદનમાં સામેલ ત્રણ ફેક્ટરી ઉપરાંત, બે સપ્લાય સેન્ટર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા – જેમાં 5,600 લિટર કૃત્રિમ દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની અમૂલ દૂધ વેચતી 50 ટકા ડેરીઓમાં પડોશી રાજ્યથી દૂધ લાવવામાં આવતું હોય છે. જે નકલી હોવાની પૂરી સંભાવના છે.
તેથી ગુજરાત બહારથી દૂધ ન લેવા માટે અમૂલ ફેડરેશને આદેશ બહાર પાડવો જોઈએ.
બનાવવાની રીત
ભેળસેળ કરનારા લોકો વાસણમાં શેમ્પુ નાખીને તેને સારી રીતે ફેંટે છે. ત્યારબાદ રિફાઈન્ડ ઓયલ નાખે છે અને બાદમાં શેમ્પૂ સાથે તેને લાંબા સમય સુધી ફેંટે છે. બાદમાં યૂરિયા નાખીને તેને પણ શેમ્પૂ અને રિફાઈન્ડ તેલ સાથે મિક્સ કરે છે. થોડી વાર બાદ જ્યારે દૂધ જેવું લિક્વિડ તૈયાર થવા લાગે છે તો તેમાં એક બે લીટર દૂધ નાખવામાં આવે છે. ગરમ કર્યા બાદ પણ દૂધ ફાટતું નથી અને લાંબા સમય સુધી ચાલે તેના માટે તેમાં લિક્વિડ તેજાબ પણ નાખવામાં આવે છે, જે જીવલેણ છે. હાઈડ્રોજન લુબ્રિકેન્ટ પણ નાંખે છે.
ગુજરાતમાં નમુના
23 ઓક્ટોબર 2019માં અમદાવાદમાં એકત્ર કરેલા 61 દૂધના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. 2018માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય દૂધ સલામતી અને ગુણવત્તા સર્વેક્ષણમાં આ વાત બહાર આવી હતી. ગુજરાતમાં 75 નગરો અને શહેરોમાંથી લેવામાં આવેલા 456 દૂધના નમૂનાઓમાંથી 53 ટકા મૂળભૂત ગુણવત્તા ધોરણોનું પાલન કરતા નહોતા.
FSSAI એ લીવર કેન્સર માટે જવાબદાર ઝેર – Aflatoxin M1 માટે નમૂનાઓ સ્કેન કર્યા હતા. ગુજરાતમાં, આઠ દૂધના નમૂના – આણંદમાં 1, પેટલાદમાં 2, બોરસદમાં 3 અને ખંભાતમાં 2 નમુનામાં સ્વીકાર્ય મર્યાદાથી વધુ ઝેર જોવા મળ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે FSSAI એ દૂધનું ઝેર માટે પરીક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં મોટાભાગના નમૂનાઓ ચરબીમાં 85 નમુના નાપાસ થયા હતા. દૂધના 208 ઘન પદાર્થો પરીક્ષણોમાં નિષ્ફળ ગયા. પ્રોસેસ્ડ દૂધના 113 નમૂનામાંથી 61 નમુના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. સર્વેમાં પ્રોસેસ્ડ દૂધના 5 નમૂનામાં માલ્ટોડેક્સ્ટ્રિન અને 6 ખાંડ મળી આવી હતી. પાંચ નમૂનાઓમાં માલ્ટોડેક્સ્ટ્રિન અને છ નમૂનાઓમાં ખાંડ જોવા મળી. આ અસુરક્ષિત નથી.
ચરબી અને SNF દૂધમાં પાણીમાં ભેળવવાને કારણે હોઈ શકે છે.
દેશભરમાંથી લેવામાં આવેલા 93% થી વધુ નમૂનાઓ – 6,432 માંથી 5,976 – વપરાશ માટે સલામત હતા. ગુજરાતમાં, ચાર દૂધના નમૂનાઓમાં એન્ટિબાયોટિક્સની હાજરી હતી. જેમાં ભાવનગરમાં 1, અંકલેશ્વરમાં 2, સુરત 1માં એન્ટિબાયોટિક મળ્યા હતા.
નુમના
2024-25માં ભારતમાં દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે 12 હજાર ગુના નોંધ્યા હતા.
ગુના
2023-24
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્યસભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી ઉત્પાદનોના સેમ્પલ સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં દૂધમાં ભેળસેળના સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પછી રાજસ્થાન, તમિલનાડુ અને કેરળનું નામ આવે છે. દૂધ સાથે પનીર, દહીં, મિઠાઈ અને બિસ્કિટમાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 2023-24માં દૂધ અને દૂધની બનાવટોના 27,750 સેમ્પલમાંથી 16,183 સેમ્પલ ફેલ થયા છે. જ્યારે, રાજસ્થાનમાં 18264માંથી 3564 સેમ્પલ, તમિલનાડુમાં 18146માંથી 2237 અને કેરળમાં 10792માંથી 1297 ફેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં ભેળસેળ યુક્ત દૂધ વેચનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશમાં ભેળસેળના 1928 કેસ નોંધાયા છે. આ પછી તામિલનાડુમાં 944, કેરળમાં 737, મહારાષ્ટ્રમાં 191 અને બિહારમાં 174 કેસ નોંધાયા છે.
56 કરોડ
દેશમાં રોજ 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેની સામે રોજ 65 કરોડ લિટરનું દૂધ અને દૂધની બનાવટો વેચાય છે. દૂધના ઉત્પાદન કરતાં લગભગ પાંચ ગણું દૂધ અને તેની બનાવટો વેચવામાં આવે છે.
દરરોજ 51 કરોડ લિટર જેટલું નકલી દૂધ વેચાય છે.
એક લિટરના 50 રૂપિયા ગણવામાં આવે તો 2500 કરોડનું દૂધ નકલી વેચાય છે.
મિલાવટ માફિયાનું રાજ્ય છે. ફૂડ અને ખાદ્યાન્ન વિભાગના ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, ભ્રષ્ટ તંત્ર અને પૂરેપૂરું રાજકીય સમર્થન છે. સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે.
ગુજરાતમાં દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે તેના પછી પણ દૂધ એકદમ ગાઢ કે ફેટવાળુ રાખવા માટે ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ નાખી ફેટ વધારવામાં આવે છે.
દૂધમાં ફેટનું પ્રમાણ જાળવવા તેમાં હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ ઉપયોગમાં લેવાય છે. તેના પછી આ રીતે કેમિકલ્સથી વધારેલા ફેટ વાળું દૂધ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને છેક દિલ્હી સુધી વેચવામાં આવે છે. આ માટે રાજ્યની ઘણી મોટી ડેરીઓમાં રોજ કેમિકલ્સ ભરેલી ટ્રકોનો મોટો પુરવઠો રાત્રે ઉતરે છે.
ગુજરાતમાં દૂધમાંથી ફેટ બનાવવાનો આ ગેરકાયદે વેપાર મહિનાના 300થી 400 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. આંકડો વર્ષે રીતસર આરામથી ચાર હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
કેમિકલ્સ વાળુ દૂધ, ઘી, માખણ, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ જેવી 400 વસ્તુઓ બનાવી શકાય છે.
નકલી દૂધમાંથી બનતી મીઠાઈઓ મહદઅંશે રાસાયણિક દૂધ અને નકલી માવાઓની બનેલી છે.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢની સાવજ ડેરીમાં અડધું દૂધ જ બને છે અને મોટાભાગનું બનાવટી દૂધ અસલી દૂધ સાથે મિક્સ કરીને વેચવામાં આવે છે. મહારાષ્ટ્રમાંથી આવતો બનાવટી દૂધનો પુરવઠો ઘટી ગયો હતો.
દૂધ ઉત્પાદન કરતી ડેરીઓથી લઈને દૂધનું સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ અને આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓની પૂરેપૂરી સંડોવણી છે.
મોદીના 9 વર્ષ – ભારત: વિશ્વમાં ભેળસેળયુક્ત દૂધનો સૌથી મોટો ઉત્પાદક
ગુજરાત
સમગ્ર ગુજરાતમાં સફેદ દૂધનો બેરોકટોક કાળો કારોબાર ધમધમી રહ્યો છે.
સહકારી ડેરીઓ અને ખાનગી એકમો વચ્ચેના મિલીભગત પર મોટા સવાલો ઉભા કર્યા છે. ખાનગી યુનિટમાંથી નીકળેલું દૂધ સરકારી કે સહકારી ડેરી સુધી કેવી રીતે પહોંચે છે? શું આ દૂધ નકલી કેમિકલયુક્ત છે? શા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મોટા નેટવર્કથી અજાણ ન હોઈ શકે.
4 ડેરીઓમાં દરરોજ 10 હજાર લિટર જેટલું નકલી દૂધ ઠાલવવામાં આવે છે જીવલેણ દૂધ થકી કમાણી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના પરા વિસ્તારના એક મકાનમાંથી મોડી રાત્રે 220 લીટર શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજુ રબારી અને રાણા ભરવાડ નામના શખ્સોના તબેલા તેમજ રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો હતો.
દૂધ બનાવવા માટે વપરાતો 200 કિલો દૂધનો પાવડર અને વનસ્પતિ તેલ પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ આ શંકાસ્પદ નકલી દૂધ બનાવવા માટે થતો હતો.
દૂધનો નાશ કર્યો છે અને પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી.
એફએસએલ રિપોર્ટ અનુસાર, દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમિકલ્સનું મિશ્રણ કરાતું હતું. આ રીતે બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.
ખાંભા ગીરના અંતરિયાળ ગામડાઓમાં મોટા પાયે ફૂલ્યો-ફાલ્યો છે. અગાઉ પણ ખાંભાના વિવિધ ગામડાઓની ડેરીમાંથી નકલી દૂધનો જથ્થો પકડાઈ ચૂક્યો છે. જો ફૂડ વિભાગ દ્વારા તાલુકાના અન્ય ગામડાઓમાં પણ સઘન તપાસ કરવામાં આવે, તો આ દૂધના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થવાની શક્યતા છે.
અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો
અમરેલી
અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાંથી નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો.
ખિજડીયા – યુવરાજસિંહ
અમરેલીના ખીજડીયામાં ખીજડીયા ગામમાં 10 હજાર લીટર નકલી દૂધ ઝડપાયું હતું, FSLના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનો જણાયું હતું. દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમીકલ્સનું મિશ્રણ કરાતું હતું. 10 હજાર લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો. અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે આવેલા ‘દ્વારકેશ’ નામના યુનિટમાંથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે.
પ્રાંતિજ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલમાં નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. સત્યા ડેરી પ્રોડક્ટ્સમાંથી રોજ 1700થી 1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન થતું હતું. જેને “તાજા” અને “ગોલ્ડ મિલ્ક” જેવા નામ આપી પેકીંગ કરાતું હતું. ગુજરાતભરમાં વેચાણ કરવામાં આવતું હતું.
ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
જૂનાગઢ
18 માર્ચ 2026માં જૂનાગઢના તાલાલાના ગુંદરણ ગામે પ્રેમનગર નેસમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આરોપી રવિ કરમટા રોજનું 6 હજાર લિટર નકલી દૂધ બનાવાતું હતું. દરરોજ સવારે 3000 લીટર અને સાંજે 3000 લીટર એમ કુલ 6000 લીટર નકલી દૂધ બનાવતો હતો.
3120 લિટર નકલી દૂધ, 260 કિલો પામતેલ, 105 કિલો દૂધ બનાવવાનો પાઉડર, 16 કિલો દૂધનો પાવડર, 78 મોટા કેન પકડાયા હતા. નકલી દુધ તાલાલાની ડેરીઓમાં અપાતું હતું.
કાલાવડ
28 જૂલાઈ 2022માં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસામાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ હતી. બનાવટી દૂધ રાજકોટમાં હોટલો અને ડેરીમાં પહોચાડવામાં આવતું હતું.
દોઢ વર્ષથી પાવડર, વેજીટેબલ ઘી સહિતનું મિશ્રણ કરીને નકલી દુધનો વેપાર કરતાં હતા.
દુધનો મોટો જથ્થો અને પાવડર, વેજીટેબલ ઘી, કેમિકલ જપ્ત કર્યા હતા. નકલી ઘી સહિતની મિલાવટ મશીનમાં મિકસ કરાતી હોવાનું જણાયું હતું.
વધારે દૂધ આપે તે માટે નકલી અને પ્રતિબંધિત ઇન્જેકશનની ફેકટરી થોડા સમય પહેલાં જામનગરમાંથી પકડાઈ હતી. ઇન્જેકશનો છેક વાપી, વલસાડ સુધી સપ્લાય કરાતા હતા.
ઈડર
29 નવેમ્બર 2025માં ઈડર તાલુકાના સીંગા ગામમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો હતો. રહેણાંક મકાનમાં ચાલતી ફેક્ટરીમાંથી 200 લીટરથી વધુ બનાવટી દૂધ, કેમિકલ્સ અને ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સુનિલકુમાર શર્માની ધરપકડ કરી. સોયા ઓઈલ, મેલ્ટોડેક્સ્ટ્રિન, વ્હે પ્રોટીન પાઉડર, યુરિયા, ડિટર્જન્ટ પાવડર અને સફેદ રંગ મિક્સ કરીને દૂધ જેવું દેખાતું પ્રવાહી તૈયાર કરતો હતો.
આસપાસના ગામોમાં રોજ 700 લીટર દૂધ પહોંચાડાતું.
એક જ ગાડી પકડાઈ છે, પણ આવી 3 ગાડીઓ ભરતો હતો.
જોકે 15 વર્ષથી આરોપી અશ્વિન શર્મા દૂધ અલગ અલગ મંડળીમાં ભરાવતા હોવાનું બહાર આવ્યું છે. પોતે પશુપાલક ન હતો.
બોરડી
15 માર્ચ 2026માં બોરડી દૂધ મંડળીમાં આવ્યું નકલી દૂધનું ટેન્કર. દૂધ મંડળી મા દૂધ ઠાલવી રહ્યું છે આ એજ ટેન્કર હતું જે થોડા દિવસ પહેલા હનુમાન ખીચડીયા ગામથી પકડાયેલ ડુપ્લીકેટ દૂધ નું ટેન્કર એ જ બાયડ તાલુકાની બોરડી દૂધ મંડળી સુધી પહોંચ્યું છે.
પંચમહાલ
21 ફેબ્રુઆરી 2026માં પંચમહાલ ડેરીમાં આવતું હાલોલ તાલુકાના વેડ ગામે નકલી દૂધ બનતું હતું. દૂધ ઉભરવાન ગામમાં આવેલી ડેરીમાં ભરાતું હતું. હાલોલ તાલુકાના ધારીયા, ઘાટા અને વેડ ગામોમાં ખાનગી રીતે ડેરી ચલાવી રોજ આશરે 50 થી 60 લીટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું. ત્યાર બાદ આ દૂધમાં નકલી અને મિલાવટવાળું દૂધ ભેળવી તેની માત્રા વધારી આશરે 200 લીટર જેટલું દૂધ તૈયાર કરવામાં આવતું હતું.નાની ઉભરવન ગામ ખાતે આવેલી પંચમહાલ ડેરી સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હતું.
શહેરા
23 જુન 2020માં પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ શહેરા નગરપાલિકાના ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગે પકડ્યું હતું. કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર ભાડે મકાન રાખીને નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવતું હતું.
યુરિયા ખાતરની એક બેગ, શેમ્પૂ અને કપાસિયા તેલના 10 પાઉચ અને 50 ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા. નરસાણા ગામના મહિલા સરપંચનો પુત્ર દિલીપ એક વર્ષથી નકલી દૂધનો વેપાર કરતો હતો.
કરતો હતો દૂધનો કાળો કારોબાર
બોટાદ
19 ઓક્ટોબર 2023માં બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી 400 લીટર નકલી દૂધ પકડાયું હતું. આરોપી જેજેરામ સંતરામ ગોંડલિયા પાણી અને મિલ્ક-પાઉડરના મિકસ્ચર દ્વારા મિક્સ કરી એમાં વનસ્પતિ તેલ ઉમેરતો હતો. વધુ પાવડર ઉમેરવાથી દૂધ વધુ ઘટ્ટ બને છે. વનસ્પતિ તેલ સાથે વ્યવસ્થિત રીતે મિક્ષ્ચરમાં મિક્સ કરવાથી અસલી-નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બની જાય છે.
ગોંડલ
2018માં ગોંડલ તાલુકાના વાસાવડ ગામ આનંદ ડેરી નકલી દૂધ બનાવી રહી હતી. ભેળસેળયુક્ત 800 લિટર દૂધનો નાશ કરાયો હતો.
52 વર્ષના નથુ નારણ આહિર, તેનો પુત્ર મકન તેમજ મેહુલ કિશોર પલતાણીયા સહિતનાઓ દ્વારા ડેટાડોમ નામના પાઉડર, ડાલડા ઘી, સોયાબીન તેલ અને કેમિકલ મિક્સ કરી નકલી દૂધ બનાવતા હતા.
સાગર ડેરી માંથી 500 લીટર અસલી દૂધ મગાવી અને તેમાં 1500 લીટર નકલી દૂધ ભેળવી કુલ 2000 લીટરનો વેચતા હતા. 125 કિલો દૂધનો પાવડર, સાગર દૂધના પાઉચ મળી આવ્યા હતા.
રાજકોટમાં 10 હજાર લિટર
2021માં દૂધ ઉપલેટાના ઢાંકમાંથી માંકડની ડેરીએથી રાજકોટમાં 10 હજાર લિટર નકલી દૂધ ઠલવાતું હતું. પોલીસે 1000 લિટરનો નાશ કર્યો. તેલ, ક્ષાર અને પાવડર ભેળવીને રાતના અંધકારમાં વેચાતું હતું.
દુધ મોકલનાર માલિક વિજય ભાભલુ માંકડ અને ડ્રાઇવર રાજાભાઇ ગોગન ટોળીયા સામે ગુનો દાખલ કર્યો હતો. શિવ શક્તિ અને આશાપુરા ડેરીમાંથી નમૂના લીધા હતા.
રોગ
ભેળસેળયુક્ત દૂધમાં રહેલા રસાયણો કિડની, લિવર અને હૃદય પર લાંબા ગાળાની અસરો કરે છે. બાળકોમાં પાચન સમસ્યા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને કેલ્શિયમની ઉણપ વધી રહી છે.
કૃત્રિમ દૂધ શરીર માટે ધીમી ગતિએ કાર્ય કરતું ઝેર છે.
હાડકાને શરીરમાંથી કુદરતી રીતે મળતો માવો બંધ થઈ જાય છે. પરિણામે હાડકા બરડ થવા લાગે છે.
નકલીની ઘરે તપાસ કરો
દૂધની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે દૂધને એક બોટલમાં ભરી લો અને પછી હલાવો. આમ, દૂધમાં ફીણ લાંબા સમય સુધી બની રહે છે તો સમજી લો કે દૂધ મિલાવટી છે. આમ, ફીણ બન્યા પછી થોડીવારમાં ગાયબ થઇ જાય છે તો દૂધ શુદ્ધ છે.
લીંબુની મદદથી તમે દૂધની શુદ્ધતા જાણી શકો છો. આ માટે તમે દૂધ ગરમ કરો અને એમાં થોડા ટીપા લીંબુનો રસ નાખી. આમ, જો દૂધ તરત ફાટી જાય તો આ અસલી છે, પરંતુ દૂધ ફાટવામાં સમય લાગે છે તો આ નકલી હોઇ શકે છે. આ પરથી તમે જાણી શકો છો કે દૂધમાં સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5 મિલી પાણીમાં 2-3 મિલી દૂધ ઉકાળો. ઠંડુ થયા બાદ આયોડિન ટિંકચર 2-3 ટીપાં નાખી. જો દૂધમાં વાદળી રંગ બને છે તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ છે.
રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર
ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ
પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહેવાલ વાંચો
ગુજરાતી
English





